બાળ લગ્નનો ભોગ બનનારી યુવતી 18 વર્ષે વિધવા થઈ ગઈ. 3 સંતાનોની વિધવા માતાને કેટલાક યુવાનો સેક્સ ઓબ્જેક્ટથી જોતા અને અવાર નવાર છેડતી કરવાં લાગ્યાં હતાં. છેડતી કરનાર યુવક તથા ગામજનોનાં વર્તનથી કંટાળેલી યુવતીએ મહિલા હેલ્પલાઈન 181ની મદદ માંગી હતી. હેલ્પલાઈનનાં કાઉન્સેલરે કરે કંઈક આવું કર્યું કે ગામનાં યુવકોએ કોઈ પણ છોકરીની છેડતી નહીં કરવાની બાંહેધરી આપી.
વિધવા સ્વરાને કેટલાક યુવાનો સેક્સ ઓબ્જેક્ટથી જોવા લાગ્યાં
છેડતી કરનાર યુવક અને તેના પરિવારજનો સ્વરાની આબરૂં ઉછાળવા લાગ્યાં
સ્વરા સંતાનોનાં હક માટે સાસરે રહેવા આવી હતી
35 વર્ષીય સ્વરાનાં કપડવંજનાં નિર્મલી ગામનાં રોહિત સાથે બાળલગ્ન થયાં હતા. જ્યારે તે 18 વર્ષની થઈ ત્યાં તો રોહિતનું અચાનક શંકાસ્પદ મોત નિપજ્યું હતું. જોકે સ્વરાનાં 3 બાળકો નાના હોઈ તેણે બાળકો માટે પિયર રહેવાનું નક્કી કર્યું. 17 વર્ષ પહેલાં વિધવા થયેલી સ્વરા પિયર જ રહેતી હતી. જોકે મોટો દિકરો હવે આઈટીઆઈનો અભ્યાસ કરી રહ્યો હતો. તેનાં પિયર માથી કહ્યું કે તારા બાળકોનાં મિલકતનાં હક માટે પણ તારે પાછા સાસરે જવું જોઈએ.
સ્વરા સંતાનોનાં હક માટે સાસરે રહેવા આવી
નાની ઉંમરે વિધવા બનેલી સ્વરાએ સંતાનોનાં સુખનું ધ્યાન રાખી 1 વર્ષ પહેલાં સાસરીગૃહે પાછી આવી ગઈ. મજુરી કરી બાળકોની પરવરીશ કરી રહી હતી. 6 મહિના સુધી ઘરમાં બધું સારુ ચાલ્યું હતું. જોકે એ બાદથી તે જ્યારે પણ ગામમાં નીકળતી ત્યારે ગામનાં કેટલાંક યુવાનો તેને સેક્સ ઓબ્જેક્ટથી જોવા લાગ્યાં. ઘણીવાર કેટલાક યુવાનો તેને રસ્તામાં પકડીને છેડતી પણ કરતાં હતાં.
'500 રૂપિયા આપીશ અને તુ મારી સાથે શારિરીક સંબંધ બાંધ'
સ્વરાને થયું કે ગામમાંને ગામમાં ક્યાં ઝઘડો કરવો. એવું માની જવા દેતી હતી. થોડા દિવસ પહેલાં એક યુવકે તેને જાહેરમાં પકડી લીધી અને કહ્યું તું વિધવા છે અને તને ફિઝિકલ નીડ છે. હું તને રૂ 500 આપીશ અને તુ મારી સાથે શારિરીક સંબંધ બાંધ. આ સાંભળી સ્વરાએ હિંમત કરી તે યુવકને લાફો મારી દીધો હતો.
છેડતી કરનાર યુવક અને તેના પરિવારજનોએ પોતાની ઈજ્જત બચાવવા સ્વરાને કરી બદનામ
છેડતી કરનાર યુવકનાં પરિવારજનોને ખબર પડી કે તેમનાં દીકરીએ સ્વરાની છેડતી કરતા સ્વરાએ તેને લાફો માર્યો છે. ત્યારે યુવકનાં પરિવારજનો પોતાની ઈજ્જત બચાવવાં સ્વરાને ગામમાં બદનામ કરવા લાગ્યાં હતાં. સ્વરાના ચારિત્ર્યનાં લીરાઉડાડી રહ્યાં હતાં. જેથી કંટાળી સ્વરાએ નડિયાદ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી હતી.
મહિલા હેલ્પલાઈને તેમને ફરિયાદ કરવાની સલાહ આપી
મહિલા હેલ્પલાઈન181નાં કાઉન્સેલર રીટાબહેન તેની મદદે ગયાં હતાં. તેમણે છેડતી કરનારા 3 યુવક તથા તેમનાં પરિવારજનોને બોલાવ્યાં હતાં. આ તમામે માફી માંગી બાંહેધરી આપી હતી કે તેઓ આવું ફરી નહીં કરે. તેમજ રીટા બહેને સ્વરાને પોલીસ ફરિયાદ કરવાનું કહેતા તેઓ નિર્મલી પોલીસ ચોકી પહોંચ્યાં હતા. જોકે સ્વરાને ડર હતો કે જેમ અજાણ્યાં લોકોએ તેનાં પતિની હત્યા કરી અકસ્માતમાં ખપાવી દીધી હતી. તેમ તેનાં સંતાનોને કોઈ મારી નાંખશે તો? આથી સંતાનોની સુરક્ષાનાં ડરે તેણે ફરીયાદ કરવાની ના પાડી હતી. હેલ્પલાઈનનાં કાઉન્સેલરે યુવકો તથા તેના પરિવારને ધમકી આપી કે ફરી આવું થશે તો અમે ફરીયાદી બનીશું. પોલીસે આ યુવકોને જેલમાં પણ પુર્યા. થોડા દિવસ પહેલા રીટાબહેને કેસનું ફોલોઅપ લીધું હતું. જેમાં તેમને જાણવા મળ્યું હતું કે હવે સ્વરાને કોઈ હેરાન કરતું નથી અને અન્ય યુવતીઓની પણ છેડતી નથી થતી.