બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 05:16 PM, 14 April 2023
લગભગ તમામ લોકોને ક્યારેક ને ક્યારેક પગના નખમાં દુખાવો થયો જ હશે. જેના કારણે ચાલવામાં તકલીફ પડે છે અને જૂતા પણ પહેરી શકાતા નથી. આ દુખાવો ક્યારેક આપમેળે જ મટી જાય છે, પરંતુ ઘણી વાર આ દુખાવો એટલી હદે વધી જાય છે કે, આપણે રોજબરોજના કામ પણ કરી શકતા નથી. આ દુખાવો અસહનીય હોવાના કારણે અનેક લોકો દુખાવાની દવા (Pain killer) પણ લેતા હોય છે. ઘરેલુ ઉપાય અપનાવવાથી પણ આ દુખાવામાં રાહત થાય છે. શરીરના અન્ય ભાગની જેમ હાથ અને પગના નખમાં પણ દુખાવો થાય છે. આ દુખાવાના અનેક કારણો હોઈ શકે છે. જેમ કે, નખ દબાઈ જવા, ફંગલ ઈન્ફેક્શન, બેક્ટેરિયલ ઈન્ફેક્શન. જો તમને પણ આ પ્રકારે દુખાવો થઈ રહ્યો છે, તો તે દુખાવાથી રાહત મેળવવા માટે અહીંયા જણાવેલ ઘરેલુ નુસ્ખા અપનાવી શકો છો.
અજમાનું તેલ
પગના નખમાં દુખાવો થઈ રહ્યો હોય તો અજમાના તેલનો ઉપયોગ કરો. અજમાના તેલને નારિયેળના તેલમાં મિશ્ર કરી દો અને તેને ગરમ કરી લો. આ મિશ્રણને પગના નખ પર લગાવી દો. તમે આખી રાત આ મિશ્રણ લગાવીને રાખી શકો છો, જેનાથી દુખાવામાં રાહત મળશે.
એલોવેરા જેલ
એલોવેરા જેલમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો રહેલા છે, જેનાથી ત્વચાની અનેક પ્રકારની સમસ્યાથી રાહત મળે છે. એલોવોરાના એન્ટીફંગલ અને એન્ટી માઈક્રોબાયલ ગુણને કારણે નખના દુખાવાથી રાહત મળી શકે છે. નખ પર એલોવેરા જેલ લગાવી દો. અનેક લોકોને એલોવેરા જેલથી રેશેઝ અથવા ખંજવાળની સમસ્યા પણ થાય છે. બજારમાં મળતી એલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકાય છે.
હળદર અને નારિયેળ તેલ
હળદર અને નારિયેળના તેલથી પગના નખનો દુખાવો દૂર થાય છે. હળદર અને નારિયેળ તેલમાં એન્ટીફંગલ ગુણ હોય છે. જો પગમાં ઈન્ફેક્શન થયપું હોય અને તેના કારણે દુખાવો થઈ રહ્યો હોય તો એક ચપટી અને નારિયેળ તેલ મિશ્ર કરો, અને તે નખ પર લગાવી લો. આ મિશ્રણ લગાવીને આખી રાત રાખી શકાય છે, જેનાથી નખના દુખાવાથી રાહત મળશે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime