બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / ગુજરાત / અમદાવાદ / Suffering for the farmers. After Biporjoy's collapse, the situation is now a double whammy with torrential rains
Vishal Khamar
Last Updated: 07:40 PM, 27 August 2023
બનાસકાંઠા જીલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ઓગસ્ટ મહિનામાં એકંદરે નહિવત વરસાદ નોંધાવવા પામ્યો છે. તેમજ સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ ખેંચાવાની શક્યતાઓ જોવા મળી રહી છે. મગફળી, કપાસ સહિતનાં પાકને પાણીની તાતી જરૂરીયાત હોઈ હવે જો વરસાદ ખેંચાશે તો ખેડૂતોને નુકશાન જવાની ભીંતી સેવાઈ રહી છે.
ખેડૂતોએ ખેતરમાં શિયાળું પાકનું વાવેતર કર્યું
ચાલુ વર્ષે બનાસકાંઠા જીલ્લામાં સારા એવા પ્રમાણમાં વરસાદ ન પડતા ખેતરમાં ઉભા પાકને લઈ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ત્યારે તાજેતરમાં જ બિપોરજોય વાવાઝોડાનાં કારણે ખેતરમાં ઉભેલ પાક નિષ્ફળ ગયો હતો. જે બાદ ખેડૂતોએ ફરી ખેતરમાં શિયાળું પાકનું વાવેતર કર્યું હતું. પરંતું વરસાદ ખેંચાતા હાલ ખેતરમાં વાવેતર કરેલ શિયાળું પાક નિષ્ફળ જવાની ભીંતી ખેડૂતો સેવી રહ્યા છે.
કુદરતી આફત, કમોસમી વરસાદ તેમજ વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ
છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જીલ્લાનાં ખેડૂતો કુદરતી આપત્તિઓનાં કારણે નુકશાન વેઠી રહ્યા છે. ખેડૂતો દ્વારા મોંઘા બિયારણની ખરીદી કરી ખેતર પાકનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. પરંતું કમોસમી વરસાદ, કુદરતી આફત તેમજ વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જતા ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
બિપોરજોય વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી
ચોમાસાની ઋતુમાં ખેડૂતોને ફરી એકવાર સારા ઉત્પાદનની આશા જાગી હતી. પરંતું તે સમયે ચોમાસાની શરૂઆતનાં દિવસોમાં જ બનાસકાંઠા જીલ્લામાં બિપોરજોય વાવાઝોડાએ ભારે તારાજી સર્જતા ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. જેથી મોટા પ્રમાણમાં ખેડૂતોને બાજરી, કપાસ, એરંડા, મગફળી સહિતનાં પાકમાં નુકશાન સહન કરવું પડ્યું હતું.
બનાસકાંઠા જીલ્લામાં વરસાદ ખેંચાતા પાક સુકાઈ જવાની ચિંતા
ઓગસ્ટ મહિનામાં બનાસકાંઠા જીલ્લામાં વરસાદ આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણ કે એક તરફ બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી પાણીની તંગી સર્જાઈ હતી. આ વર્ષે ફરી એકવાર વરસાદ આધારિત વિસ્તારોમાં વરસાદ સારા એવા પ્રમાણમાં ન પડતા ખેડૂતો પોતાનાં પાકને લઈ ચિંતામાં મુકાયા છે. હાલ મોટાભાગનાં ખેતરોમાં મગફળી, બાજરી, એરંડા તેમજ કપાસ સહિતનાં પાકનું વાવેતર ખેડૂત દ્વારા કરવામાં આવ્યું છે. પરંતું વરસાદ ખેંચાતા હવે પાક સુકાઈ જવાની ચિંતાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા