બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
Malay
Last Updated: 08:30 AM, 16 July 2023
બ્રિટન જવા ઈચ્છતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે જાહેરાત કરી છે કે ભારતીયો સહિત વિઝા અરજદારો દ્વારા નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ને ચૂકવવામાં આવતી ફી અને હેલ્થ સરચાર્જમાં નોંધપાત્ર વધારો થશે. આ વધારો લગભગ 15 ટકાથી 20 ટકા હોઈ શકે છે, જોકે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. જો આ વધારો લાગુ કરવામાં આવશે તો ભારતીયોએ વિઝા માટે વધુ ફી ચૂકવવી પડશે.
વિઝા ફી વધારવા પાછળ ઋષિ સુનકનું આ છે લક્ષ્ય
ઋષિ સુનકનું લક્ષ્ય વિઝા ફીમાં વધારાના મધ્યમથી બ્રિટનના જાહેર ક્ષેત્રના કર્મચારીઓ માટે વેતનમાં વૃદ્ધિ કરવાનું છે. આમાં શિક્ષકો, પોલીસ, જુનિયર ડોકટરો અને અન્ય જાહેર ક્ષેત્રના કર્મચારીઓનો સમાવેશ થાય છે, તેમણે કહ્યું કે સમગ્ર બોર્ડમાં સામાન્ય રીતે પાંચથી સાત ટકાનો વધારો થયો છે. ઋષિ સુનકે કહ્યું કે બ્રિટન સરકાર ફુગાવાને કારણે વધી રહેલા ખર્ચને પહોંચી વળવા માટે વધી રહેલા દેવા પર નિર્ભર નહીં રહે.
હું લોકો પર ટેક્સ લગાવવા તૈયાર નથીઃ ઋષિ સુનક
ઋષિ સુનકે કહ્યું કે, જો અમે જાહેર ક્ષેત્રના કર્મચારીઓ માટે પગાર વધારાને પ્રાથમિકતા આપવા જઈ રહ્યા છીએ, તો તે પૈસા બીજે ક્યાંકથી લાવવા પડશે કારણ કે હું લોકો પર ટેક્સ લગાવવા માટે તૈયાર નથી. તેમણે આગળ કહ્યું કે, તેથી અમે આ નાણાંની વ્યવસ્થા કરવા માટે બે બાબતો નક્કી કરી છે. પ્રથમ અમે આ દેશમાં આવતા પ્રવાસીઓ દ્વારા વિઝા માટે અરજી કરવા પર ચૂકવવામાં આવતી ફીને વધારવા જઈ રહ્યા છે. વાસ્તવમાં તેને ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ (IHS) કહેવામાં આવે છે. આ તે ફી છે જે NHS સુધી પહોંચવા માટે પ્રવાસીઓએ ચૂકવવાની હોય છે. તેમણે જણાવ્યું કે, તે તમામ ફીમાં વધારો થવા જઈ રહ્યો છે અને તેનાથી એક અબજ બ્રિટિશ પાઉન્ડથી વધુનો વધારો થશે, તેથી સમગ્ર બોર્ડમાં વિઝા અરજી ફીમાં નોંધપાત્ર વધારો થવા જઈ રહ્યો છે અને આ રીતે IHS પર પણ લાગુ થશે.
હવે કેટલી રકમ ચૂકવવી પડશે?
સરકારે પુષ્ટિ કરી છે વિઝા ફીમાં 15 ટકાનો વધારો થશે. અન્ય તમામ વિઝા ફીમાં ઓછામાં ઓછો 20 ટકાનો વધારો થશે. ઇમિગ્રેશન હેલ્થ સરચાર્જ (IHS) જેને પહેલીવાર 2015માં લાગુ કરવામાં આવી હતી, અરજી દીઠ 200 પાઉન્ડ ચૂકવવા પડતા હતા. 2018માં તે ડબલ થઈને 400 પાઉન્ડ થઈ ગયા અને 2020માં વધીને 624 પાઉન્ડ (લગભગ 67 હજાર રૂપિયા) થઈ ગયા. આવી સ્થિતિમાં જો તેમાં 20 ટકાનો વધારો થાય છે તો ભારતીયોને વધારાના 13 હજાર રૂપિયા ચૂકવવા પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠક પર જામશે ખરાખરીનો જંગ, કોનું પલડું છે ભારે?
vtv news gujarati
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog