બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / This is a cause of painful death, all tobacco products will have such a warning written with a new photo
Priyakant
Last Updated: 03:17 PM, 29 July 2022
કેન્દ્ર સરકારે કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું મોટું કારણ બની રહેલા તમાકુ ઉત્પાદનો સામે જાગૃતિ લાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. વિગતો મુજબ હવે 1 ડિસેમ્બર, 2022 ના રોજ અથવા તે પછી દેશમાં ઉત્પાદિત, આયાત અથવા પેકેજ્ડ તમાકુ ઉત્પાદનો માટે નવી ચેતવણી હશે. તમાકુ ઉત્પાદનોના પેક પર નવી ચેતવણી લખવામાં આવશે કે 'તમાકુ પીડાદાયક મૃત્યુનું કારણ બને છે'. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 1 ડિસેમ્બર, 2022 થી તમાકુમાંથી ઉત્પાદિત ઉત્પાદનોના પેક પર એક નવું ચિત્ર પ્રકાશિત કરવા માટે સૂચના આપી છે. આ નિયમ એક વર્ષ માટે માન્ય રહેશે.
શું કહ્યું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ?
કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નોટિફિકેશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આગામી વર્ષ માટે 1 ડિસેમ્બર, 2023 ના રોજ અથવા તે પછી ઉત્પાદિત અથવા આયાત કરાયેલ અથવા પેકેજ્ડ તમાકુ ઉત્પાદનો પર સ્વાસ્થ્ય ચેતવણી સાથેનું ચિત્ર પ્રદર્શિત કરવામાં આવશે. તેના પર ચેતવણી તરીકે લખવામાં આવશે, 'તમાકુનો ઉપયોગ કરનારાઓ નાની ઉંમરે મૃત્યુ પામે છે.'
મંત્રાલયે 21 જુલાઈના રોજ સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો (પેકેજિંગ અને લેબલિંગ) નિયમો, 2008માં સુધારો કર્યો છે. તદનુસાર નવી આરોગ્ય ચેતવણીઓ અંગે આ સૂચના જારી કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો (પેકેજિંગ અને લેબલિંગ) ત્રીજા સુધારા નિયમો, 2022 હેઠળના સુધારેલા નિયમો 1 ડિસેમ્બર, 2022થી અમલમાં આવશે. આ સૂચના આ વેબસાઇટ્સ http://www.mohfw.gov.in"www.mohfw.gov.in અને http://ntcp.nhp.gov.in"ntcp.nhp.gov પર 19 ભાષાઓમાં ઉપલબ્ધ છે.
નિયમોનું ઉલ્લંઘન સજાપાત્ર ગુનો ગણાશે
સરકારે કહ્યું કે, આ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન સજાપાત્ર ગુનો હશે. તે સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો (જાહેરાત અને વેપાર અને વાણિજ્ય, ઉત્પાદન, પુરવઠા અને વિતરણનું નિયમન) અધિનિયમ, 2003 ની કલમ 20 હેઠળ કેદ અથવા દંડની જોગવાઈ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime