બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / These remedies should be done to get auspicious results from Mother Lakshmi

આસ્થા / આજના દિવસે કરી લો આ ખાસ કાર્ય, લક્ષ્મી આવશે સામેથી ચાલ્લો કરવા, બની રહ્યો છે અદભુત સંયોગ

Published By: Sanjay Vibhakar

Last Updated: 11:00 AM, 23 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂનમના દિવસે વહેલા સવારે સ્નાન કર્યા પછી તલ, ગોળ, કપાસ, ઘી, ફળ, અનાજ અને વસ્ત્રોનું દાન આપવું જોઈએ. આ સાથે જે વ્યક્તિને જરૂરિયાત હોય તેને ભોજન કરાવવું જોઈએ.

આજે વ્રતાદી પૂનમ છે. આ વખતે માઘ મહિનામાં 2 પૂનમ છે. જ્યારે 2 પૂનમ હોય છે ત્યારે પ્રથમ દિવસે વ્રતાદી પૂનમ અને બીજા દિવસે સ્નાનદાનની પૂનમ ઉજવવામાં આવે છે. જે દિવસે ચંદ્રનો સંપૂર ઉદય થાય છે તે દિવસે વ્રતાદી પૂનમ ઉજવવામાં આવે છે. પૂનમના દિવસે સૂર્યોદયના સમયે સ્નાન અને દાનનું મહત્વ છે. આજે વ્રતાદી પૂનમ અને કાલે સ્નાનદાન ની પૂનમ ઉજવવામાં આવશે. લોકોમાં એવી માન્યતા છે કે પૂનમના દિવસે ભગવાન વિષ્ણુ ગંગાજળમાં નિવાસ કરે છે. પૂનમના દિવસે વહેલા સવારે સ્નાન કર્યા પછી તલ, ગોળ, કપાસ, ઘી, ફળ, અનાજ અને વસ્ત્રોનું દાન આપવું જોઈએ. આ સાથે જે વ્યક્તિને જરૂરિયાત હોય તેને ભોજન કરાવવું જોઈએ. શાસ્ત્રોમાં આ દિવસે પ્રયાગરાજમાં સ્નાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. 

માતા લક્ષ્મી પાસેથી શુભ ફળની પ્રાપ્તિ માટે આ ઉપાયો કરવા જોઈએ 

માતા લક્ષ્મીનો ફોટો 
તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે તે માટે તમારે બજારમાંથી કમળ પર બિરાજમાન માતા લક્ષ્મીનો ફોટો ઘરે લઈ આવવો જોઈએ. આ ફોટાને તમારા મંદિરમાં સ્થાપિત કરો. હવે માતા લક્ષ્મીને ફૂલ અર્પણ કરો. 

એક રૂપિયાનો સિક્કો 
તમારા સૌભાગ્યને વધારવા માટે એક રૂપિયાનો સિક્કો લો અને તેને માતા લક્ષ્મી સામે રાખી દો. હવે માતા લક્ષ્મીની પૂજા કરો અને ત્યારબાદ આ સિક્કાની પણ એ જ રીતે પૂજા કરો. હવે આ સિક્કાને આખો દિવસ મંદિરમાં રહેવા દો. બીજા દિવસે આ સિક્કાને લાલ કપડામાં લપેટી તમારી પાસે રાખી લો. 

સ્વાસ્થ્ય 
તમારું સ્વાસ્થ્ય સારું રહે તે માટે માતા લક્ષ્મીને શંખ અર્પણ કરો. આ સાથે માતા લક્ષ્મીને ઘી અને મખાનાનો ભોગ પણ લગાવો. 

ધનલાભ 
તમારી આર્થિક સ્થિતિ સારી રહે તે માટે તમારે એક માટીના નાના કળશમાં ચોખા ભરી તેના પર એક રૂપીયાનો સિક્કો અને હળદરની ગાંઠ રાખવી જોઈએ. હવે તેને બંધ કરી માતા લક્ષ્મીના આશીર્વાદ લીધા પછી મંદિરના પૂજારીને આ કળશ દાનમાં આપી દેવો જોઈએ.   

વાંચવા જેવું: ગમે તેટલી મહેનત કરી લો, આ બે લોકોથી હંમેશા નારાજ રહે છે માતા લક્ષ્મી

વ્યવસાય 
તમે તમારા વ્યવસાય-ધંધામાં લાભ મેળવવા માંગતા હોય તો સવારે વહેલા સ્નાન કર્યા બાદ માતા લક્ષ્મીના મંત્રનો જાપ કરો. મંત્ર છે- 'ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः'. તમારે 11 વાર આ મંત્રનો જાપ કરવાનો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Lord Lakshmi ધનલાભ પૂનમ માતા લક્ષ્મી સ્નાન-દાન Astrology

Published by

Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ