બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 05:41 PM, 22 August 2021
તાલિબાનોએ પોતાના વચનોને પાળવા પડશે: શ્રીલંકા
શ્રીલંકા તરફથી તાલિબાનને લઇ કરવામાં આવેલા નિવેદનમાં લગભગ એવી જ વાતો કહેવામાં આવી છે કે જે પહેલાં પાકિસ્તાન બોલી ચુક્યુ છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા પ્રાપ્ત કરી તેનું શ્રીલંકાએ સ્વાગત કર્યુ છે અને આશા સેવી છે કે તાલિબાન પોતે આપેલા વચનોને નિભાવશે. ન્યૂઝ એજન્સી મુજબ, શ્રીલંકાએ આશા સેવી છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કબજો કર્યા બાદ હવે સામાન્ય લોકોને માફી આપવી, મહિલાઓના અધિકારોની રક્ષા કરવી અને કોઈ પણ વિદેશી નાગરિકને નુકસાન પહોંચાડવુ નહીં જેવા પોતાના વચનોને તાલિબાનોએ પાળવા પડશે.
તાલિબાનોએ આપ્યાં છે સકારાત્મક વચનો
તાલિબાનોએ તાજેતરમાં પત્રકાર પરિષદ કરીને મહિલાઓના અધિકારો, મીડિયાની સ્વતંત્રતાનું સન્માન કરવુ, તાલિબાનો સાથે લડનારા લોકોને માફ કરવાનું વચન આપ્યું હતું. તાલિબાનોએ વધુમાં કહ્યું હતું કે, તાલિબાનોએ આ નક્કી કરવાનો સંકલ્પ લીધો છે કે અફઘાનિસ્તાન આતંકવાદીઓને શરણ નહીં આપે.
તાલિબાનોના બદલાયેલા વલણથી વિશ્વમાં ચર્ચા!
તાલિબાનોના આ બદલાયેલા વલણથી વિશ્વ પણ આશ્ચર્યમાં ગરકાવ છે. ચર્ચા એ વાતની થઈ રહી છે કે તાલિબાનનો ઈતિહાસ ખૂબ ભયાનક રહ્યો છે. તેથી તેની પર કેવીરીતે ભરોસો મુકી શકાય. પરંતુ તાલિબાન સમર્થક અમુક દેશો તેને લઇને સકારાત્મક નિવેદન આપી રહ્યાં છે. જે સંદર્ભે શ્રીલંકાનું નિવેદન પણ સામે આવ્યું છે. શ્રીલંકા તરફથી એવુ પણ કહેવામાં આવ્યું છે કે, અફઘાનિસ્તાનમાં તેમના જે નાગરિકો ફસાયેલા છે તેને બહાર કાઢવા માટે અમેરિકા, યુકે, ભારત, પાકિસ્તાન અને સંયુક્ત રાષ્ટ્ર પાસેથી મદદ માંગવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime