બ્રેકિંગ ન્યુઝ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
Malay
Last Updated: 09:03 AM, 28 January 2023
સુરતીઓ માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દરરોજ સાંજે સુરતથી દિલ્હી માટે ઉડાન ભરતી એર ઇન્ડિયાની ફ્લાઇટ માર્ચ મહિનાથી બંધ થવા જઈ રહી છે. વર્ષ 2015થી રોજિંદા ધોરણે સાંજે ઓપરેટ થતી એર ઇન્ડિયાની સુરત-દિલ્હી ફ્લાઇટ A-1 489-490નું બુકિંગ 8 માર્ચથી બંધ કરાયું છે. એર ઇન્ડિયાની આ ફ્લાઇટને શિડયુલ અને મર્જરના કારણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, ગત ડિસેમ્બર મહિનામાં સુરતથી દિલ્હી માટે દરરોજ સવારે ઉડાન ભરતી ફ્લાઇટ બંધ થઈ ગઈ છે.
શિડયુલ અને મર્જરના કારણે લેવાયો નિર્ણય
એવું કહેવામાં આવી રહ્યું છે, શિડયુલ અને મર્જરના કારણે ફ્લાઈટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિડયુલ અને મર્જરની પ્રક્રિયા પૂરી થયા બાદ ફ્લાઈટ ફરી શરૂ કરાશે. સુરતમાં એર ઇન્ડિયાની સાંજની દિલ્હીની ફ્લાઈટ માર્ચથી થોડા મહિનાઓ માટે જ બંધ કરાશે. નોંધનીય છે કે, હાલ એર ઇન્ડિયા, એર એશિયા ઇન્ડિયા, વિસ્તારા અને એર ઇન્ડિયા એક્સપ્રેસનું મર્જર થયું છે.
ઘણા લોકોને મુશ્કેલી પડશે
ફ્લાઇટના બંધ થયા બાદ ઘણા લોકોને મુશ્કેલી પડશે. કારણ કે આ બંને ફ્લાઈટ સવારે અને રાતે દિલ્હીથી સિંગલ પીએનઆર ટિકિટ પર ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી મેળવવા માટે મહત્વની હતી. સુરતનાં જે પ્રવાસી દિલ્હી પહોંચી ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશનની ફ્લાઈટ પકડવા માંગતા હતાં, એમને હવે દિલ્હી વહેલા પહોંચી ઇન્ટરનેશનલ ફ્લાઈટ પકડવાની ઝંઝટમાંથી પસાર થવું પડશે.
ઓક્ટોબર 2015 કરાઈ હતી શરૂ
સુરતીઓને દેશના અન્ય રાજ્યોના શહેરો સાથે કનેક્ટિવિટીની માંગે જોર પકડતા ઓક્ટોબર 2015માં એર ઇન્ડિયાની દિલ્હી-સુરત-દિલ્હી ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ રોજિંદા ધોરણે સાંજે ઓપરેટ થાય છે. 2015માં ફ્લાઈટ શરૂ કરવા માટે સી.આર.પાટીલે રૂ.3 કરોડની બેંક ગેરેન્ટી જમા કરાવી હતી.
સુરત એરપોર્ટ પર મુસાફરોનો ધરખમ ઘટાડો
સુરત એરપોર્ટથી મુસાફરી કરનારા પેસેન્જરોનો આંકડો બહાર પાડવામાં આવતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. વર્ષ-2021ની સરખામણીમાં 2022માં પેસેન્જરોની સંખ્યામાં 23 ટકાનો ઘટાડો નોંધાયો છે. વર્ષ-2021માં નવેમ્બર મહિનામાં સુરત એરપોર્ટ ઉપરથી 1,23,346 લોકોએ મુસાફરી કરી હતી. જ્યારે વર્ષ 2022માં નવેમ્બર મહિનામાં માત્ર 94,008 લોકોએ જ મુસાફરી કરી છે. એટલે કે 2021ની સરખામણીમાં 2022માં મુસાફરોની સંખ્યામાં 23.8 ટકાનો ઘટાડો નોંધાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh