શનિ દેવ ધનતેરસના દિવસે માર્ગી થઇ રહ્યા છે, જેથી 5 રાશિના જાતકોને લાભ થશે.
ધનતેરસનાં દિવસે શનિદેવ થઇ રહ્યા છે માર્ગી
5 રાશિના જાતકોને થશે અઢળક ધનલાભ
શનિદેવ આપશે સુખ સમૃદ્ધિનાં આશીર્વાદ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પ્રત્યેક ગ્રહ સમય સમય પર પોતાની ચાલ બદલતા રહે છે. તેમના ચાલ બદલવાની અસર બધી જ 12 રાશિઓ પર પડે છે. અમુક રાશિઓનાં જાતકોને ફાયદો થાય છે તો અમુક જાતકોને નુકસાન. હવે શનિદેવ 23 ઓક્ટોબરના રોજ એટલે કે ધનતેરસનાં દિવસે માર્ગી થઇ રહ્યા છે. તેમના ધનતેરસ પર માર્ગી થવાથી 4 રાશિઓનાં જાતકોને અપાર લાભ થવા જઈ રહ્યો છે. આવો જાણીએ કઈ કઈ છે આ ભાગ્યશાળી 4 રાશિઓ.
વૃશ્ચિક રાશિ
આ રાશિના લોકો માટે શનિ દેવનું માર્ગી થવું મોટા ખુશખબર લઈને આવશે. જાતકોની કમાણીમાં વધારો થશે અને કારોબાર સાથે જોડાયેલી યોજનાઓ પણ સફળ થશે. ભાઈ-બહેનોનો પૂરો સાથ મળશે. આ સમયગાળામાં તમને વાહન સુખની પણ પ્રાપ્તિ થઇ શકે છે.
સિંહ રાશિ
આ રાશિનાં જાતકો માટે શનિનું માર્ગી થવું અત્યંત શુભ માનવામાં આવે છે. આ દરમિયાન તેમને પોતાની કરિયરમાં સફળતા મળવાની સંભાવના છે અને નોકરીના નવા અવસરો પણ પ્રાપ્ત થઇ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને કમાણીનાં સાધનો પણ વધશે, પણ તેમણે પોતાના ખર્ચાઓ પર કંટ્રોલ રાખવાની જરૂર છે.
મીન રાશી
આ રાશિનાં જાતકોને શનિદેવના આશીર્વાદ મળશે. તેમના લાંબા સમયથી અટકાયેલા કામ પૂરા થશે. શનિનાં શુભ પ્રભાવને કારણે નોકરીમાં ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશન મળી શકે છે. પરિવાર સહિત બહાર જવાના યોગ બની રહ્યા છે.
મેષ રાશિ
ધનતેરસ પર શનિ ગ્રહની ચાલ બદલવા પર આ રાશિનાં જાતકોની કિસ્મત ચમકી જશે. તેમને કારોબારમાં પ્રગતિ થશે અને નવા સોદાઓ પણ મળશે. કોર્ટ-કચેરીથી મુક્તિ મળી જશે. બાળકોનું ભણતર પણ સુધરશે.
તુલા રાશિ
તુલા રાશિનાં જાતકો માટે શનિ દેવનાં માર્ગી થવાથી આકસ્મિક ધનલાભનાં યોગ બની રહ્યા છે. તમે કોઈ નવું વાહન સંપત્તિ ખરીદી શકો છો. કોઈ કંપનીમાં રોકાણ પણ કરી શકો છો. સોનાની ખરીદી માટે પણ આ શુભ સમય રહેશે.