બ્રેકિંગ ન્યુઝ
Manisha Jogi
Last Updated: 10:00 AM, 3 November 2023
ઈન્ફોસિસના ફાઉન્ડર એનઆર નારાયણ મૂર્તિએ દેશની ઉત્પાદકતામાં વધારો કરવા માટે દર સપ્તાહે 70 કલાક કામ કરવાની સલાહ આપી છે. જેના વિરોધમાં વિવાદોનું વંટોળ ઊભું થયૂં છે. નારાયણ મૂર્તિએ આ પ્રકારની સલાહ આપતા સોશિયલ મીડિયા પર આ નિવેદનના સમર્થનમાં અને વિરોધમાં અનક પ્રકારના રિએક્શન આપવામાં આવી રહ્યા છે. બોલીવુડ અભિનેતા સુનિલ શેટ્ટીએ પણ આ બાબતે પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. સુનિલ શેટ્ટી પ્રેક્ટીકલ અને સોશિયલ સેલિબ્રિટી તરીકે ઓળખવામાં આવે છે.
સુનિલ શેટ્ટીનું મંતવ્ય
સુનિલ શેટ્ટીએ લિંક્ડઈન એકાઉન્ટ પર આ બાબતે પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે કે, ‘આ વિવાદનો વિષય નથી. જે પ્રકારે હું આ બાબતને જોઉઁ છું, તે પ્રમાણે નારાયણ મૂર્તિની સલાહનો વિરોધ ના કરવો જોઈએ. આ વાતને સાંભળવી જોઈએ અને વિશ્લેષણ કરવું જોઈએ. સમજ્યા વિચાર્યા પછી જે પણ યોગ્ય લાગે તે કરી શકો છે. તે માટે આ વાતને સમજીને તેના પર વિચાર કરવો જોઈએ.’
સુનિલ શેટ્ટીએ પોસ્ટમાં લખ્યું છે કે, મારા માટે 70થી 100 કલાક કામ કરવું તે ઓવરવર્કિંગ નથી. આ માત્ર કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાની વાત છે. જ્યાં પરિવાર, મિત્રો અને પોતાના શોખ માટે સમય કાઢવો જરૂરી છે. દુનિયા ઝડપથી આગળ વધી રહી છે. ક્રિકેટમાં વિરાટ કોહલી, ફિલ્મોમાં અમિતાભ બચ્ચન, બિઝનેસમાં રતન ટાટા અને વિજ્ઞાન ક્ષેત્રે મિસ્ટર કલામનું ઉદાહરણ જોવું જોઈએ. શું તમને એવું લાગે છે કે, તેમણે તેમના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળ્યા વગર આ કામ કર્યું હશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime