બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:12 PM, 15 September 2024
બે દિવસ બાદ રાજીનામું આપવાનું એલાન કરીને રાજનીતિમાં ખળભળાટ મચાવી દેનારા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ઘીના ઠામમાં ઘી ઢોળી શકે છે એટલે કે તેઓ પણ પોતાના ઘરમાંથી જ સીએમની પોસ્ટ ભરી શકે છે.
ADVERTISEMENT
આતિશી અને સુનિતાના નામ સૌથી વધુ ચર્ચામાં
નવા સંભવિત મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલ અને દિલ્હી સરકારના મંત્રી આતિશીના નામની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે. જોકે, કેટલાક અન્ય મંત્રીઓ સૌરભ ભારદ્વાજ, કૈલાશ ગેહલોત અને ગોપાલ રાયના નામ પણ રેસમાં છે. પરંતુ પાર્ટીના કેટલાક સૂત્રોનું કહેવું છે કે મુખ્યમંત્રીની ખુરશી પર હવે મહિલા બિરાજમાન થાય તેવી પ્રબળ સંભાવના છે.
ADVERTISEMENT
વધુ વાંચો : T20 સીરિઝમાંથી બહાર થયો ભારતનો આ સ્ટાર ખેલાડી ! નિર્ણય જાહેર થાય તેટલી વાર
સુનિતાની પસંદગી કેમ?
ADVERTISEMENT
અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ તેમની પત્ની સુનીતાએ જે રીતે કાર્યભાર સંભાળ્યો છે તેના કારણે તેમના મુખ્યમંત્રી બનવાની અટકળો લાંબા સમયથી ચાલી રહી છે. કેજરીવાલની ગેરહાજરીમાં તે પાર્ટીના મુખ્ય ચહેરા તરીકે ઉભરી આવી. તેમણે માત્ર ચૂંટણી પ્રચારમાં જ આગેવાની લીધી ન હતી પરંતુ ધારાસભ્યોની બેઠકો પણ કરી હતી કેટલાક નિર્ણયો પણ લીધાં હતા. આવી સ્થિતિમાં કેજરીવાલ બાદ સુનીતા સીએમ બનવાની ઘણી વાતો ચાલી રહી છે. કેટલાક નિષ્ણાતો એમ પણ કહે છે કે બિહારમાં જીતનરામ માંઝી અને ઝારખંડમાં ચંપાઈ સોરેનના ઉદાહરણમાંથી શીખ્યા બાદ કેજરીવાલ એવા વ્યક્તિને ખુરશી સોંપવા ઈચ્છશે કે જેના પર તેઓ આંધળો વિશ્વાસ કરી શકે. એક દલીલ એવી પણ કરવામાં આવી રહી છે કે કેજરીવાલ અને સિસોદિયા પછી પાર્ટીની બીજી હરોળમાં એવા ઘણા નેતાઓ છે જેમની મહત્વાકાંક્ષા સીએમ પદની હશે. એકને સીએમ બનાવ્યા બાદ અન્ય નેતાઓમાં અસંતોષ જોવા મળી શકે છે, પરંતુ સુનિતા કેજરીવાલને સત્તામાં બેસાડવાથી આ જોખમ ઊભું નહીં થાય. પાર્ટીએ તેની ટ્રાયલ પહેલેથી જ લીધી છે. કેજરીવાલ જેલમાં ગયા બાદ આખો પક્ષ સુનીતા સાથે ઉભો જોવા મળ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.