બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / Raksha Bandhan 2023 astrology remedies as per zodiac signs article

જ્યોતિષ ઉપાય / રક્ષાબંધનના દિવસે તમારી રાશિ પ્રમાણે કરી લો નાનકડો ઉપાય, આખું વર્ષ બની રહેશે શાંતિ અને ખુશહાલી

Bijal Vyas

Last Updated: 09:32 AM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષાબંધનનો તહેવાર મુખ્યત્વે ભાઈ અને બહેન વચ્ચે સુમેળ જાળવવાનો એક માર્ગ છે. આ દિવસે બહેન તેના ભાઈના હાથ પર રક્ષાનો દોરો બાંધીને ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે.

  • બહેનની રાશિ વૃષભ હોય તો તમારે એકબીજાને સફેદ-પીળા રંગના કપડાં ગિફ્ટ કરો
  • તુલા રાશિના ભાઈ-બહેનો રક્ષાબંધનના દિવસે મંદિરમાં મીઠાઈનું દાન કરો
  • આ રાશિની બહેનો તેમના ભાઈના કપાળ પર ચંદન અથવા હળદરનુ તિલક લગાવો

Raksha Bandhan 2023: રક્ષાબંધન એક હિન્દુ તહેવાર છે જે ભાઈઓ અને બહેનો વચ્ચેના બંધનનું પ્રતીક છે. તે હિંદુ ચંદ્ર કેલેન્ડર મુજબ, દર વર્ષે શ્રાવણની પૂર્ણિમાના તિથિ ઉજવવામાં આવે છે. રક્ષાબંધન પૂર્ણિમાના દિવસે આવે છે, તેથી જ્યોતિષીય દૃષ્ટિકોણથી તે એક શુભ દિવસ માનવામાં આવે છે.

આ દિવસે ચંદ્ર તેની તમામ કળાઓથી ભરેલો હોય છે અને આ દિવસે અનેક જ્યોતિષીય ઉપાયો તમારું જીવન બદલી શકે છે. આ ખાસ તહેવાર ભાઇ અને બહેન વચ્ચેના સંબંધોને મજબૂત કરવામાં મદદ કરે છે અને જ્યારે કોઈ બહેન તેના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે, ત્યારે તે વધુ પ્રેમને પ્રોત્સાહન આપે છે.

બીજી તરફ જ્યોતિષમાં એવી માન્યતા છે કે, ચંદ્રની પૂર્ણ ઉર્જા હોવાના કારણે જો તમે આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાની સાથે દાન-પુણ્ય પણ કરશો તો તમારા જીવનમાં હંમેશા ખુશીઓ બનેલી રહેશે. જો તમે તમારી રાશિ પ્રમાણે આ દિવસે કેટલાક ખાસ જ્યોતિષીય ઉપાયો અજમાવો માંગો છો, તો તમારા જીવનમાં સમૃદ્ધિની સાથે ધનનો પણ યોગ બને છે. આવો, જ્યોતિષી અનુસાર આ વિશે વિગતવાર જાણકારી મેળવીએ...

1. મેષ રાશિ 
જો મેષ રાશિના ભાઈઓ કે બહેનો એકબીજાને ડ્રાયફ્રૂટ્સ ખવડાવે તો તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળશે. મુખ્યત્વે એકબીજાને પિસ્તા ખવડાવો. તેની સાથે જ કોઈ ગરીબ વ્યક્તિને લાલ વસ્ત્ર દાન કરો, તેનાથી તમારા જીવનમાં સંવાદિતા આવશે.

કેમ ઉજવવામાં આવે છે રક્ષાબંધનનો તહેવાર? જાણો મહત્વ અને તેની સાથે જોડાયેલી  રસપ્રદ કહાની | raksha bandhan festival raksha bandhan celebrated know  importance

2. વૃષભ રાશિ 
જો કોઈ ભાઈ કે બહેનની રાશિ વૃષભ હોય તો તમારે એકબીજાને સફેદ-પીળા રંગના કપડાં ગિફ્ટ કરવા જોઈએ. આ સાથે જો તમે પીપળના ઝાડને જળ ચડાવશો તો તમને તેના ફાયદા ચોક્કસ મળશે.

3. મિથુન રાશિ 
મિથુન રાશિના ભાઈઓ અને બહેનો રાખડી બાંધવાની સાથે દીવો પ્રગટાવીને એકબીજાની આરતી કરે છે. તેની સાથે ઓછામાં ઓછા 11 વાર 'ॐ नमः शिवाय' મંત્રનો જાપ કરો. તેનાથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવશે અને આર્થિક લાભ થશે.

4. કર્ક રાશિ 
જો કર્ક રાશિની બહેન તેના ભાઈને લાલ રંગની રાખડી બાંધે અને તે રાશિનો ભાઈ નારંગી અથવા લાલ રંગની વસ્તુ ભેટમાં આપે તો તે તેના માટે ફાયદાકારક રહેશે. તમારા ભાઈ-બહેનો સાથે સારો સમય વિતાવો અને પારિવારિક સંવાદિતા જાળવવા માટે શિવલિંગને દૂધ ચઢાવો.

5. સિંહ રાશિ 
રક્ષાબંધનના દિવસે જો તમે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો અને તમારા ભાઈના કપાળ પર ચંદનનું તિલક એકબીજાને લગાવો તો ચોક્કસ લાભ થશે. જો તમારા પરિવારના કોઈ દેવી-દેવતા હોય તો તેમની સામે ઘીનો દીવો પ્રગટાવો.

6. કન્યા રાશિ
આ દિવસે પક્ષીઓ કે પ્રાણીઓને ભોજન આપો. જો ભાઈ અને બહેનમાંથી કોઈ એકની રાશિ કન્યા હોય તો એકબીજાના કપાળ પર લાલ ચંદનનું તિલક લગાવો. આ ઉપાયોથી તમારા જીવનમાં પ્રેમભાવ રહેશે.

7. તુલા રાશિ
જો તુલા રાશિના ભાઈ-બહેનો રક્ષાબંધનના દિવસે મંદિરમાં મીઠાઈનું દાન કરે અને ગરીબોને ભોજન કરાવે તો તેમના જીવનમાં હંમેશા સમૃદ્ધિ બની રહે છે. જો તમે કોઈને કપડા દાન કરો છો તો પીળા કપડા દાન કરો. જો તમે તમારા ભાઈના કપાળ પર કેસરનું તિલક લગાવશો તો ચોક્કસથી લાભ થશે.

8. વૃશ્ચિક રાશિ 
જો વૃશ્ચિક રાશિના ભાઈ કે બહેન રક્ષાબંધનના દિવસે પીળા વસ્ત્રો પહેરે છે અને ઉગતા સૂર્યને પાણીમાં ચપટી હળદર ભેળવીને અર્પણ કરે છે તો તમને વિશેષ લાભ થશે. તેની સાથે અષ્ટાંગ ચંદનનું તિલક એકબીજાને લગાવો.

રક્ષાબંધન પર્વના છેલ્લા દિવસોમાં રાખડીના કુરિયર કરનાર બહેનો 'લૂંટાઈ'! | Raksha  Bandhan courier company stopped Rakhi booking

9. ધન રાશિ 
જો ધન રાશિના ભાઈઓ અને બહેનો રક્ષાબંધનના દિવસે ગાયત્રી મંત્રનો 108 વાર જાપ કરે તો અવશ્ય લાભ થશે. તમે સુગંધ સાથે એકબીજાને કંઈક ભેટ આપી શકો છો.

10. મકર રાશિ  
તમારા ઘરના તમામ અવરોધોને દૂર કરવા માટે ઘરના મુખ્ય દરવાજા પર તલના તેલનો દીવો પ્રગટાવો. જેના કારણે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન રહે છે. એકબીજાને પીળા કપડા ભેટમાં આપો.

11. કુંભ રાશિ 
જો તમે રક્ષાબંધનના દિવસે શિવલિંગને જળ અર્પણ કરો છો અને શિવ મંત્રોનો જાપ કરો છો, તો તમારા જીવનમાં હંમેશા ખુશીઓ રહી શકે છે. ભાઈ-બહેન એકબીજાને ગોળ ખવડાવો. 

12. મીન રાશિ
જો તમે રક્ષાબંધનના દિવસે મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરશો તો તમારા જીવનમાં સમૃદ્ધિ આવશે. આ રાશિની બહેનો તેમના ભાઈના કપાળ પર ચંદન અથવા હળદરનુ તિલક લગાવો.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ