બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ભારત / Politics / The results of mizoram election will come on this dates, know why the date was changed at the last minute
ADVERTISEMENT
મિઝોરમમાં થયેલ વિધાનસભા ચૂંટણી 2023 માટે મતગણતરીની તારીખને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતના ચૂંટણી પંચે શુક્રવારે મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે મત ગણતરીની તારીખ બદલીને 4 ડિસેમ્બર કરી છે. અગાઉ મતગણતરી રવિવાર 3 ડિસેમ્બરે થવાની હતી. ચૂંટણી પંચે કહ્યું કે તારીખ બદલવાની માંગને ધ્યાનમાં રાખીને હવે મતગણતરી 4 ડિસેમ્બરે થશે.
Election Commission of India revised the date of counting for the General Election to the Legislative Assembly of Mizoram from 3rd December, 2023 (Sunday) to 4th December, 2023 (Monday) on the ground that 3rd December, 2023 being Sunday, a special significance for the people of… pic.twitter.com/vJFyjhIGiu
— Kiren Rijiju (@KirenRijiju) December 1, 2023
ADVERTISEMENT
તારીખ કેમ બદલાઈ?
ચૂંટણી પંચ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે મિઝોરમમાં મત ગણતરીની તારીખ બદલવા માટે ઘણી વિનંતીઓ કરવામાં આવી હતી. આ અરજીઓ પર વિચાર કર્યા બાદ ચૂંટણી પંચે મતગણતરી તારીખ બદલવાનો નિર્ણય કર્યો હતો. હકીકતમાં મિઝોરમમાં મતદાન પહેલા જ મતગણતરીની તારીખ બદલવાની માંગ કરવામાં આવી હતી. તેનું કારણ એ હતું કે 3જી ડિસેમ્બર રવિવાર હતો.
ADVERTISEMENT
વાસ્તવમાં મિઝોરમ માટે રવિવાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિઝોરમમાં, 87 ટકાથી વધુ વસ્તી ખ્રિસ્તી ધર્મને અનુસરે છે. ખ્રિસ્તી ધર્મના લોકો માટે રવિવારને ધાર્મિક દિવસ માનવામાં આવે છે. આ દિવસે, મિઝોરમના ગામડાઓ અને શહેરોમાં ચર્ચ સેવાઓ હાથ ધરવામાં આવે છે. સાદી ભાષામાં, આ દિવસે ખ્રિસ્તી લોકો તેમનો દિવસ ભગવાનને સમર્પિત કરે છે.
Political parties in the fray in the Mizoram elections had asked for counting there to be shifted from Sunday, December 3rd to Monday, December 4th. Representations were made over a month ago, but the ECI remained silent. A little while earlier, it has shifted the date. Why the…
— Jairam Ramesh (@Jairam_Ramesh) December 1, 2023
ADVERTISEMENT
આથી મતગણતરી તારીખ બદલવાની માંગ ઉઠી હતી. ભાજપ, કોંગ્રેસ અને શાસક એમએનએફ સહિત તમામ રાજકીય પક્ષો આ માંગ સાથે સંમત થયા હતા. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પંચને પત્રો પણ લખ્યા હતા. પત્રમાં લખવામાં આવ્યું છે કે મિઝોરમમાં રવિવારે કોઈ સત્તાવાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી. તેમાં રાજકીય પક્ષો ઉપરાંત એનજીઓના પ્રમુખોની પણ સહી હતી. તમને જણાવી દઈએ કે મિઝોરમ વિધાનસભામાં 40 સીટો છે. અહીં 7 નવેમ્બરે મતદાન થયું હતું. આ વખતે રાજ્યમાં કુલ 78.40 ટકા મતદાન થયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.