બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અમદાવાદ / Union Home Minister Amit Shah will inaugurate the project including the overbridge and two gardens on June 20
Dinesh
Last Updated: 06:07 PM, 16 June 2023
અમદાવાદના શહેરીજનોને રોજબરોજના જીવનમાં સતાવતી સમસ્યામાં ટ્રાફિકની સમસ્યાનો પણ સમાવેશ થાય છે. વિકાસની દિશામાં સતત હરણફાળ ભરી રહેલા અમદાવાદમાં હવે લોકોને જાહેર પરિવહન ક્ષેત્રમાં મેટ્રો રેલવેનો ત્રીજો વિકલ્પ મળ્યો છે. તેમ છતાં અંગત વાહનનો વપરાશ વધ્યો હોઈ દરરોજ સેંકડો નવાં વાહન રોડ પર ઠલવાઈ રહ્યાં છે. બીજી તરફ મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ ટ્રાફિકના પ્રશ્નોના નિરાકરણ માટે નવા બ્રિજ પ્રોજેક્ટને બજારમાં મૂકી રહ્યા છે. હવે જગતપુર પાસે આવેલા રેલવે ક્રોસિંગ નંબર છ પર બનેલા ઓવરબ્રિજના ઉદ્ઘાટનની ઘડીઓ ગણાઈ રહી છે.
રૂ. સાત કરોડ એક દાતા તરફથી મળ્યા
અમદાવાદીઓને તા. 20 જૂનથી આ નવા રેલવે ઓવરબ્રિજનો લહાવો મળશે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ચાંદલોડિયા-ખોડિયાર રેલવે લાઇન લોકેશન પરના કિમી 510/6 અને 510/7 પર સરખેજ-ગાંધીનગર હાઈવેથી ચેનપુર-ગોદરેજ ગાર્ડન સિટી તરફ જતા રેલવે ક્રોસિંગ નંબર છ એટલે કે જગતપુર રેલવે ક્રોસિંગ પર રૂ.76.42 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવાયો છે. 735.26 મીટર લાંબો અને 16.80 મીટર પહોળા ચાર લેન ધરાવતા આ ઓવરબ્રિજમાં તંત્રે 7900 સ્ક્વેર મીટરથી વધુની જગ્યા અંડર સ્પેસ પાર્કિંગ એરિયા માટે ફાળવી છે, જેમાં એસજી હાઈવે તરફ 4244.88 અને ગોદરેજ ગાર્ડન સિટી તરફ 3698.4 સ્ક્વેર મીટરની જગ્યા છે. આ પ્રોજેક્ટ માટે રૂ. સાત કરોડ એક દાતા તરફથી મળ્યા છે.
નવા રાણીપનો બગીચો તેમજ ઔડાના અન્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાશે
ગત તા.12 ઓક્ટોબર, 2022એ તંત્ર દ્વારા રેલવે પોર્શન માટેનો વર્ક ઓર્ડર અપાયો હતો, જેને તા. 15 મે, 2023 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો હતો. જેમાં રેલવે પોર્શનની લંબાઈ 56.4 મીટર હાઈવે તરફના એપ્રોચ રોડની લંબાઈ 362.7 મીટર અને ગોદરેજ ગાર્ડન સિટી તરફના એપ્રોચ રોડની લંબાઈ 316.13 મીટર છે. દરમિયાન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ કહે છે, કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગાંધીનગરના સંસદસભ્ય અમિત શાહના હસ્તે તા. 20 જૂનની સવારે આ ઓવરબ્રિજનું લોકાર્પણ કરાશે. તેમના હસ્તે તે જ દિવસે સવારે ગાહેડ દ્વારા બનાવાયેલા થલતેજની તાજ હોટેલ પાસેનો બગીચો અને નવા રાણીપનો બગીચો તેમજ ઔડાના અન્ય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરાશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime