બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / These 5 Winter Mistakes Cause Constipation, Quit It Today
Pooja Khunti
Last Updated: 03:31 PM, 15 December 2023
શિયાળામાં ભૂખ વધુ લાગે છે અને તળેલાં પદાર્થ ખાવાની પણ ઈચ્છા થાય છે. જેના કારણે આગળ જતાં પાચનને લગતી સમસ્યાઓ વધી જાય છે. શિયાળામાં તરસ ખૂબજ ઓછી લાગે છે. જેના કારણે શરીર ડિહાઇડ્રેટ થઈ શકે છે. શિયાળામાં ઠંડીનાં કારણે કસરત કરવાનું પણ ઓછું થઈ જાય છે. જેનાં કારણે પેટની સમસ્યાઓ વધી જાય છે. ડિહાઈડ્રેશન અને કસરત ન કરવાનાં કારણે શૌચ કરવામાં તકલીફ થઈ શકે છે. જેથી આગળ જતાં કબજિયાતની સમસ્યા થાય છે.
ડીહાઈડ્રેશન
શિયાળામાં તરસ ખૂબ જ ઓછી લાગે છે. જેના કારણે શરીરમાં પાણીની કમી થઈ જાય છે. એક સ્વસ્થ પાચન તંત્ર માટે પૂરતું પાણી પીવું ખૂબજ જરૂરી છે. પાણીનાં ઓછા પ્રમાણમાં સેવનથી મળ સખ્ત બને છે. જેના કારણે કબજિયાતની સમસ્યા થઈ શકે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવાં દિવસમાં 2 થી 3 લિટર પાણીનું સેવન કરવું જોઈએ.
ફાયબરનું સેવન ઓછી માત્રામાં થવાથી
શિયાળામાં ઘણાં એવાં ખોરાકનું સેવન કરવામાં આવે છે જેની અંદર ફાયબરનું પ્રમાણ ઓછું હોય છે. ફાયબરનું સેવન ઓછા પ્રમાણમાં થવાથી કબજિયાતની સમસ્યા થાય છે. ફાયબરનાં સેવનથી મળ નરમ બને છે અને પેટ સાફ રહે છે. શિયાળામાં ફાયબરનું સેવન કરવાં માટે અનાજ, ફળ અને શાકભાજી ખાવા જોઈએ.
શારીરિક પ્રવૃતિનો અભાવ
શિયાળામાં લોકો ઘરની બહાર જવાનું ટાળે છે. જેના કારણે શારીરિક પ્રવૃતિ ઓછી થઈ જાય છે. શારીરિક પ્રવૃતિ પાચન તંત્રને ઉત્તેજિત કરે છે અને કબજિયાત અટકાવવામાં મદદરૂપ થાય છે. નિયમિત રીતે મળ ત્યાગ માટે તમારી દિનચર્યામાં ઇન્ડોર કસરત અથવા પ્રવૃતિને સામેલ કરો.
ચા-કોફીનું વધુ પડતું સેવન
શિયાળામાં ઘણાં લોકો શરીરને ગરમ રાખવાં માટે ચા, કોફી અને હોટ ચોકલેટ જેવાં ગરમ પીણાંનું સેવન વધુ માત્રામાં કરતાં હોય છે. આ બધી જ વસ્તુઓનાં સેવનથી શરીરમાં ડીહાઈડ્રેશનનું પ્રમાણ વધી જાય છે. જે કબજિયાતની સમસ્યાને વધારી શકે છે. કબજિયાતની સમસ્યાથી બચવા માટે ચા-કોફીનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ.
પ્રોસેસ્ડ ફૂડનું વધુ પડતું સેવન
પ્રોસેસ્ડ ફૂડ શરીર માટે હાનિકારક છે. તેને પાચન થતાં પણ વાર લાગે છે. જેના કારણે પેટમાં કબજિયાતની સમસ્યા થઈ શકે છે. એટલાં માટે શિયાળામાં પ્રોસેસ્ડ ફૂડનાં સેવનથી બચવું જોઈએ. પ્રોસેસ્ડ ફૂડનાં સેવનથી કબજિયાતની સાથે અપચ અને ગેસ પણ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime