બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / SP leader Ram Gopal Yadav said, antique ahmad's son will be killed
Priyakant
Last Updated: 05:15 PM, 7 March 2023
ઉત્તર પ્રદેશમાં ગત દિવસોએ થયેલ ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસ સતત એક્શન મોડમાં છે. જેલમાં બંધ માફિયા ડોન અતિક અહેમદના બે શાર્પ શૂટર્સનું એન્કાઉન્ટર થયું છે. અતિકના પુત્ર અસદ સહિત 5 મોસ્ટ વોન્ટેડની શોધ ચાલુ છે. આ દરમિયાન અખિલેશ યાદવના કાકા અને સમાજવાદી પાર્ટીના મહાસચિવ રામ ગોપાલ યાદવે મોટું નિવેદન આપતા કહ્યું છે કે, અતિકના એક પુત્રની હત્યા કરવામાં આવશે.
સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલે કહ્યું છે કે, અતિકના એક પુત્રની હત્યા કરવામાં આવશે. પહેલા દિવસે જ 2 છોકરાઓ પકડાયા હતા તેમાંથી એકને મારી નાખવામાં આવશે. તેમણે કહ્યું કે, અતીકને 5 પુત્રો છે, 2 પહેલાથી જ જેલમાં છે. નામાંકિત અસદ ફરાર છે, બાકીના 2 સગીર પુત્રો ક્યાં છે તે પોલીસ કે પરિવારજનો જણાવી રહ્યાં નથી. રામગોપાલનો દાવો છે કે, આ બેમાંથી કોઈ એકની હત્યા કરવામાં આવશે.
પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ઉત્તર પ્રદેશ પોલીસ પર આરોપ લગાવતા રામ ગોપાલ યાદવે કહ્યું કે, પ્રયાગરાજ ઘટનાના અસલી આરોપીઓ મળી રહ્યા નથી, જે પકડાય છે તેમને મારવાનું દબાણ છે. અતિક અહેમદની શાળામાં ભણતા બે છોકરાઓ પહેલા જ દિવસે પકડાયા હતા, તેમાંથી એકને મારી નાખવામાં આવશે... તમે જોઈ લેજો.
નોંધનીય છે કે, રામગોપાલ યાદવ અતિકના જે 2 પુત્રો વિશે વાત કરી રહ્યા છે, જેનું ઠેકાણું રહસ્ય છે. હવે અમે તમને જણાવીએ કે અતિકના પરિવારમાં કોણ કોણ છે અને તેઓ હાલ કયા છે ?
અતિકની પત્નીનો ગંભીર આક્ષેપ
ઉમેશની હત્યા બાદ અતિક અહેમદનો આખો પરિવાર ભયમાં છે. અતિક અહમદનો પરિવાર અતીક અને તેના ભાઈ અશરફ વચ્ચેના એન્કાઉન્ટરને લઈને ચિંતિત છે. અતિકની બહેનનો આરોપ છે કે, પૂછપરછ અથવા હાજર થવાના બહાને પોલીસ તેના બંને ભાઈઓનું એન્કાઉન્ટર કરી શકે છે. અતિકની પત્ની શાઇસ્તા પરવીને પણ મોટો આરોપ લગાવ્યો છે. અતિકની પત્નીએ કહ્યું છે કે, સગીર પુત્રો બાળ સુરક્ષા ગૃહમાં નથી. પોલીસ બંને સગીર પુત્રો અંગે ખોટું બોલી રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime