બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હિંમતનગર તાલુકામાં બંધનું એલાન, જુઓ કેમ અને ક્યારે?
Last Updated: 01:21 PM, 10 December 2025
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર અને આસપાસનાં ગામોમાં હુંડાના વિરોધને લઇ 12 ડિસેમ્બરે બંધનું એલાન કરવામાં આવ્યું છે. વિવિધ સામાજિક, વેપારી અને રાજકીય સંગઠનો એકસ્વરે આ બંધને સમર્થન આપી રહ્યા છે.
ADVERTISEMENT
હુંડા મુદ્દે લોકોમાં અસંતોષનો માહોલ સર્જાયો છે. જેને ધ્યાનમાં લઈ અનેક સંગઠનો આગળ આવ્યા છે. ખાસ નોંધનીય બાબત એ છે કે ભાજપ સાથે સંકળાયેલા કેટલાક સહકારી આગેવાનો પણ ખુલ્લેઆમ આંદોલનને ટેકો જાહેર કર્યો છે.

ADVERTISEMENT
હુંડા હેઠળ આવતાં 11 ગામડાઓના લોકો પણ આ વિરોધમાં સક્રિય થયા છે. હિંમતનગર તાલુકાના મોટાભાગના ગામોએ બંધને સમર્થન આપ્યું છે. લારી-ગલ્લા વાળા, નાના-મોટા વેપારીઓ, મોલ સંચાલકો સહિતના વેપારી વર્ગે પણ 12 ડિસેમ્બરે તમામ પ્રવૃત્તિઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

ADVERTISEMENT
વધુમાં, 11 ગામોના વાલીગણે પોતાના બાળકોને તે દિવસે શાળાએ ન મોકલવાનો નિર્ણય કર્યો છે. જ્યારે અનેક ખાનગી શાળાઓએ પણ બંધને સમર્થન આપ્યું છે.

ADVERTISEMENT
હિંમતનગર શહેર અને આસપાસના 11 ગામોમાં સંપૂર્ણપણે સજ્જડ બંધ પાળવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હુંડા હટાવવાની માંગને લઈને વિવિધ સંગઠનો કટિબંધ થઈ એકજુટતાથી આગળ વધતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચોઃ 5 મહિના પહેલા જ રિપોર્ટમાં ખ્યાલ આવી ગયેલો કે સુભાષબ્રિજ...! તો કેમ તંત્રએ કર્યા આંખ આડા કાન?
ADVERTISEMENT
આંદોલનકારીઓનો સ્પષ્ટ મત છે કે જનતા પર અન્યાયકારી હુંડા બિલનો બોજ ન આવવો જોઈએ, અને આ મુદ્દે સરકાર તાત્કાલિક ખેતી-મજૂર અને સામાન્ય નાગરિકોને રાહત આપે. 12 ડિસેમ્બરના બંધને લઇ વિસ્તારના લોકોમાં જાગૃતતા અભિયાન પણ ચાલી રહ્યું છે અને બંધને સંપૂર્ણ સફળ બનાવવા સ્થાનિક આગેવાનો અપીલો કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.