બ્રેકિંગ ન્યુઝ
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા
ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ
VTV / સ્પોર્ટસ / Cricket / KKR vs MI: તો આ છે મુંબઇ ઇન્ડિયન્સની હાર પાછળનું અસલી કારણ, કેપ્ટન હાર્દિક પંડ્યાએ કર્યો ખુલાસો
Last Updated: 09:10 AM, 4 May 2024
મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો ખરાબ તબક્કો ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)માં આ સિઝનમાં ચાલુ છે. MI શુક્રવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે 24 રને હારી ગઈ હતી. આ મેચમાં KKRને જીતવા માટે 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈ માટે આ ટાર્ગેટ આસાન માનવામાં આવતું હતું પરંતુ તે માત્ર 145 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. આ સિઝનમાં આ તેની 8મી હાર છે. આ હાર બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ હારનું કારણ જણાવ્યું હતું.
ADVERTISEMENT
#MIvKKR had it all - heat, stress, drama. These 🌟🌟🌟 stood tall, providing 3X protection.
— Mumbai Indians (@mipaltan) May 3, 2024
Pick your @CastrolActivIN Performance of the Day 👉 https://t.co/SVY5x0C1qk#MumbaiMeriJaan #MumbaiIndians | @bp_plc pic.twitter.com/0tWk5tLQcd
IPL 2024 ની 51મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ વાનખેડે સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવી હતી. આ મેચમાં કોલકાતાના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. સ્ટાર્ક લાંબા સમય બાદ લયમાં દેખાયો હતો અને તેણે મુંબઈ સામે 4 વિકેટ ઝડપી હતી. આ મેચમાં હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમને ભારે નુકસાન થયું છે અને તે હવે પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. હાર બાદ MI કેપ્ટન હાર્દિક પંડ્યા ખૂબ જ નિરાશ જોવા મળ્યો અને તેણે હાર માટે બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા હતા.
ADVERTISEMENT
પંડ્યાએ મેચ બાદ કહ્યું કે, 'સ્વાભાવિક રીતે અમે ભાગીદારી બનાવી શક્યા નહીં અને વિકેટ ગુમાવતા રહ્યા. ઘણા પ્રશ્નો છે અને આ બધાના જવાબો શોધવામાં થોડો સમય લાગશે.' તેણે KKRની ઇનિંગ્સને 169 રન સુધી સીમિત કરવા માટે બોલરોની પ્રશંસા કરતાં કહ્યું, 'આ પીચ પર બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. જો મારી ભૂલ ન હોય તો બીજી ઇનિંગમાં ઝાકળને કારણે વિકેટ સારી બની હતી. હવે અમારે જોવું પડશે કે અમે શું વધુ સારું કરી શકીએ છીએ.'
RAJASTHAN vs KOLKATA QUALIFIER 1 LOADING IN IPL 2024. pic.twitter.com/GSDe22bFtW
— Johns. (@CricCrazyJohns) May 3, 2024
એમને કહ્યું કે, 'તમે રમતમાં સંઘર્ષ કરવાનું ચાલુ રાખો છો. આ હું મારી ટીમના ખેલાડીઓને કહું છું. તે પડકારજનક છે પરંતુ તમને પડકારો લેવાનું ગમે છે. આ હું મારી જાતને કહું છું કે ક્યારેય યુદ્ધનું મેદાન ન છોડવું. મુશ્કેલ દિવસો આવશે પણ સારા દિવસો પણ આવશે. આ પડકારજનક છે પરંતુ પડકારો તમને વધુ સારા બનાવે છે.'
મેચ વિશે વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકાતાની ટીમ 19.5 ઓવરમાં 169 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન KKRના બેટ્સમેન વેંકટેશ અય્યરે 52 બોલમાં 70 રનની ઇનિંગ રમી હતી. જ્યારે મનીષ પાંડે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવ્યો હતો અને તેણે પોતાની ટીમ માટે 31 બોલમાં 42 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી.
મેચની બીજી ઈનિંગ દરમિયાન KKRએ મુંબઈ ઈન્ડિયન્સને કોઈ મોટો ટાર્ગેટ આપ્યો ન હતો. વાનખેડે જેવા સ્ટેડિયમમાં 170 રનના લક્ષ્યનો બચાવ કરવો એ સૌથી મુશ્કેલ કામ છે, પરંતુ KKRના બોલરોએ હાર ન માની અને 18.5 ઓવરમાં 145ના સ્કોર પર મુંબઈ ઈન્ડિયન્સને ઓલઆઉટ કરીને મેચ જીતી લીધી. આ દરમિયાન સ્ટાર્કે 3.5 ઓવરમાં 33 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. જ્યારે સ્પિન બોલર વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણે બે-બે વિકેટ લીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT