શિવસેનાએ શનિવારે કહ્યું હતું કે, જો સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલીઓ અને હરિદ્વારમાં કુંભમેળાના સમયનું ધ્યાન લીધું હોત, તો દેશની પરિસ્થિતિ એટલી કથળી ન હોત.
કોરોના મુદ્દે શિવસેનાના પ્રહાર
સુપ્રીમ કોર્ટ અને ભાજપ નેતાગીરી પર ઉઠાવ્યા સવાલ
ચૂંટણી રેલીઓ એનએ ધાર્મિક સભાઓને રોકવાની જરૂર હતી
મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે ઓક્સિજન સંકટ અને અન્ય સામગ્રીઓની અછતની વચ્ચે ઓક્સિજન સપ્લાય અને રસીકરણ સહિતના ચાર મુદ્દાઓ માટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી અને નેશનલ પ્લાનની માંગણી કરી હતી, જેના પછી શિવસેના દ્વારા સુપ્રીમ કોર્ટ અંગેનું આ નિવેદન કરવામાં આવ્યું હતું.
શિવસેનાએ મુખપત્ર સામનામાં સાધ્યું નિશાન
શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં કહ્યું, "સુપ્રીમ કોર્ટે દખલ દીધી તે સારી વાત છે." પણ જો વડા પ્રધાન, ગૃહ પ્રધાન અને અન્ય નેતાઓના પશ્ચિમ બંગાળમાં ચૂંટણી રેલીઓ રોડ શો અને હરિદ્વારમાં ધાર્મિક સભાઓને લઈને માટે સમયસર હસ્તક્ષેપ કર્યો હોત, તો લોકોએ આ રીતે મરી જવાની નોબત ન હોત.
દિલ્હીની એક હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવને કારણે કોવિડ -19 ના 25 દર્દીઓના મોતનો ઉલ્લેખ કરતાં શિવસેનાએ સવાલ કર્યો કે જો કેન્દ્ર સરકાર તેના માટે જવાબદાર નહીં હોય તો કોને જવાબદાર ગણવો જોઇએ.
દિલ્હીની હાલત માટે મોદી સરકારને ઠેરવી જવાબદાર
પાર્ટીએ કહ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીની આ સ્થિતિ છે. જો કેન્દ્ર સરકાર તેના માટે જવાબદાર નથી, તો પછી તેના માટે જવાબદાર કોણ છે? " શિવસેનાએ એક અગ્રણી બ્રિટિશ અખબારના હેડિંગના સંદર્ભમાં આ વાત કહી હતી જેમઆ છપાયું હતું કે " ભારત કોવિડ -19 નો નરક બની ગયો છે ".
શિવસેનાએ કહ્યું કે, જો કેન્દ્ર પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે કોવિડ -19 ની બીજી લહેરને પહોંચી વળવા પર ધ્યાન કેન્દ્રિત કરત તો સ્થિતિ આટલી કથળી ન હોત. ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી ટીમે ભંડારા, મુંબઇ, વિરાર અને નાસિકની હોસ્પિટલોમાં દુર્ઘટનામાં લોકોનાં મોત પર શોક વ્યક્ત કર્યો હતો.
પીએમ મોદી ભારતને સ્વર્ગ બનાવવા માંગતા હતા, પણ શું આ નરક છે?
શિવસેનાએ કહ્યું, '' પીએમ મોદી અને તેમના સહકાર્યકરો ભારતને સ્વર્ગ બનાવવા માંગતા હતા, પરંતુ આજે આપણે ફક્ત સ્મશાનગૃહ અને કબ્રસ્તાન જ જોઇએ છીએ. કેટલીય સામુદાયિક ચિતાઓ બળી રહી છે તો ક્યાંક હોસ્પિટલો દર્દીઓ સાથે જાતે જ બળી રહી છે. શું આ નરક છે? ''
દરમિયાન, શિવસેનાના નેતા સંજય રાઉતે આરોગ્ય સંકટ માટે દેશની ટોચની નેતાગીરીને દોષી ઠેરવતા કહ્યું, "અમારું નેતૃત્વ ચૂંટણી જીત્યા સિવાય અને રાજકારણ કરવા સિવાય બીજું કંઇ કરવા માંગતો નથી." તેમને લાગે છે કે આ અંતિમ સફળતા છે. જો આપણે વૈશ્વિક રોગચાળાને પહોંચી વળવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોત, તો આપણે આવી સ્થિતિમાં ન હોત. ''
ઉદ્ધવ ઠાકરે રાજકારણ નથી કરતા
મહારાષ્ટ્રની પરિસ્થિતિનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કોવિડ -19 સામે લડત આગળ રહીને નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, તેઓ ચૂંટણી રેલીઓને સંબોધવા માટે ક્યાંય ગયા ન હતા. તે લડી રહ્યા છે, મુંબઈમાં બેસીને સૂચનાઓ આપી રહ્યા છે. ઠાકરે રાજકારણ નથી કરી રહ્યા.