બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ભાજપના રાજ્યસભા સાંસદ અને પોતાના સ્પષ્ટ વિધાનો માટે પ્રખ્યાત સુબ્રમણ્યમ સ્વામીએ આજે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી નાખી હતી અને કહ્યું હતું કે દુબઈમાં ભારત અનેમ પાકિસ્તાનની વચ્ચે વાતચીત થઈ છે, શું પાકિસ્તાન તેના કબજા વાળા કાશ્મીરને ખાલી કરવા જઈ રહ્યું છે? મોદી સરકારને આ મુદ્દો ટો ભૂલી જવાની બીમારી છે. આપણે આ વસ્તુને શા માટે સહન કરીએ છીએ?

ADVERTISEMENT
સ્વામીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન
સ્વામીએ આજે ટ્વિટ કરીને કહ્યું હતું કે રશિયાએ પાકિસ્તાનની સેનાને ભારતની સાથે વાતચીત કરવા માટે મજબૂર કર્યું છે અને એશિયાની પાપની રાજધાની દુબઈમાં એક આરબ શેખે ભારતીય શાસકોને પાકિસ્તાનની સાથે વાત કરવા માટે કહ્યું હતું. શા માટે? શું પાકિસ્તાન તેના કબજા વાળું કાશ્મીર ખાલી કરી રહ્યું છે? નહીં ને! આ વિષય પર મોદી સરકારને ભૂલી જવાની બીમારી છે. આપણે શા માટે તેને ચૂપચાપ સહન કરીએ છીએ.
ADVERTISEMENT
મહત્વનું છે કે હાલમાં એક અહેવાલ પ્રમાણે યુએઇએ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ ઘટાડવા માટે અને દ્વિપક્ષીય સંબંધોને શરૂ કરવા માટે લવાદી જેવી ભૂમિકા ભજવી છે અને આ જાણકારી અમેરિકામાં યુએઇના રાજદૂત અલ ઓટાઈબાએ આપી હતી.

ADVERTISEMENT
યુએઇના રાજદૂતે વાત સ્વીકારી હતી
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની હૂવર સંસ્થાની સાથે કે એક વર્ચ્યુઅલ ચર્ચા દરમિયાન કહ્યું હતું કે બંને દેશ સૌથી સારા મિત્રો તો નથી બની શકતા પણ કમસે કમ એક એવા લેવલ પર તો પહોંચી જ શકે છે કે બંને દેશો વચ્ચે વાતચીત થાય. મહત્વનું છે કે હાલમાં 25 ફેબ્રુઆરીએ બંને દેશો વચ્ચે એલઓસીના ક્ષેત્રોમાં સંઘર્ષવિરામની બધી જ સમજૂતીઓના પાલન માટે બંને દેશો સહમત થયા હતા.
ADVERTISEMENT
યુએઇના રાજદૂતે જ આ વાત કહી હતી અને આ બંને દેશોની વાતચીતની વચ્ચે પોતાના દેશની ભૂમિકાનો પણ સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અમે બંને દેશોથી પ્રભાવિત થયા છીએ અને મદદગાર બનવાની કોશિશ કરી રહ્યા છીએ. ભારત અને પાકિસ્તાન તેના ઉદાહરણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.