બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Manisha Jogi
Last Updated: 12:23 PM, 23 August 2023
શ્રાવણ માસની શુક્લ પક્ષની સાતમે તુલસીદાસ જયંતિ મનાવવામાં આવે છે. આજે તુલસીદાસ જયંતિ છે. તુલસીદાસજીએ હિંદુ મહાકાવ્ય, રામચરિતમાનસ, હનુમાન ચાલીસા સહિત તમામ ગ્રંથની રચના કરીને રામભક્તિમાં જીવન પસાર કર્યું છે. સૌથી વધુ હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે. તુલસીદાસે હનુમાન ચાલીસાની રચના કેવી રીતે કરી તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
ઉત્તરપ્રદેશના રાજાપુર ગામમાં 1532માં તુલસીદાસનો જન્મ થયો હતો. તુલસીદાસે મોટાભાગનું જીવન વારાણસીમાં પસાર કર્યું છે. ગંગા નદી પર તુલસીદાસના નામ પર પ્રસિદ્ધ તુલસી ઘાટનું નામ રાખવામાં આવ્યું છે. તુલસીદાસે વરાહ ક્ષેત્રમાં રામ માનસ વિશે સાંભળ્યું ત્યારે તેમની આધ્યાત્મિક યાત્રા શરૂ થઈ હતી.
જેલમાં હનુમાન ચાલીસા લખવાની પ્રેરણા મળી
કહેવામાં આવે છે કે, તુલસીદાસને મુઘલ સમ્રાટ અકબરની કેદથી હનુમાન ચાલીસા લખવાની પ્રેરણા મળી હતી. મુઘલ સમ્રાટ અકબરે તુલસીદાસને શાહી દરબારમાં બોલાવ્યા હતા અને તેમની પ્રશંસામાં એક ગ્રંથ લખવાનું કહ્યું હતું. તુલસીદાસે આ ગ્રંથ લખવાની ના પાડી દીધી. તે સમયે અકબરે તેમને કારાવાસમાં કેદ કરી લીધા.
તુલસીદાસે વિચાર્યું કે માત્ર સંકટમોચન જ તેમને બહાર કાઢી શકે છે. 40 દિવસ સુધી જેલમાં રહ્યા અને તુલસીદાસે હનુમાન ચાલીસાની રચના કરીને તેના પાઠ કર્યા. 40 દિવસ પછી વાનરોના ઝુંડે અકબરના મહેલ હુમલો કર્યો અને નુકસાન થયું. મંત્રીઓની સલાહ માનીને અકબરે તુલસીદાસને કારાવાસમાંથી મુક્ત કર્યા.
માનવામાં આવે છે કે, તુલસીદાસે હનુમાન ચાલીસાના પાઠ કર્યા તે સમયે તેમણે ખુદ હનુમાન ચાલીસા સાંભળ્યા હતા. જેથી સૌથી પહેલા હનુમાનજીએ હનુમાન ચાલીસા સાંભળ્યા. તુલસીદાસે રામચરિત માનસ બોલવાનું સમાપ્ત કર્યું, ત્યાં સુધીમાં તમામ વ્યક્તિઓ જતા રહ્યા હતા. તેમ છતાં એક વૃદ્ધ વ્યક્તિ બેઠો હતો, જે ખુદ ભગવાન હનુમાન હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime