બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Sanjay Raut's big statement after the Central Election Commission order
Malay
Last Updated: 11:53 AM, 19 February 2023
શિવસેનાના ચૂંટણી ચિહ્નને લઈને ઉદ્વવ ઠાકરેને મોટો ઝટકો લાગ્યો છે. બાળાસાહેબની શિવસેના હવે શિંદેનાં જૂથની થઈ ગઈ છે. ચૂંટણી આયોગે આદેશ આપ્યો કે શિવસેના નામ અને પાર્ટીનું પ્રતિક હવે એકનાથ શિંદેનાં જૂથનું રહેશે. આ નિર્ણયને પગલે ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ફટકો પડ્યો છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચના નિર્ણય બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ઠાકરે જૂથ ચૂંટણી પંચના આ નિર્ણયનો સતત વિરોધ કરી રહ્યું છે. આ વચ્ચે શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે મોટો આરોપ લગાવતા કહ્યું છે કે, તેમને ખાતરી છે કે ચૂંટણી ચિન્હ અને નામ મેળવવા માટે અત્યાર સુધીમાં 2000 કરોડના સોદા અને લેવડ-દેવડ થઈ ચૂકી છે.
આ આંકડો 100 ટકા સાચો છેઃ રાઉત
સંજય રાઉતે કહ્યું કે, 'આ આંકડો 100 ટકા સાચો છે. ટૂંક સમયમાં ઘણી બાબતોનો ખુલાસો થશે. દેશના ઈતિહાસમાં આવું પહેલા ક્યારેય નથી બન્યું.' અગાઉ રાઉતે કહ્યું હતું કે ''અમારી પાર્ટીને લૂંટવામાં આવી છે. અમે તેની તપાસ કરીશું. ચોરને પકડવો પડશે. આખરે ધનુષ અને તીરનો ચોર કોણ છે? અમે બધા ફક્ત ધનુષ અને તીર ચોરી કરનારાઓની જ તપાસ કરી રહ્યા છીએ. આ ચોરી તેમને મોંઘી પડશે."
मुझे यकीन है...
— Sanjay Raut (@rautsanjay61) February 19, 2023
चुनाव चिन्ह और नाम हासिल करने के लिए अब तक 2000 करोड़ के सौदे और लेन-देन हो चुके हैं...
यह प्रारंभिक आंकड़ा है और 100 फीसदी सच है..
जल्द ही कई बातों का खुलासा होगा.. देश के इतिहास में ऐसा कभी नहीं हुआ था.@ECISVEEP @PMOIndia pic.twitter.com/qokcT3LkBC
અમિત શાહ પર રાઉતનો વળતો પ્રહાર
અમિત શાહ પર વળતો પ્રહાર કરતાં રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રે શાહની વાતને ક્યારેય ગંભીરતાથી નથી લીધી. કોણ જીત્યું અને કોણ હાર્યું, તે રાજ્યની જનતા નક્કી કરશે. અમે પેગાસસ વિશે પણ પ્રશ્નો પૂછ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં જઈને ક્લીન ચીટ પણ લઈ આવ્યા હતા. અહીં શું થાય છે તે બધા જાણે છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના પ્રશ્નો દેશના પ્રશ્નો છે. ઈઝરાયેલની કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો છે, ઈવીએમ મશીનો હેક થઈ રહ્યા છે. આ તમામ મુદ્દાઓ પર સરકારે જવાબ આપવો જોઈએ.
પુણેમાં ઉદ્ધવ જૂથ પર કર્યા હતા આકરા પ્રહાર
વાસ્તવમાં મહારાષ્ટ્રમાં ચૂંટણી પંચના નિર્ણય બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન શિવસેનાના નામ અને નિશાન પર જણાવ્યું કે, ચૂંટણી પંચે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દીધું છે. તેમણે કહ્યું હતું કે, યુપીએના સમયમાં દરેક મંત્રી પોતાને વડાપ્રધાન માનતા હતા પરંતુ વડાપ્રધાનને જ વડાપ્રધાન માનતા ન હતા. તેમણે કહ્યું હતું કે, યુપીએના કાર્યકાળમાં 12 લાખ કરોડના કૌભાંડો થયા હતા. જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી ધૂળ ધાણી થઈ ગઈ હતી.
'મોદીજીનો મોટો ફોટો લગાવીને વોટ માંગ્યા હતાં'
ગૃહમંત્રી અમિત શાહે ઉમેર્યું હતું કે, ગઈકાલે મોટો નિર્ણય લેવાયો છે, અસલી શિવસેના અને અમારા મિત્ર પક્ષને સાચું પ્રતીક મળ્યું છે. એ લોકોએ મોદીજીનો મોટો ફોટો લગાવીને વોટ માંગ્યા હતાં અને ચૂંટણી બાદ મુખ્યમંત્રી બનવાના અભરખામાં કોંગ્રેસ-એનસીપીએ પગે પડી ગયાં.
'Shiv Sena' party name, 'Bow and Arrow' symbol to be retained by Eknath Shinde faction: ECI
— ANI Digital (@ani_digital) February 17, 2023
Read @ANI Story | https://t.co/Lobu6t0kCv#EknathShinde #Shivsena #BowandArrow #Maharashtra #ECI #UddhavThackeray pic.twitter.com/SmaDZWonIm
આ આધારે નિર્ણય લેવાયો!
ચૂંટણી પંચે આ નિર્ણય લેતા પહેલા કેટલાક આધાર પુરાવા તપસ્યા હતા. જેમાં વિધાનસભામાં કુલ 67 માંથી 40 ધારાસભ્યોનું શિંદે જૂથને સમર્થન છે. તો 13 સાંસદો શિંદે જૂથના ટેકામાં અને 7 સંસદો ઉદ્ધવ ઠાકરે સાથે છે ત્યારે. કેન્દ્રીય ચૂંટણી પંચ આ આધારને ધ્યાને લઈને શિંદે જૂથની તરફેણમાં આદેશ આપ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime