બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / Politics / Uddhav Thackeray will not resign, big decision taken after meeting with Pawar
ADVERTISEMENT
આ તમામ વચ્ચે ગઈકાલે NCP નેતા શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે માતોશ્રીમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં ઉદ્ધવ ઠાકરનું રાજીનામું નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપવાને બદલે વિધાનસભામાં શક્તિ પરિક્ષણનો સામનો કરશે.
.jpg)
ADVERTISEMENT
ઉદ્ધવ ઠાકરે નહીં આપે રાજીનામું
શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેને લઈને મહારાષ્ટ્ર સરકાર સકંટમાં આવી ગઈ છે. મહારાષ્ટ્ર સરકારને બચાવવા ઘણાં દિગ્ગજ નેતાઓ પોતાની પૂરી તાકત લગાવી દીધી છે. એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેના માં વિદ્રોહથી ઉત્પન્ન થયેલા રાજકીય સંકટના કારણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજીનામું નહી આપે પરંતુ વિધાનસભામાં શક્તિ પરીક્ષણનો સામનો કરશે. માતોશ્રી પર શુક્રવારે સાંજે ઉદ્ધવ અને NCPના પ્રમુખ શરદ પવારની વચ્ચે એક બેઠક યોજાઈ હતી. જેમાં આ રણનીતિ પર સહમતિ બની હતી.
ADVERTISEMENT
Many of you might be getting phone calls - some loving & some threatening. I say, har sher ko sava sher milta hi hai. You'll find sava sher in Shiv Sena. Shiv Sena like a sword, if you keep it in sheath,it rusts. If you take it out,it shines. It's time to shine: Uddhav Thackeray pic.twitter.com/HXg4xqeyAl
— ANI (@ANI) June 24, 2022
ADVERTISEMENT
દિગ્ગજ નેતાઓએ સરકાર બચાવવા માટે બનાવી આ રણનીતિ
શિવસેનાના સાંસદ સંજય રાઉતની ઉપસ્થિતિમાં માતોશ્રી પર થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સરકાર બચાવવામાં માટે મનોમંથન કરવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી અને મહાવિકાસ અઘાડીના વરિષ્ઠ નેતાઓ આનો લાભ ઉઠાવીને વિદ્રોહી નેતાઓ અને તેમના સમર્થકો પર શાબ્દિક હુમલો કર્યો હતો.
ADVERTISEMENT
महाराष्ट्र: मुंबई में राज्य मंत्री जितेंद्र अवध मुख्यमंत्री उद्धव ठाकरे के पारिवारिक आवास मातोश्री से रवाना हुए। (24.06) pic.twitter.com/4R2C5SCsyB
— ANI_HindiNews (@AHindinews) June 24, 2022
ADVERTISEMENT
પવારે ઉદ્ઘવને સમજાવ્યો , સહેલાઈથી હાર નહીં માનવી
સરકાર જો સદનમાં બહુમત મેળવે છે તો એમવી પહેલાની તુલનાથી વધુ મજબૂત બને ઉભરશે. અને ઉદ્ઘવ ઠાકરે તેના નાયક હશે . સૂત્રોના જણાવ્યા અનુસાર 2019માં ભાજપને સત્તા પર થી દૂર રાખવા માટે એમવીના ગઠન માટે મહત્વની ભૂમિકા નિભાવવા વાળા શરદ પવારે ઉદ્ઘવ ઠાકરેના આસાનીથી હાર ન માનવા માટે મનાવી લીધા છે.
નિશાન પર હશે ભાજપ
અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, સદનમાં ભાજપ જ એમવીનો મુખ્ય નિશાનો હશે. મેળ મિલાપના વિફળ થઈ ગયા બાદ વિદ્રોહી વિધાયકો પ ઉદ્ધવ ઠાકરેને પણ તેમના સહયોગીનો જેમ શાબ્દીક હુમલાઓ કર્યા હતાં. બીજી બાજુ ભાજપે નિર્ણય લીધો છે કે, તેઓ મુખ્યરૂપે શિવસેનામાં અસંતોષ અને એમવી ઘટકોના દળો પર અવિશ્વાસને હથિયાર બનાવશે જેના લીધે વિદ્રોહની પરિસ્થિતી ઉદભવી છે
कांग्रेस-NCP आज हमारा समर्थन कर रही है,शरद पवार और सोनिया गांधी ने हमारा समर्थन किया लेकिन हमारे ही लोगों ने हमारी पीठ में छुरा घोंपा।हमने ऐसे लोगों को टिकट दिया जो जीत नहीं सकते थे और हमने उन्हें विजयी बनाया। उन्हीं लोगों ने हमारी पीठ में छुरा घोंपा: महाराष्ट्र के CM उद्धव ठाकरे pic.twitter.com/OMZS3fs7Qm
— ANI_HindiNews (@AHindinews) June 24, 2022
ઉદ્ધવ બોલ્યા પીઠમાં ખંજર ભોંક્યું
આ બેઠક બાદ મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે કહ્યું કે, કોંગ્રેસ અને એનસીપી અમારુ સમર્થન કરી રહી છે. શરદ પવાર અને સોનિયા ગાંધીને ભરોસો અપાવ્યો છે પરંતુ અમારા લોકોએ જ અમારી પીઠ પાછળ ખંજર ભોક્યું છે. અમે એવા લોકોને ટિકિટ આપી જે જીતી ના શકે. અમે તેમને વીજયી બનાવ્યા છે. તે લોકોએ અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે.
શિંદેએ કર્યો મોટો દાવો
એકનાથ શિંદેનું કહેવું છે કે, શિવસેનાના 40 સહિત કુલ 50 ધારાસભ્યોનું સમર્થન તેમની પાસે છે. તેમનું જૂથ જ સાચી શિવસેના છે. એટલે ઉદ્ધવની જૂથ તરફથી બળવાખોર સામે કાર્યવાહી કરવામાં આવે તે માંગ ખોટી છે. તેમને અને તેમના સમર્થકોને ધમકી આપીને ડરાવી ના શકાય
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.