બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / This is how PM Modi remembers the first death anniversary of veteran BJP leader Arun Jaitley.

શ્રદ્ધાંજલિ / ભાજપના દિગ્ગજ નેતા અરુણ જેટલીની પ્રથમ પુણ્યતિથિ, પીએમ મોદી આ રીતે કર્યા યાદ..

Published By: Nirav

Last Updated: 03:47 PM, 24 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીની આજે પ્રથમ પુણ્યતિથિ છે. બરાબર એક વર્ષ પહેલાં આ દિવસે, તેણે વિશ્વને અલવિદા કહ્યું હતું.  જેટલીની પ્રથમ પુણ્યતિથિ પર ભાજપના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

  • સ્વર્ગસ્થ ભાજપ નેતા અરુણ જેટલીની પ્રથમ પુણ્યતિથિ 
  • પીએમ મોદીએ તેમના દોસ્તને ટ્વિટ કરી કર્યા યાદ 
  • અમિત શાહ, જેપી નડ્ડા સહિતનાએ આપી શ્રદ્ધાંજલિ 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના ઘણા નેતાઓએ ટ્વીટ કરીને તેમને યાદ કર્યા. પીએમ મોદીએ કહ્યું કે, હું મારા મિત્રને ખૂબ જ યાદ કરું છું.

પીએમ મોદીએ આ રીતે કર્યા યાદ 

વડા પ્રધાન મોદીએ ટ્વિટ કર્યું, 'ગયા વર્ષે આ દિવસે આપણે શ્રી અરુણ જેટલીને ગુમાવ્યા. હું મારા મિત્રને ખૂબ જ યાદ કરું છું. અરુણજીએ ખંતથી ભારતની સેવા કરી. તેમની પાસે કુશાગ્ર બૌદ્ધિક ક્ષમતા, કાનૂની કુશળતા અને મહાન વ્યક્તિત્વ હતું. '

અમિત શાહે પણ પાઠવી શ્રદ્ધાંજલિ 
 
ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કર્યું હતું કે , "અરૂણ જેટલીજી એક ઉત્કૃષ્ટ રાજકારણી, એક સારા વક્તા અને એક મહાન માનવી હતા, જેમનું ભારતીય રાજકારણમાં કોઈ બીજું વ્યક્તિ સમાંતર થઈ શકે તેમ નથી.  તે મલ્ટીડાયમેન્શનલ અને મિત્રોના મિત્ર હતા.  તેમની વિશાળ વિરાસત, દૂરંદેશી દ્રષ્ટિ અને દેશ માટેનું ડીવોશન માટે તેમને હંમેશાં યાદ કરવામાં આવશે.''

જે પી નડ્ડાએ આવી રીતે કર્યા યાદ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કરીને જેટલીને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું, 'ભૂતપૂર્વ નાણાં પ્રધાન સ્વર્ગસ્થ પદ્મ ભૂષણ, અગ્રણી નેતા, વિચારક, પદ્મ ભૂષણથી સન્માનિત થયા. શ્રી અરુણ જેટલીની પ્રથમ પુણ્યતિથિ પર તેમને સલામ. રાષ્ટ્ર નિર્માણમાં જનકલ્યાણકારક નીતિઓ અને યોજનાઓમાં તેમનું ઉત્કૃષ્ટ યોગદાન હંમેશાં યાદ રહેશે.''

ભાજપના ટ્વિટર એકાઉન્ટથી પણ અપાઈ અંજલિ 

ભાજપે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને પૂર્વ કેન્દ્રીય પ્રધાનને યાદ કર્યા. ભાજપે ટ્વીટ કર્યું હતું કે ''પ્રતિષ્ઠિત વિદ્વાન, નિર્દેશક, વકીલ, વહીવટકર્તા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન પદ્મવિભૂષણ શ્રી અરૂણ જેટલીને તેમની પ્રથમ પુણ્યતિથિ પર હાર્દિક શ્રદ્ધાંજલિ. તેજસ્વી જ્ઞાન અને વિવિધ ક્ષેત્રમાં અનુકરણીય યોગદાનનો તેમનો વારસો ભાવિ પેઢીઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે''

જેટલીના મૃત્યુથી રાજકીય વિશ્વ સહિત દેશને આઘાત લાગ્યો હતો, કારણ કે તેઓ તેમના મૃત્યુના થોડા મહિના પહેલા રાજકારણમાં ખૂબ સક્રિય હતા. નાણામંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન દેશમાં gst ની શરૂઆત કરવામાં આવી હતી.
 


 

સંકળાયેલા મુદ્દાઓ

Arun Jaitley BJP PM modi amit shah j p nadda અમિત શાહ અરુણ જેટલી જે પી નડ્ડા પીએમ મોદી ભાજપ tribute

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ