બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Two married women living in Vejalpur and Nawa Naroda in Ahmedabad became victims of superstition

અમદાવાદ / વેજલપુર-નવા નરોડાની બે પરિણીતાઓ બની અંધશ્રદ્ધાનો ભોગ, સાસરિયાં વિરૂદ્ધ ઉગામ્યું કાયદાનું શસ્ત્ર

Malay

Last Updated: 04:28 PM, 12 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના વેજલપુર અને નવા નરોડામાં રહેતી બે પરિણીતાઓ અંધશ્રદ્ધાનો ભોગ બનતાં બંનેએ પોલીસ સ્ટેશનમાં સાસયરિયાંઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

 

  • અમદાવાદમાં અંધશ્રદ્ધામાં બે યુવતીઓ પીસાઈ
  • સાસરિયાંઓએ હદ બહાર કરી ટોર્ચર 
  • બંને પરિણીતાએ નોંધાવી પોલીસ ફરિયાદ

જમાનો ભલે ગમે એટલો આધુનિક થયો હોય અને આપણે મોટા મોટા દાવા કરતા હોઈએ પરંતુ આજે પણ અંધશ્રદ્ધા અનેક લોકોની જિંદગી નર્ક સમાન બનાવી રહી છે. દહેજભૂખ્યાં સાસરિયાઓ હવે પુત્રવધુને ટોર્ચર કરવા માટે અંધશ્રદ્ધાના હથિયારનો બેફામ ઉપયોગ કરી રહ્યા હોવાના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. અંધશ્રદ્ધામાં પરિણીતાઓ એ હદે પીસાઈ રહી છે કે સાસ‌રિયાંઓ તેમના પર તાંત્રિકવિધિના બહાને નિતનવા અખતરા કરતાં હોય છે. અમદાવાદના વેજલપુર અને નવા નરોડામાં રહેતી બે પરિણીતાઓ અંધશ્રદ્ધાનો ભોગ બનતાં હવે તેમણે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે. 

કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
તારા પિતાના ઘરેથી દોઢ કરોડ રૂપિયા લઇ આવ તેમ કહીને દહેજની માગણી કરતાં સાસ‌રિયાં વિરુદ્ધ પરિણીતાએ લાલ આંખ કરી છે. અંધશ્રદ્ધામાં માનતાં સાસ‌રિયા ઘરમાં ભૂવાને બોલાવતાં હતાં અને પરિણીતાને ઉપવાસ કરવાનું કહીને હેરાન કરતાં હતાં. આ સિવાય પતિને સ્પર્શ કરવાથી ઘરમાં તકલીફો આવશે તેમ કહીને ટોર્ચર કરતાં હતાં. નવા નરોડા વિસ્તારમાં રહેતી રીટા (નામ બદલ્યું છે)એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પતિ જયમીન, સાસુ સુરેખાબેન, સસરા બ‌િપિનભાઇ અને માસી સાસુ રમીલાબેન વિરુદ્ધ ડોમે‌સ્ટિક તેમજ માર માર્યાની ફરિયાદ કરી છે. લગ્નના ત્રણેક મહિના સુધી રીટાને તેના પતિ જયમીન સહિત સાસ‌રિયાએ સારી રીતે રાખી હતી. થોડા સમય બાદ જયમીન અવારનવાર નોકરી પર કામ વગર રોકાઇ રહેતો હતો અને રાતે મોડા ઘરે આવતો હતો. આ સિવાય કારણ વગર રીટાને બોલાવવાનું બંધ કરી દેતો.

રેપ કેસમાં 45 લાખનો તોડકાંડઃ PI રાઠોડને ધકેલી દેવાયાં આ ખાતામાં | rape case  ahmedabad pi transfer

સાસુ-સસરા રીટાને કરતા હતા દબાણ
રીટા જયમીનને નોકરીથી ઘરે મોડા આવવાનું કારણ પૂછે તો તે મારઝૂડ કરતો હતો, જ્યારે સાસુ-સસરા પણ જયમીનનું ઉપરાણું લઇ રીટાને ગાળો બોલી તું આખો દિવસ ઘરમાં પડી રહે છે, મફતનું ખાય છે તેમ કહીને હેરાન-પરેશાન કરતાં હતાં. સાસુ-સસરા રીટાને જયમીન સાથે અમેરિકા મોકલી દેવા દબાણ કરતાં હતાં અને પિયરમાંથી દોઢ કરોડ લઇ આવવા માટે વાત કરતાં હતાં. રીટાએ દોઢ કરોડ રૂપિયા લાવવાની ના પાડતાં તેને મહેણાંટોણાં મારતાં.

પતિ માર મારતો
આ સિવાય સાસુ-સસરા ઘરમાં ભૂવાને બોલાવતાં અને તેમના કહેવાથી પરિણીતા પાસે ઉપવાસ કરાવતાં તેમજ તેને ભૂખી રહેવા માટે મજબૂર કરતાં હતાં. રીટાના સાસુ કહેતાં કે તારે તારા પતિથી દૂર રહેવાનું, તેની સાથે નહીં જવાનું અને સ્પર્શ પણ નહીં કરવાનો, નહીં તો ઘરમાં તકલીફો આવશે. જ્યારે તેનાં માસી સાસુ તેની નાની બહેનના લગ્ન તેમના સગામાં કરવા માટે કહેતાં હતાં, નહીં તો તેના ડિવોર્સ કરાવી દેવાની ધમકી આપતાં હતાં. જયમીન રીટાને માર મારતો હતો.

જુહાપુરા પણ બન્યો આવો જ બનાવ
શહેરની અન્ય એક પરિણીતા પણ આ જ રીતે શારિરીક અને માનસિક ટોર્ચરનો ભોગ બની છે. સાસ‌રિયાંએ પરિણીતાને એટલી હદે હેરાન-પરેશાન કરી કે તે પાંચ મહિનાના લગ્નજીવનથી કંટાળી ગઇ હતી અને અંતે તે પિયરમાં રહેવા માટે આવી ગઇ છે. તેમણે ‘તું અપશુક‌િનયાળ છે, તું આવી ત્યારથી અમારા ઘરની પડતી શરૂ થઇ છે’ તેમ કહીને ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. જુહાપુરા વિસ્તારમાં રહેતી ‌સીમરન (નામ બદલ્યું છે)એ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પતિ મુનીર અહેમદ, સાસુ જમીલાબાનુ અને જેઠ સોયેબ (રહે. તાઇવાડા, વીરમગામ, અમદાવાદ) વિરુદ્ધ ડોમે‌સ્ટિક વાયોલન્સની ફરિયાદ કરી છે. ‌સીમરન હાલ પોતાના પિયરમાં રિસાઇને બેઠી છે અને તેનાં લગ્ન ફેબ્રુઆરી-2023માં થયાં હતાં. લગ્ન બાદ સાસુ જમીલાબાનુએ તેને ક‌િરયાવરના મામલે હેરાન-પરેશાન કરવાનું શરૂ કરી દીધું હતું, જેથી તેને તાવ આવી ગયો હતો. 

જુઓ તો ખરા આપણા ગુજરાતમાં કઇ હદે પહોંચી અંધશ્રદ્ધા, છોટાઉદેપુરમાં સગીરા  સાથે જે થયું તે જાણીને હચમચી જશો | chhota udaipur tantrik puja on minor  girl kawant chhotaudepur
ફાઈલ ફોટો

માન‌િસક ત્રાસ આપતા પરિણીતાએ નોંધાવી ફરિયાદ 
તાવ આવતાં સીમરન એક અઠવાડિયા સુધી પિયરમાં રહેવા માટે આવી ગઇ હતી. સીમરનની ત‌િબયત સારી થઇ જતાં તે પરત સાસરીમાં આવી ગઇ હતી, જ્યાં તેને સાસુ દ્વારા વધુ ત્રાસ આપવાનું શરૂ થઇ ગયું હતું. તેઓ તું અપશુક‌િનયાળ છે અને તું આવી ત્યારથી અમારા ઘરની પડતી થઇ છે તેમ કહેતાં. સીમરનને જેઠ અને સાસુ ધમકી આપતાં હતાં કે ઘરમાં અમે કહીએ તે જ કરવાનું છે અને જો અમે કહીએ તેમ નહીં કરે તો તને આ જ ઘરમાં દાટી દઇશું. સાસુ અને જેઠની વાત પતિને કરતાં તે પણ સીમરનનો પક્ષ લેવાની જગ્યાએ તેની સાથે મારઝૂડ કરવા લાગ્યો હતો. બે મહિના પહેલાં પતિ, સાસુ, જેઠ ભેગાં થઇ સીમરનને તને હાજરી આવે છે અને તારી વિધિ કરાવવી પડશે તેમ કહીને માન‌િસક ત્રાસ આપવા લાગ્યાં હતાં. સીમરને આ મામલે પતિને સમજાવવાની કોશિશ કરી હતી અને કહેવા લાગી હતી કે તમે આ અંધશ્રદ્ધામાં ન પડો. સીમરનની વાત સાંભળીને પતિ મુનીર અહેમદ ઉશ્કેરાયો હતો અને તેની સાથે મારઝૂડ કરવા લાગ્યો હતો, સાથે મોડી રાતે તેની છાતી પર બેસીને કહ્યું હતું કે આજે તો તને જાનથી મારી નાખીશ. સાસ‌રિયાંએ સીમરનને ઘરમાંથી કાઢી મૂકતાં તે પિયર આવી ગઇ હતી. બે મહિના પિયરમાં રહ્યા બાદ સીમરને પોલીસ ફરિયાદ કરી હતી, જેમાં પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ