બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:57 AM, 4 June 2026
ભારતીય ક્રિકેટ ટીમને અફઘાનિસ્તાન સામે 13 જૂનથી શરૂ થનારી 3 મેચોની વનડે સિરીઝ પહેલાં મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈજાના કારણે આ સિરીઝમાંથી બહાર થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિરાટ કોહલીને હેમસ્ટ્રિંગ ઈજા થઈ છે. આ ઈજાના કારણે તેઓ અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝમાં રમી શકશે નહીં. જોકે અત્યાર સુધી BCCI તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ADVERTISEMENT
વિરાટ કોહલી છેલ્લે IPL 2026ની ફાઇનલ મેચમાં રમ્યા હતા. તેમણે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) માટે શાનદાર બેટિંગ કરતાં અણનમ 75 રન બનાવ્યા હતા અને ટીમને બીજી વખત ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ફાઇનલ દરમિયાન તેઓ મેદાનમાં ફિઝિયોથી સારવાર લેતા પણ જોવા મળ્યા હતા. ઈજા ત્યારે થઈ હતી કે પછી ટ્રેનિંગ દરમિયાન થઈ હતી, તે અંગે હજુ સ્પષ્ટ માહિતી મળી નથી. કોહલી પહેલેથી જ અફઘાનિસ્તાન સામેની વનડે ટીમમાં પસંદ કરવામાં આવ્યા હતા. હવે જો તેઓ ખરેખર બહાર થાય છે તો BCCIને તેમના સ્થાને નવા ખેલાડીની જાહેરાત કરવી પડશે.
બીજી તરફ ટીમના કેપ્ટન રોહિત શર્માની ફિટનેસ અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. IPLના અંતિમ કેટલીક મેચોમાં તેઓ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમ્યા હતા અને કેટલીક મેચો ચૂકી પણ ગયા હતા.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ભારતીય ક્રિકેટમાં મોટો ભૂકંપ: સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ ટી-20 ની કેપ્ટનશીપ
ADVERTISEMENT
IPL 2026માં વિરાટ કોહલીએ RCB માટે ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. તેમણે 16 મેચોમાં કુલ 675 રન બનાવ્યા હતા, જેમાં એક સદી પણ સામેલ હતી. ફાઇનલમાં તેમની અણનમ 75 રનની ઇનિંગ્સ માટે તેમને "પ્લેયર ઓફ ધ મેચ" એવોર્ડ મળ્યો હતો. વિરાટ કોહલી હવે ટેસ્ટ અને ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. હાલમાં તેઓ માત્ર વનડે ક્રિકેટમાં જ ભારત માટે રમે છે. તેથી તેમના સિરીઝમાંથી બહાર થવાના સમાચાર ચાહકો માટે નિરાશાજનક છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.