બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Registration for Amarnath Yatra will start from this date
Kishor
Last Updated: 08:30 PM, 10 March 2023
અમરનાથ યાત્રાએ જવા ઇચ્છતા ભક્તો માટે ખુશખબરી છે. જમ્મુ-કાશ્મીરમાં વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જો કે હજુ સુધી અમરનાથ યાત્રાની સત્તાવાર તારીખોની જાહેરાત કરવામાં આવી નથી. આ યાત્રામાં કેટલા લોકોને મંજૂરી આપવામાં આવશે? તે અંગે પણ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.જો કે બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી ૧ એપ્રિલથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. ૧ એપ્રિલ એટલે સંભવિત તારીખ માનવામાં આવી રહી છે કારણકે, ફેબ્રુઆરી મહિનામાં મળનારી અમરનાથ શ્રાઈન બોર્ડના સભ્યોની બેઠક હજુ સુધી મળી શકી નથી.
અમરનાથ યાત્રા ૬૦ દિવસની હોઈ શકે છે
એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ વખતે અમરનાથ યાત્રા ૬૦ દિવસની હોઈ શકે છે, કારણ કે આ વખતે શ્રાવણી પૂનમ ૩૦ ઓગસ્ટે છે અને પ્રથમ દર્શન એક જુલાઈએ થશે. અમરનાથ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવવાની શક્યતાનેે જોતાં વહીવટી તંત્ર અત્યારથી તૈયારીમાં લાગી ગયું છે. શ્રાઈન બોર્ડના અધિકારીઓનું કહેવું છે કે, અમરનાથ યાત્રાની તારીખ સહિત અન્ય વ્યવસ્થા અંગેની જાહેરાત કરવા સંદર્ભે ટૂંક સમયમાં બોર્ડની બેઠક બોલાવવામાં આવી રહી છે.
તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી
અમરનાથ શ્રાઈન બોર્ડના અધિકારીઓના મતે, યાત્રા માટે ભક્તોનું રજિસ્ટ્રેશન એપ્રિલ મહિનામાં બેન્કો થકી શરૂ થઈ જશે. રોજ ૨૦,૦૦૦ ભક્તોનું રજિસ્ટ્રેશન થશે. આ સાથે જ મુસાફરી દરમિયાન ઓન સ્પોટ રજિસ્ટ્રેશનની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે, પરંતુ યાત્રા માટે કેટલા ભક્તોને મંજૂરી આપવામાં આવશે? તે બાબતે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. બોર્ડના અધિકારીઓના જણાવ્યા મુજબ, એપ્રિલથી ઓનલાઈન માધ્યમથી ભક્તો રજિસ્ટ્રેશન કરાવી શકશે. યાત્રાને સફળ બનાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime