બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 11:46 AM, 3 October 2023
ગ્રહણને એક ખગોળીય ઘટના માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા છે કે આ સમયે અમુક કાર્યો કરવાથી નકારાત્મક ઉર્જા અને તેના પ્રભાવથી બચી શકાય છે.
જણાવી દઈએ કે વર્ષ 2023નું પહેલું સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ થઈ ચુક્યું છે અને ઓક્ટોબરમાં વર્ષનું છેલ્લુ સૂર્ય ગ્રહણ લાગી શકે છે. જણાવી દઈએ કે આ મહિને 14 ઓક્ટોબરે વર્ષનું બીજુ અને છેલ્લુ ગ્રહણ લાગશે.
સૂર્ય ગ્રહણનો સમય
જણાવી દઈએ કે સૂર્ય ગ્રહણ સવારે 8.34 મિનિટ પર શરૂ થશે અને 2.25 મિનિટ પર તેનું સમાપન થઈ જશે. શાસ્ત્રોના અનુસાર 14 ઓક્ટોબરે લાગેલા ગ્રહણ ભારતમાં જોવા નહીં મળે માટે તેનું સૂતક કાળ માન્ય નહીં રહે.
જણાવી દઈએ કે સૂર્ય ગ્રહણનો આમ તો બધી 12 રાશિઓના જાતકો પર પ્રભાવ પડે છે. આ વર્ષનું છેલ્લૂ સૂર્ય ગ્રહણ ઉત્તરી અમેરિકા, કેનેડા, ગ્વાટેમાલા, મેક્સિકો, એર્જેન્ટીના, કોલંબિયા, ક્યૂબા, બારબાડોસ, પેરૂ, ઉરૂગ્વે, એન્ટીગુઆ અને અન્ય દેશોમાં જોવા મળશે.
સૂર્ય ગ્રહણનો સૂતક કાળનો સમય
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહણ ભારતમાં માન્ય નહીં રહે માટે તેનો સૂતક કાળ પણ માન્ય નહીં રહે. ગ્રહણ શરૂ થયાના 10 કલાક પહેલાથી સૂતક કાળ લાગી જાય છે. એામાં કોઈ પણ પ્રકારની પૂજા નથી કરવામાં આવતી.
આ સમયે ભગવાનની મૂર્તિને હાથ પણ ન લગાવવો જોઈએ. આ સમયે કોઈ પણ પ્રકારના ખાસ કાર્ય વિવાહ, પૂજા, વગેરે નથી કરવામાં આવતા. ગ્રહણના વખતે અમુક લોકો ભોજન પણ નથી કરતા.
સૂર્ય ગ્રહણનું મહત્વ
મોટાભાગે લોકોના મગજમાં આ પ્રશ્ન આવે છે કે ગ્રહણ કેમ લાગે છે અને તેનું મહત્વ શું હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ જેવી ઘટનાઓને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવામાં જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે તો સૂર્ય ગ્રહણ લાગી જાય છે. જેનાથી સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી નથી પહોંચી શકતો. તેને સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime