બ્રેકિંગ ન્યુઝ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
VTV / Sudan: PM Modi convenes high-level meeting, reviews situation of Indians trapped in violence-hit areas
Pravin Joshi
Last Updated: 02:47 PM, 21 April 2023
દક્ષિણ આફ્રિકાના દેશ સુદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. સૂત્રોના હવાલાથી શુક્રવારે આ સમાચાર સામે આવ્યા બાદ એવી સંભાવના છે કે પીએમ નરેન્દ્ર મોદી સુદાનમાં ફસાયેલા ભારતીયોની સ્થિતિ અંગે અપડેટ લીધા હતા. હવે બચાવ કામગીરીને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. દક્ષિણ આફ્રિકાના દેશ સુદાનમાં છેલ્લા એક સપ્તાહથી ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. સુદાનની આર્મ્ડ ફોર્સિસ (SAF) અને પેરામિલિટરી ફોર્સ (RSF) વચ્ચેના આ યુદ્ધમાં સુદાનના નિર્દોષ લોકો પીડાઈ રહ્યા છે. આટલું જ નહીં સુદાનમાં ચાલી રહેલા ગૃહ યુદ્ધમાં ઘણા ભારતીયો પણ ફસાયેલા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ગૃહયુદ્ધમાં ફસાયેલા એક ભારતીયનું મોત થયું છે. જ્યારે 300 થી વધુ ભારતીયો હજુ પણ ફસાયેલા હોવાની આશંકા છે.
PM Narendra Modi chairs a high-level meeting to review the situation related to Indians in Sudan. pic.twitter.com/gkklP9oj0U
— ANI (@ANI) April 21, 2023
રાજધાની ખાર્તુમમાંથી સ્થિતિ કાબૂ બહાર
ગૃહયુદ્ધથી ઘેરાયેલા સુદાનના અનેક શહેરોમાં લોકોમાં અરાજકતાનું વાતાવરણ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 270 થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 2500 થી વધુ લોકો ઘાયલ થયા છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે મોટી સંખ્યામાં લોકો રાજધાની ખાર્તુમ છોડીને ભાગી ગયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ આલ્બર્ટ ઓગસ્ટિન હતું અને તે દાલ ગ્રુપ માટે કામ કરતો હતો. ગોળીની ઈજાને કારણે તેનું મૃત્યુ થયું હતું, જેના પર કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ભારત સરકાર અને ખાર્તુમમાં ભારતીય એમ્બેસીએ ગુરુવારે ભારતીય નાગરિકોને સુદાનમાં આશ્રયસ્થાનમાં જવાની સલાહ આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ લોકોની સુરક્ષાને મજબૂત કરવા માટે તાત્કાલિક યોજના બનાવવામાં આવી છે.
વિદેશ મંત્રાલયે સૂચના જાહેર કરી
એક અહેવાલ મુજબ ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે હાલ અમારી સલાહ છે કે તેઓ જ્યાં છે ત્યાં જ રહેવું જોઈએ. ફક્ત ત્યાં જ સલામત સ્થળોએ જવાનું કહેવામાં આવ્યું છે. જ્યાં સુધી સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી બીજે ક્યાંય જવાનો પ્રયાસ કરશો નહીં. ખાર્તુમ સ્થિત દૂતાવાસ અનુસાર, સુદાનમાં લગભગ 2800 ભારતીયો ફસાયેલા છે. આ સાથે 1200 લોકો એવા છે જેઓ 150 વર્ષથી સુદાનમાં રહે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime