બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Pooja Khunti
Last Updated: 11:00 AM, 23 February 2024
આજે વ્રતાદી પૂનમ છે. આ વખતે માઘ મહિનામાં 2 પૂનમ છે. જ્યારે 2 પૂનમ હોય છે ત્યારે પ્રથમ દિવસે વ્રતાદી પૂનમ અને બીજા દિવસે સ્નાનદાનની પૂનમ ઉજવવામાં આવે છે. જે દિવસે ચંદ્રનો સંપૂર ઉદય થાય છે તે દિવસે વ્રતાદી પૂનમ ઉજવવામાં આવે છે. પૂનમના દિવસે સૂર્યોદયના સમયે સ્નાન અને દાનનું મહત્વ છે. આજે વ્રતાદી પૂનમ અને કાલે સ્નાનદાન ની પૂનમ ઉજવવામાં આવશે. લોકોમાં એવી માન્યતા છે કે પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ ગંગાજળમાં નિવાસ કરે છે. પૂનમના દિવસે વહેલા સવારે સ્નાન કર્યા પછી તલ, ગોળ, કપાસ, ઘી, ફળ, અનાજ અને વસ્ત્રોનું દાન આપવું જોઈએ. આ સાથે જે વ્યક્તિને જરૂરિયાત હોય તેને ભોજન કરાવવું જોઈએ. શાસ્ત્રોમાં આ દિવસે પ્રયાગરાજમાં સ્નાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.
માતા લક્ષ્મી પાસેથી શુભ ફળની પ્રાપ્તિ માટે આ ઉપાયો કરવા જોઈએ
માતા લક્ષ્મીનો ફોટો
તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે તે માટે તમારે બજારમાંથી કમળ પર બિરાજમાન માતા લક્ષ્મીનો ફોટો ઘરે લઈ આવવો જોઈએ. આ ફોટાને તમારા મંદિરમાં સ્થાપિત કરો. હવે માતા લક્ષ્મીને ફૂલ અર્પણ કરો.
એક રૂપિયાનો સિક્કો
તમારા સૌભાગ્યને વધારવા માટે એક રૂપિયાનો સિક્કો લો અને તેને માતા લક્ષ્મી સામે રાખી દો. હવે માતા લક્ષ્મીની પૂજા કરો અને ત્યારબાદ આ સિક્કાની પણ એ જ રીતે પૂજા કરો. હવે આ સિક્કાને આખો દિવસ મંદિરમાં રહેવા દો. બીજા દિવસે આ સિક્કાને લાલ કપડામાં લપેટી તમારી પાસે રાખી લો.
સ્વાસ્થ્ય
તમારું સ્વાસ્થ્ય સારું રહે તે માટે માતા લક્ષ્મીને શંખ અર્પણ કરો. આ સાથે માતા લક્ષ્મીને ઘી અને મખાનાનો ભોગ પણ લગાવો.
ધનલાભ
તમારી આર્થિક સ્થિતિ સારી રહે તે માટે તમારે એક માટીના નાના કળશમાં ચોખા ભરી તેના પર એક રૂપીયાનો સિક્કો અને હળદરની ગાંઠ રાખવી જોઈએ. હવે તેને બંધ કરી માતા લક્ષ્મીના આશીર્વાદ લીધા પછી મંદિરના પૂજારીને આ કળશ દાનમાં આપી દેવો જોઈએ.
વાંચવા જેવું: ગમે તેટલી મહેનત કરી લો, આ બે લોકોથી હંમેશા નારાજ રહે છે માતા લક્ષ્મી
વ્યવસાય
તમે તમારા વ્યવસાય-ધંધામાં લાભ મેળવવા માંગતા હોય તો સવારે વહેલા સ્નાન કર્યા બાદ માતા લક્ષ્મીના મંત્રનો જાપ કરો. મંત્ર છે- 'ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः'. તમારે 11 વાર આ મંત્રનો જાપ કરવાનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો