બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ફેશન અને સૌંદર્ય / using same towel for years know the expiry date of towel avoid doing these 4 mistakes
Bijal Vyas
Last Updated: 06:48 PM, 10 April 2023
Towel using Tips: આપણે સૌ ટુવાલનો ઉપયોગ કરીએ જ છીએ, પણ અમુક લોકો એક જ ટુવાલને વર્ષો સુધી ઉપયોગ કરતા રહે છે. જ્યાં સુધી તે ફાટી ન જાય, તેનો એક એક દોરો નીકળી ન જાય ત્યાં સુધી તેને વાપરે છે. પણ શું તમે જાણો છો કે, વધારે દિવસ સુધી એક જ ટુવાલ વાપરવાથી સ્કીનને નુકસાન પહોંચે છે. એટલું જ નહીં એક જ ટુવાલનો ઉપયોગ અમુક ઘરોમાં બધા જ સભ્યો કરતા હોય છે. આ પણ એક અનહેલ્દી આદત છે. પરંતુ તમારે જાણવુ જોઈએ કે, ટુવાલનો ઉપયોગ કરવાની પણ એક એક્સપાયરી ડેટ હોય છે. એક જ ટુવાલને બધા જ સભ્યો ઉપયોગ કરે તો, તેનાથી નુકસાન થઈ શકે છે. તો આવો જાણીએ એક ટુવાલ ક્યાં સુધી વાપરવો જોઈએ અને કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
ભીનો ટુવાલ છે બેક્ટેરિયાનું ઘર
ટુવાલ ન હોય તો, સ્નાન કર્યા બાદ ન તો શરીર લુછી શકો છો, ન તો હાથ મોં. કેટલીય વાર લોકો ન્હ્યા બાદ ભીનો ટુવાલ બાથરુમના દરવાજા પર ટાંગી દેતા હોય છે અને લગભગ બીજા દિવસ સુધી ત્યાંને ત્યાં જ પડી રહે છે. ભીનો ટુવાલમાં ભેજ હોવાના કારણે તેમાં બેક્ટીરિયા, જર્મ્સ એકઠા થવાના ચાન્સ વધી જાય છે. ભીના ટુવાલમાં જર્મ્સ લાગે છે. તેનો ઉપયોગ કરવાથી સ્કીનની સમસ્યા થઈ શકે છે.
ના કરો ભીના ટુવાલનો ઉપયોગ
જો ઘરમાં તમામ સભ્યો એક જ ટુવાલનો ઉપયોગ કરે છે, તો તે જલ્દી ગંદો થઈ જશે. કોઈને જો સ્કીન પ્રોબ્લેમ છે, તો તે બીજા વ્યક્તિને પણ થઈ શકે છે. જો તમને એલર્જી અને ખંજવાળ છે, તો એક જ ટુવાલ યૂઝ કર્યા બાદ કોઈ બીજા યૂઝ કરે તો, ટુવાલની શરીર લુછે ,તો તેનાથી ખંજવાળ, સ્કીન એલર્જી થઈ શકે છે. તમે એવું ન વિચારો કે અલગ અલગ ટુવાલ લઈને ફાલતું ખર્ચા થશે. જો તમે એક જ ટુવાલ યૂઝ કરો છો, તો તેનાથી બીમારી થઈ શકે છે, જેનાથી ઈલાજનો ખર્ચ ટુવાલના ખર્ચથી ડબલ થઈ જશે.
એક ટુવાલનો ક્યાં સુધી ઉપયોગ કરવો
એક જ ટુવાલનો વર્ષો સુધી યુઝ કરવાથી બચવુ જોઇએ, કારણ કે, તે પણ એક્સપાયર થઈ જાય છે. ઘરના તમામ સભ્યો જ્યારે એક જ ટુવાલ વાપરે છે, તો તેને 6 મહિનાથી વધારે ન વાપરો. જો આપ એકલા જ ટુવાલ યૂઝ કરો છો, તો વધારામાં વધારે ત્રણ વર્ષ ઉપયોગ કરી શકો. આવું એટલા માટે કેમ કે એક વર્ષ બાદ ટુવાલનું કાપડ ઘસાવા લાગે છે, તેનો રંગ પણ ઉડી જશે. ખાસ કરીને લોકલ ક્વાલિટીનો રુમાલ હોય તો, એક વર્ષમાં બદલી નાખો. બ્રાંડેડ રુમાલ છે, તો આપ 2થી 3 વર્ષ યૂઝ કર્યા બાદ તેને રિટાયર કરી નાખો. જો ન્હાયા બાદ શરીર લુછતી વખતે યોગ્ય રીતે પાણી સુકાયુ નથી તો, સમજી લો કે તમારો ટુવાલ એક્સપાયર થઈ ચુક્યો છે. પાણી લુછવાની ક્ષમતા તેની ખતમ થઈ ગઇ છે.
ના કરો ટુવાલને લઇ આ ભૂલો
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime