બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:15 AM, 4 June 2026
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ - ના રોજ ગુજરાતના સુરતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન, તેઓ દક્ષિણ ગુજરાત ક્ષેત્રને 12,421 કરોડના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ સમર્પિત કરશે. પીએમ મોદી વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના બે પેકેજનું ઉદ્ઘાટન કરશે અને ચાર અન્ય મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે.
ADVERTISEMENT
આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં કનેક્ટિવિટી વધારશે અને સ્થાનિક આર્થિક વિકાસને પણ વેગ આપશે. વડાપ્રધાન વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના 36 કિલોમીટર લાંબા કિમ-એના સેક્શન (પેકેજ 6) અને 27.50 કિલોમીટર લાંબા ગાંડેવા-એના સેક્શન (પેકેજ 7) રાષ્ટ્રને સમર્પિત કરશે. આ બે પેકેજો 7,689 કરોડ રુપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા છે.
આ બે પેકેજોમાં મુખ્ય પુલ, નાના પુલ, રેલ-રોડ પુલ, ફ્લાયઓવર અને વાહન અંડરપાસ (VUPs)નું એક વ્યાપક નેટવર્ક વિકસાવવામાં આવ્યું છે. સ્થાનિક રહેવાસીઓની સુવિધા માટે, આ બે પેકેજોમાં કુલ 70 અંડરપાસ અને 2 ઇન્ટરચેન્જ બનાવવામાં આવ્યા છે. આ 8-લેન રોડના કાર્યરત થવાથી પ્રદેશમાં કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને ઝડપી પરિવહન સક્ષમ બનશે. ડ્રાઇવરોની સલામતી અને સુવિધા વધારવા માટે, આ બે પેકેજો સાથે કુલ 7 સુસજ્જ આરામ વિસ્તારો સ્થાપિત કરવામાં આવશે.
ADVERTISEMENT
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર આ બે પેકેજોના કાર્યરત થવાથી માલસામાનની અવરજવર વધુ ઝડપી બનશે અને ભારતમાલા પરિયોજનાના ઉદ્દેશ્યોને અનુરૂપ, સ્થાનિક ઉદ્યોગો માટે લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવામાં મદદ મળશે.
આ ઉપરાંત નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા 4,732 કરોડ રુપિયાના ખર્ચે ચાર વધારાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરવામાં આવશે, જેમાં ધમસિયાથી બિટાડા/મોવી સુધી NH-56 (પેકેજ 4) નું ચાર-લેનિંગ, નસરપુરથી માલોથા સુધી NH-56 (પેકેજ 6) નું ચાર-લેનિંગ, અને સુરત-હઝીરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-53) પર રિલાયન્સ ખાતે છ-લેનનો VUP (વ્હીકલ અંડરપાસ) અને કવાસ ખાતે VUP-કમ-ફ્લાયઓવરનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ગુજરાતમાં NH-56 ના અપગ્રેડેશન હેઠળ, ધમસિયા-બિટડા અને નસરપુર-માલોથા વિભાગોને ચાર-લેન રસ્તાઓમાં રૂપાંતરિત કરવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પ્રદેશના આદિવાસી જિલ્લાઓ (નર્મદા, તાપી, વલસાડ અને છોટા ઉદેપુર) સાથે જોડાણ વધશે. ખેડૂતો, ઉદ્યોગો અને વેપાર માર્ગોને જોડીને, આ ચાર-લેન રસ્તાઓ સ્થાનિક વિકાસમાં યોગદાન આપશે. 107.67 કિલોમીટરની લંબાઈ ધરાવતા આ ફોર લેન રસ્તાના નિર્માણથી મુસાફરીનો સમય 40 મિનિટ સુધી ઘટશે, જ્યારે સરેરાશ ગતિ 75 ટકા વધવાની ધારણા છે. આ ચાર-માર્ગીય રસ્તો ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ક્લસ્ટર, માછીમારી અને સીફૂડ ક્લસ્ટર, પ્રદેશના આદિવાસી જિલ્લાઓ અને લોજિસ્ટિક્સ નોડ્સ (એક એરપોર્ટ, બે રેલ્વે સ્ટેશન અને બે બંદરો સહિત) ને જોડશે.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ 53 ના હજીરા બંદર-સુરત વિભાગ પર આશરે 149 કરોડ રુપિયાના બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવશે. નવા 6-લેન ફ્લાયઓવર અને અંડરપાસના નિર્માણથી હજીરા બંદર અને ઔદ્યોગિક ઝોનમાં ભારે માલવાહક વાહનોની અવરોધમુક્ત અને ઝડપી અવરજવર સુનિશ્ચિત થશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ પાંચમા પગાર પંચના કર્મચારીઓ માટે રાજ્ય સરકારનું મોટું એલાન, DAમાં વધારો, એરિયર્સ પણ મળશે
આનાથી સુરતના સ્થાનિક રહેવાસીઓ માટે સલામત અને ભીડ-મુક્ત મુસાફરી સરળ બનશે, સાથે સાથે દરિયાઈ વેપાર અને ઔદ્યોગિક વિકાસને પણ ટેકો મળશે. આ ફ્લાયઓવર અને અંડરપાસના નિર્માણથી હજીરા બંદર નજીક આવેલા ભારે ઔદ્યોગિક ક્ષેત્રમાં ભીડ ઓછી થશે અને સરળ પરિવહન સુનિશ્ચિત થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.