બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / SP leader Ram Gopal Yadav said, antique ahmad's son will be killed

નિવેદન / જોઈ લેજો, અતિકના દીકરાનું મર્ડર થઈ જશે...: યોગી સરકારનું એક્શન જોઈ SPના દિગ્ગજ નેતાએ વ્યક્ત કરી ચિંતા

Priyakant

Last Updated: 05:15 PM, 7 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસની કાર્યવાહી વચ્ચે અખિલેશ યાદવના કાકા અને સમાજવાદી પાર્ટીના મહાસચિવ રામ ગોપાલ યાદવનું મોટું નિવેદન, અતિકના એક પુત્રની હત્યા કરવામાં આવશે

  • ઉત્તર પ્રદેશ ઉમેશ પાલ હત્યા કેસ વચ્ચે SP નેતાનું મોટું નિવેદન 
  • અતિક અહેમદના એક પુત્રની હત્યા કરવામાં આવશે:  રામ ગોપાલ યાદવ
  • પ્રયાગરાજ ઘટનાના અસલી આરોપીઓ મળી રહ્યા નથી: રામ ગોપાલ યાદવ

ઉત્તર પ્રદેશમાં ગત દિવસોએ થયેલ ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસ સતત એક્શન મોડમાં છે. જેલમાં બંધ માફિયા ડોન અતિક અહેમદના બે શાર્પ શૂટર્સનું એન્કાઉન્ટર થયું છે. અતિકના પુત્ર અસદ સહિત 5 મોસ્ટ વોન્ટેડની શોધ ચાલુ છે. આ દરમિયાન અખિલેશ યાદવના કાકા અને સમાજવાદી પાર્ટીના મહાસચિવ રામ ગોપાલ યાદવે મોટું નિવેદન આપતા કહ્યું છે કે, અતિકના એક પુત્રની હત્યા કરવામાં આવશે. 

સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલે કહ્યું છે કે, અતિકના એક પુત્રની હત્યા કરવામાં આવશે. પહેલા દિવસે જ 2 છોકરાઓ પકડાયા હતા તેમાંથી એકને મારી નાખવામાં આવશે. તેમણે કહ્યું કે, અતીકને 5 પુત્રો છે, 2 પહેલાથી જ જેલમાં છે. નામાંકિત અસદ ફરાર છે, બાકીના 2 સગીર પુત્રો ક્યાં છે તે પોલીસ કે પરિવારજનો જણાવી રહ્યાં નથી. રામગોપાલનો દાવો છે કે, આ બેમાંથી કોઈ એકની હત્યા કરવામાં આવશે.

પોલીસ પર લગાવ્યા ગંભીર આક્ષેપ 
ઉત્તર પ્રદેશ પોલીસ પર આરોપ લગાવતા રામ ગોપાલ યાદવે કહ્યું કે, પ્રયાગરાજ ઘટનાના અસલી આરોપીઓ મળી રહ્યા નથી, જે પકડાય છે તેમને મારવાનું દબાણ છે. અતિક અહેમદની શાળામાં ભણતા બે છોકરાઓ પહેલા જ દિવસે પકડાયા હતા, તેમાંથી એકને મારી નાખવામાં આવશે... તમે જોઈ લેજો.  

નોંધનીય છે કે, રામગોપાલ યાદવ અતિકના જે 2 પુત્રો વિશે વાત કરી રહ્યા છે, જેનું ઠેકાણું રહસ્ય છે. હવે અમે તમને જણાવીએ કે અતિકના પરિવારમાં કોણ કોણ છે અને તેઓ હાલ કયા છે ? 

  • અતિક અહેમદ - જેલમાં
  • શાઇસ્તા (પત્ની) - ફરાર
  • અશરફ (ભાઈ) – બરેલી જેલમાં
  • ઉમર (મોટો પુત્ર) - લખનૌ જેલમાં
  • અલી (બીજો પુત્ર) - નૈની જેલમાં છે
  • અસદ (ત્રીજો પુત્ર) - ફરાર
  • ચોથો-પાંચમો પુત્ર - બાળ સંરક્ષણ ગૃહમાં

અતિકની પત્નીનો ગંભીર આક્ષેપ 
ઉમેશની હત્યા બાદ અતિક અહેમદનો આખો પરિવાર ભયમાં છે. અતિક અહમદનો પરિવાર અતીક અને તેના ભાઈ અશરફ વચ્ચેના એન્કાઉન્ટરને લઈને ચિંતિત છે. અતિકની બહેનનો આરોપ છે કે, પૂછપરછ અથવા હાજર થવાના બહાને પોલીસ તેના બંને ભાઈઓનું એન્કાઉન્ટર કરી શકે છે. અતિકની પત્ની શાઇસ્તા પરવીને પણ મોટો આરોપ લગાવ્યો છે. અતિકની પત્નીએ કહ્યું છે કે, સગીર પુત્રો બાળ સુરક્ષા ગૃહમાં નથી. પોલીસ બંને સગીર પુત્રો અંગે ખોટું બોલી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ