બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
VTV / Trimurti of the country's top three officers in the center: on whom PM Modi has unwavering faith
Priyakant
Last Updated: 03:58 PM, 5 August 2023
કેન્દ્ર સરકાર અને PM મોદીને તેમના ઉચ્ચ અધિકારીઓની ત્રિપુટીમાં અતૂટ વિશ્વાસ છે. અને એટલા માટે જ તેમણે હાલના સમયમાં સર્વિસ એક્સટેન્શન આપ્યું છે. આ માટે સરકાર સુપ્રીમ કોર્ટ સુધી લડવા તૈયાર થઈ ગઈ છે. આ અધિકારીઓએ છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રા, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા અને ગૃહ સચિવ અજય ભલ્લા. આ ત્રણેય અધિકારીઓની સેવામાં તાજેતરમાં જ વધારો કરવામાં આવ્યો છે.
સંજય કુમાર મિશ્રા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા સંજય કુમાર મિશ્રા 1984 બેચના ભારતીય મહેસૂલ સેવા અધિકારી છે. સંજય કુમાર મિશ્રાને ઑક્ટોબર 2018માં ત્રણ મહિના માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના વચગાળાના ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા. બાદમાં તેમને તપાસ એજન્સીની સંપૂર્ણ કમાન્ડ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે તેમનો કાર્યકાળ 18 નવેમ્બર 2023 સુધી એક વર્ષ માટે લંબાવ્યો હતો. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. તમને જણાવી દઈએ કે, તેઓ તેમની બેચના સૌથી યુવા અધિકારી હતા. સંજય મિશ્રાના કાર્યકાળ દરમિયાન અનેક હાઈ-પ્રોફાઈલ રાજકીય નેતાઓ સામે EDએ કાર્યવાહી કરી હતી. વિરોધ પક્ષોએ પણ તેમના નેતાઓને નિશાન બનાવવા માટે તપાસ એજન્સીનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે 11 જુલાઈએ તેમને આપવામાં આવેલ ત્રીજું એક્સટેન્શન અમાન્ય જાહેર કર્યું હતું. કોર્ટે તેમને 31 જુલાઈ 2023 સુધીમાં પદ છોડવાનો આદેશ આપ્યો હતો. બાદમાં કાર્યકાળ વધારવાની મંજૂરી આપવામાં આવી હતી.
રાજીવ ગૌબા
કેબિનેટ સચિવ રાજીવ ગૌબા ઝારખંડ કેડરના 1982 બેચના IAS અધિકારી છે. સરકારે તાજેતરમાં તેમને 30 ઓગસ્ટ, 2023 પછી એક વર્ષનું એક્સટેન્શન આપ્યું હતું. આ પોસ્ટમાં તેમને આપવામાં આવેલ આ ત્રીજું એક્સટેન્શન છે. ગૌબાને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019ના મુખ્ય આર્કિટેક્ટ માનવામાં આવે છે. તેમણે કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયમાં સચિવ અને ગૃહ મંત્રાલયમાં અધિક સચિવની જવાબદારીઓ ઉપરાંત અન્ય જવાબદારીઓ પણ નિભાવી હતી. પંજાબમાં જન્મેલા ગૌબાએ પટના યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. 2016માં કેન્દ્ર સરકારમાં સેવા આપતા પહેલા તેઓ 15 મહિના ઝારખંડમાં મુખ્ય સચિવ હતા. ત્રીજા વિસ્તરણની પૂર્ણાહુતિ સાથે તેઓ દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર કેબિનેટ સચિવ બની જશે. બી.ડી. પાંડે સૌથી લાંબા સમય સુધી કેબિનેટ સચિવ તરીકે સેવા આપી હતી. તેમનો કાર્યકાળ 2 નવેમ્બર 1972 થી 31 માર્ચ 1977 સુધી ચાલ્યો હતો.
અજય ભલ્લા
ગૃહ સચિવ અજય ભલ્લા આસામ-મેઘાલય કેડરના 1984 બેચના IAS અધિકારી છે. તેમને 2019માં ગૃહ સચિવ બનાવવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે, પીએમ મોદી અને અમિત શાહ બંનેને તેમનામાં પૂરો વિશ્વાસ છે. તેમણે ખાલિસ્તાનીઓ પર કાર્યવાહી, ગુંડાઓ પર દરોડા અને કાર્યવાહી જેવા અનેક મહત્વપૂર્ણ કાર્યોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમના કાર્યકાળ દરમિયાન જ મોદી સરકારે નાગરિકતા સંશોધન કાયદો પસાર કર્યો હતો. આ સિવાય કલમ 370 હટાવવાનો નિર્ણય પણ આ સમયગાળા દરમિયાન લેવામાં આવ્યો હતો. અજય ભલ્લાએ રામ મંદિર ટ્રસ્ટની રચનામાં પણ ભૂમિકા ભજવી છે. અજય ભલ્લા નવેમ્બર 2020માં જ નિવૃત્ત થવાના હતા, પરંતુ સરકારે તેમનો કાર્યકાળ ઓક્ટોબર 2020માં 22 ઓગસ્ટ, 2021 સુધી લંબાવ્યો હતો. આ પછી પણ તેને સતત બે વધુ એક્સટેન્શન મળ્યા છે. તેમનો કાર્યકાળ આ મહિને પૂરો થવાનો હતો.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat