બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / The effect of this simple remedy for muscle pain in winter will be visible immediately
Pooja Khunti
Last Updated: 01:07 PM, 22 December 2023
શિયાળાની ઋતુ લોકો માટે પીડાદાયક હોય છે. ઘણા લોકોને સ્નાયુ અને કરોડ રજ્જુનો દુ:ખાવો વધી જાય છે. આ સમસ્યા ખાસ કરીને સ્ત્રીઓ અને વૃદ્ધ લોકોમાં વધુ જોવા મળે છે. આ અસહ્ય દુ:ખાવાથી રાહત મેળવવા માટે તમે કેટલાક સરળ ઉપાય અપનાવી શકો.
સ્નાયુનાં દુ:ખાવાનું મુખ્ય કારણ
શિયાળામાં સ્નાયુ અને સાંધાનો દુ:ખાવો વધી જાય છે. તેનું એક કારણ છે સ્નાયુઓનું સંકોચન. સંકોચનનાં કારણે સ્નાયુઓ સખત થઈ જાય છે. જેના કારણે સ્નાયુઓનો દુ:ખાવો વધી જાય છે. આ સાથે શિયાળામાં શરીરમાં રક્ત પરિભ્રમણ ધીમું પડી જાય છે. આ સાથે લોકો શિયાળામાં હલન-ચલન પણ ઓછું કરી દે છે. જેના કારણે સ્નાયુઓ અને સાંધાનો દુ:ખાવો વધી જાય છે.
સ્ટ્રેચિંગની મદદથી સમસ્યા દૂર કરો
જો તમને સ્નાયુનો દુ:ખાવો થતો હોય તો તમારે સ્ટ્રેચિંગ અને કસરત કરવી જોઈએ. જેના કારણે રક્ત પરિભ્રમણ વધી જશે, સ્નાયુઓને આરામ મળશે અને દુ:ખાવો દૂર થસે.
વજન પર નિયંત્રણ રાખો
શિયાળાની ઋતુમાં લોકોનો વજન વધી જાય છે. કારણકે આ ઋતુમાં લોકો તળેલું, ઘી વાળું અને મીઠી વસ્તુ વધુ પ્રમાણમાં ખાવું પસંદ કરે છે. જેની સીધી અસર તમારા વજન પર થાય છે. વજનનો પ્રભાવ સીધો સ્નાયુઓ પર પડે છે. જેના કારણે દુ:ખાવો વધી જાય છે. તેથી તમારે તમારા આહારમાં ઓછા ફેટવાળી વસ્તુનું સેવન કરવું જોઈએ. આ સામે તમે લીલા શાકભાજી, ફળો, વગેરે હેલ્ધી વસ્તુઓનું સેવન કરી શકો. વધુ માત્રામાં પાણીનું સેવન કરવું જોઈએ. હુંફાળું પાણી પીવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી રક્ત પરિભ્રમણ સુધરે.
ઘરેલુ ઉપાય પણ અસરકારક
સ્નાયુ અને સાંધાનાં દુ:ખાવાને ઓછો કરવા માટે તમે ઘરેલુ ઉપાય કરી શકો છો. નિયમિત રીતે રાયનાં તેલનું માલિશ કરો. આ તેલને ગરમ કરતી વખતે તેમાં 5/6 લસણની કળી ઉમેરો. ત્યારબાદ આ તેલથી સાંધા પર માલિશ કરો. નિયમિત રીતે પાણી સાથે 2/3 લસણની કળી ખાવાથી તમને દુ:ખાવામાં રાહત થશે. 2/3 ચમચી હળદર લો અને તેમાં નાળિયેર તેલ ઉમેરી મિક્સ કરી લો. આ પેસ્ટને સાંધાનાં ભાગ પર માલિશ કરવાથી દુ:ખાવામાં રાહત થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime