બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ-જેતપુર હાઇવે પર ટોલ માફીનો વિવાદ, ટોલના દરના ઘટાડા બાબતે ગેરસમજણ

રાહત / રાજકોટ-જેતપુર હાઇવે પર ટોલ માફીનો વિવાદ, ટોલના દરના ઘટાડા બાબતે ગેરસમજણ

Last Updated: 09:26 AM, 11 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ-જેતપુર હાઈવે પર ટોલ ટેક્સ મુદ્દે ઘમાસાણ થવા પામ્યું છે. ટોલ ટેક્સમાં 75 ટકાના ઘટાડો કરાયા બાબતે નિવેદનમાં વિરોધાભાસ છે. તેમજ કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું હતું.

તાજેતરમાં પડેલ વરસાદને લઈ રસ્તાઓ પર મસમોટા ખાડા પડી જવા પામ્યા છે. રાજકોટ ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા ખરાબ રસ્તાઓને લઈ ટોલ ટેક્સનો બહિષ્કાર કરવાની થોડા દિવસ અગાઉ ચીમકી ઉચ્ચારી હતી. તેમજ ખાડા અને ટ્રાફિક સમસ્યાનો હલ નહી આવે તે ટોલટેક્સ નહી આપવાની ચીમકી ઉચ્ચારી હતી. જે બાદ રાજકોટ-જેતપુર હાઈવે પર ટોલટેક્સ મુદ્દે ઘમાસાણ થયું છે.

પીઠડીયા અને ભરૂડી ટોલ બુથ પર 75% ટોલ માફીઃ કલેક્ટર

રાજકોટ-જેતપુર હાઈવે પર ટોલટેક્સ મુદ્દે કલેક્ટર દ્વારા 75 ટકા માફીનું કહેવામાં આવ્યું છે. જેની સામે કોંગ્રેસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ઉઘરાણા ચાલુ, તેમજ રાજકોટ કલેક્ટર દ્વારા પીઠડીયા અને ભરૂડી ટોલ બુથ પર 75 ટકા ટોલ માફી આપવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા જણાવ્યું કે, પીઠડીયા, ભરૂડી ટોલ બુથ પર 75 ટકા માફી અપાઈ જ નથી. તેમજ ઓથોરિટીએ કહ્યું કે, 3 મહિનાથી 25 ટકા ટોલ માફ હતો. ટોલમાં 75 ટકાનો ઘટાડો કરાયા બાબતે નિવેદનમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.

ટોલ ટેક્સ અંગે કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતનું નિવેદન

કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, રાજકોટ કલેક્ટર દ્વારા હમણા થોડા સમય પહેલા જ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં રાજકોટ-જેતપુર સિક્સલેન હાઈવે પર લોકોને પડતી હાલાકીઓ મામલે જાહેરાત કરવામાં આવી છે કે, બંને ટોલ પ્લાઝામાં કેન્દ્ર સરકારના નિયમ મુજબ 75 ટકા ટોલની ફી માં ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ તેમાં થોડી ઘણી ગેરસમજણ છે. આ બાબતે રાજકોટ કલેક્ટર તેમજ નેશનલ હાઈવે ઓર્થોરીટીના પ્રોજેક્ટ ડિરેક્ટર છે. તેમની સાથે પણ વાત થઈ છે. થોડીક મિસ અન્ડર સ્ટેન્ડીગ થઈ છે.

આ પણ વાંચોઃ યુવક નવા ઘરના વાસ્તુ પહેલા જ તે સરકારી બ્રિજનો શિકાર બન્યો

ટોલ ફી માં 25 ટકાની જાહેરાત મહિના પહેલા કરવામાં આવી

જેમાં નેશનલ હાઈવે ઓર્થોરીટીના 2008ના ફી રેગ્યુલેશનના નિયમ મુજબ 25 ટકા જેટલી જ રાહત આપવામાં આવી છે. થોડી ગેરસમજ થવા પામી છે. ઘણા લોકોના અમને ટોલ ટેક્સમાંથી 75 ટકાની રાહત બાબતે ફોન આવી રહ્યા છે. પરંતું વાસ્તવિકતા એવી છે કે 25 ટકા ટોલ ફી મા રાહતની જાહેરાત મહિના અગાઉ જ કરી દેવામાં આવી હતી. અમારી જનહિત આંદોલન સમિતીની જે માંગ છે. કે જ્યા સુધી હાઈવેની સંપૂર્ણ કામગીરી પૂર્ણ ન થાય. ત્યાં સુધી ટોલની ફી માંથી સંપૂર્ણ પણે મુક્તિ આપવામાં આવે. તેમજ બંને ટોલ પ્લાઝા દૂર કરવામાં આવે.

આ પણ વાંચોઃ વરસાદનો નવો રાઉન્ડ થશે શરૂ, વાંચો પરેશ ગોસ્વામી, અંબાલાલ અને હવામાન વિભાગની અનરાધાર આગાહી

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot News Rajkot Travels Association Rajkot-Jetpur Six Lane
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ