બ્રેકિંગ ન્યુઝ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
VTV / મનોરંજન / Tarak Mehta Ka Oolta Chashma sitcom is in the limelight these days due to controversies, its content and TRPs Priya Ahuja famous as Rita Reporter has taken a dig at her
Pravin Joshi
Last Updated: 07:48 PM, 26 July 2023
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિટકોમ આજકાલ વિવાદો, તેના કન્ટેન્ટ અને ટીઆરપીને કારણે વધુ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ રોશનની ભાભીનું પાત્ર ભજવતી જેનિફર મિસ્ત્રીએ શોના નિર્માતા અસિત મોદી પર ગંભીર આરોપો લગાવ્યા હતા. રીટા રિપોર્ટરના નામથી ફેમસ પ્રિયા આહુજાએ તેના પર કટાક્ષ કર્યો છે. પ્રિયાએ અસિતને 'સેડિસ્ટ' એટલે કે બીજાના દુઃખમાં આનંદ લેનાર વ્યક્તિ ગણાવ્યો છે.
નિર્માતા પર લગાવ્યા આરોપો
પ્રિયા આહુજા તારક મહેતા શોના ડિરેક્ટર માલવ રાજદાની પત્ની છે. તેણે પ્રેગ્નન્સીને કારણે થોડા સમય માટે સિરિયલને અલવિદા કહી દીધું. અભિનેત્રીનું કહેવું છે કે તે પછી તેણે અસિતનો ઘણી વખત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને ટીમ તરફથી કોઈ જવાબ મળ્યો નહીં. એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રિયાએ અસિત અને તેની ટીમને 'સેડિસ્ટ' કહ્યા અને કહ્યું- મારે તેમને સત્તાવાર રાજીનામું આપવું પડ્યું, જેમાં સ્પષ્ટ લખ્યું હતું કે હું હવે આ શોનો ભાગ નથી. તેણે તેનો જવાબ પણ ન આપ્યો. મને લાગે છે કે તેઓ મારાથી થાકીને આવું પગલું ભરવાની રાહ જોઈ રહ્યા હતા. આ સાથે પ્રિયાએ કહ્યું- મારા રાજીનામા પછી મને ખાતરી હતી કે બે દિવસમાં મેકર્સ મારી જગ્યાએ બીજી અભિનેત્રીને કાસ્ટ કરશે. અને એવું જ થયું. તેઓ રીટાના ટ્રેકને શોમાં પાછા લાવ્યા છે અને એક અભિનેત્રીને કાસ્ટ કરી છે.
પતિના કારણે શોમાંથી બહાર
પ્રિયાએ જણાવ્યું કે તે શરૂઆતથી જ આ સિટકોમ સાથે જોડાયેલી હતી. પહેલા તેણે પ્રેગ્નેન્સીને કારણે બ્રેક લીધો પછી શોના ડાયરેક્ટર એવા તેના પતિ માલવ રાજડાએ રાજીનામું આપી દીધું હોવાથી તેને પણ કોઈ નોટિસ આપ્યા વિના શોમાંથી હટાવી દેવામાં આવી. પ્રિયાએ જણાવ્યું કે છેલ્લા આઠ મહિનાથી તેને બોલાવવામાં આવી ન હતી. પ્રિયાએ કહ્યું- મને શોમાંથી એટલા માટે દૂર કરવામાં આવી કારણ કે હું માલવની પત્ની છું. પણ હું આ શહેરમાં માત્ર કોઈની પત્ની બનવા નથી આવી. તેઓ એક કલાકાર સાથે આવું કેવી રીતે કરી શકે. મારા પતિ જ્યારે શોના ડાયરેક્ટર હતા ત્યારે પણ મેં ક્યારેય આ સીમા ઓળંગી નથી. હું પણ બાકીના કલાકારોની જેમ સેટ પર જ રહી. પરંતુ અસિતજીએ ચોક્કસપણે મારી અંગત અને વ્યાવસાયિક જીવનને મિશ્રિત કરી છે. કારણ કે માલવે શો છોડી દીધો છે, તેણે મારી સાથે આવું કર્યું છે.
પ્રિયાએ ખુલાસો કર્યો
પ્રિયાએ એ પણ ખુલાસો કર્યો કે માલવે અનેક ગેરવર્તન બાદ શોમાંથી એક્ઝિટ લીધી છે. તેમણે કહ્યું કે માલવની તમામ સહનશક્તિ પૂરી થઈ ગઈ ત્યારે રાજીનામું આપ્યું હતું. માલવે એક મહિનાની નોટિસ આપી હતી, પરંતુ અસિતે તેને પાંચ દિવસ પછી ન આવવા કહ્યું હતું. તે જાણીતું છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો 15 વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં ઘણા લોકોએ શો છોડી દીધો છે. નિર્માતા અસિત મોદી પર લગભગ દરેકે કોઈને કોઈ આરોપો લગાવ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh