બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / લો બોલો! એક ટાયર વગર જ સ્પાઇસ જેટના પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ

Video / લો બોલો! એક ટાયર વગર જ સ્પાઇસ જેટના પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ

Published By: Bharatsinh Chauhan

Last Updated: 06:14 PM, 12 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે બપોરે 02:02 મિનિટે કંડલાથી મુંબઈ માટે ઉડાન ભરનાર સ્પાઇસ જેટની SG 2907 ની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી જેના પગલે મુંબઈમાં લેંડિગ વખતે સમસ્યા સર્જાય તેવી સ્થિતિ બની અને ઇમરજન્સી સુરક્ષિત લેંન્ડિગ કરવામાં આવ્યું છે

spicejet flight emergency landing mumbai : કંડલાથી મુંબઈ માટે ઉડાન ભરનાર સ્પાઇસ જેટ એરલાઈન્સની ઇમરજન્સી લેંડીગ કરવાની ફરજ પડી હતી. આજે બપોરે 02:02 મિનિટે કંડલાથી મુંબઈ માટે ઉડાન ભરનાર સ્પાઇસ જેટની SG 2907 ની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી જેના પગલે મુંબઈમાં લેંડિગ વખતે સમસ્યા સર્જાય તેવી સ્થિતિ બની અને ઇમરજન્સી સુરક્ષિત લેંન્ડિગ કરવામાં આવ્યું છે.

આખે આખુ ટાયર પડી ગયું

સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સ્પાઇસ જેટની આ ફ્લાઈટમાં ગેરબોક્સમાં ટેક્નિકલ ખામી સર્જાતા ફ્લાઈટનો એક ટાયર ખુલ્યાજ નહોતો જેથી માત્ર બે ટાયરના સહારે મુંબઈમાં ફ્લાઇટ લેન્ડિંગ કરવી પડી હતી. આ ફ્લાઈટમાં 90 મુસાફરો સવાર હતા જેમના જીવ તાળવે ચોંટ્યા હતા,DGCA આ અંગે યોગ્ય તપાસ કરે તે જોવું રહ્યું છે. જો કે બીજા સુત્રોના દાવા અનુસાર લેન્ડિંગ ગિયરમાંથી ટાયર જ પડી ગયું હતું. જેના કારણે માત્ર બે ટાયરના સહારે જ લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. હાલ તો સમગ્ર મામલે અધિકારીક અહેવાલની રાહ જોવાઇ રહી છે.

મુંબઇ એરપોર્ટ પર લેન્ડિંગ

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) પર ટેકનિકલ ખામીની જાણ થતાં ફ્લાઇટનું બપોરે 15:51 વાગ્યે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ વહીવટીતંત્રે સાવચેતી રૂપે સંપૂર્ણ કટોકટી જાહેર કરી હતી. જોકે, વિમાન રનવે નંબર 27 પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું.

કંડલા ખાતેથી પ્લેને ટેકઓફ કર્યું હતું

ગુજરાતના કંડલાથી મુંબઈ આવી રહેલા સ્પાઇસજેટના Q400 વિમાનનું બહારનું વ્હીલ ટેકઓફ કર્યા પછી તરત જ રનવે પર પડી ગયું હતું. મુંબઈમાં લેન્ડિંગ કરતી વખતે પાયલોટે કટોકટીની જાહેરાત કરી હતી. જોકે વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું હતું. સ્પાઇસજેટનું બોમ્બાર્ડિયર DHC8-400 વિમાન, ફ્લાઇટ નંબર SG-2906 સાથે, શુક્રવારે બપોરે 2.39 વાગ્યે કંડલા એરપોર્ટના રનવે નંબર 23 પરથી ઉડ્યું હતું. ટેકઓફ પછી તરત જ, ટાવર કંટ્રોલરે રનવે પર વિમાનમાંથી એક મોટી કાળી વસ્તુ પડતી જોઈ હતી. જ્યારે નિરીક્ષણ ટીમે જઈને જોયું તો વિમાનનું વ્હીલ પડી ગયું હતું.

મુંબઇ એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરવામાં આવી

ટેકનિકલ ખામીની જાણ થતાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) પર બપોરે 15:51 વાગ્યે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું. એરપોર્ટ પ્રશાસને સાવચેતી રૂપે સંપૂર્ણ કટોકટીની જાહેરાત કરી હતી. જોકે, વિમાન રનવે નંબર 27 પર સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં સફળ રહ્યું હતું. વિમાનમાં ક્રૂ સહિત લગભગ 78 મુસાફરો સવાર હતા. તે તમામ સુરક્ષિત છે. ઉતરાણ પછી એરપોર્ટ પર સામાન્ય કામગીરી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. બોમ્બાર્ડિયર DHC8-400 માં ટ્રાઇસિકલ લેન્ડિંગ ગિયર સિસ્ટમ છે, જેમાં નોઝ ગિયર પર બે પૈડા અને દરેક મુખ્ય લેન્ડિંગ ગિયર પર બે મુખ્ય પૈડા છે.

ટેક ઓફ પછી ટાયર રનવે પર પડી ગયું

સ્પાઇસજેટના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, '12 સપ્ટેમ્બરના રોજ, કંડલાથી મુંબઈ જઈ રહેલા સ્પાઇસજેટ Q400 વિમાનનું બાહ્ય પૈડું ટેકઓફ પછી રનવે પર મળી આવ્યું હતું. વિમાને મુંબઈની મુસાફરી ચાલુ રાખી અને એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું. ઉતરાણ પછી, વિમાન ટર્મિનલ પર પહોંચ્યું અને બધા મુસાફરો કોઇ પણ પ્રકારની ઇજા કે મુશ્કેલી વગર ઉતર્યા હતા. અગાઉ 29 ઓગસ્ટના રોજ, સ્પાઇસજેટની દિલ્હી-શ્રીનગર ફ્લાઇટને શ્રીનગર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Landing gear of plane SpiceJet plane's tire fell off emergency landing made on 2 tires

Published by

Bharatsinh Chauhan

Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ