બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / rain in ahmedabad and sabarkantha
Khyati
Last Updated: 05:30 PM, 9 March 2022
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ 7 માર્ચ થી 10 માર્ચ સુધી વાતાવરણમાં પલટો તેમજ માવઠાની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે વિવિધ શહેરોમાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે આજે તો અમદાવાદમાં ઝરમર વરસાદ વરસ્યો. અમદાવાદના પૂર્વ વિસ્તાર એટલે કે નરોડા, નિકોલ, કૃષ્ણનગર, હિરાવાડી, બાપુનગર અને મેમ્કો સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો.
અમદાવાદમાં પ્રસરી ઠંડક
અમદાવાદમાં આજે વહેલી સવારથી જ ઠંડા પવનોની શરુઆત થઇ ગઇ હતી. આમ તો બપોર બાદ ગરમી લાગે પરંતુ વરસાદના આગમનને પગલે ઠંડકની લહેર ફરી વળી હતી. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, દ. ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠુ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પરિણામે હાલમાં મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે .
અમદાવાદના નરોડા, નિકોલ અને કૃષ્ણનગર સહિતના પૂર્વ વિસ્તારમાં સામાન્ય વરસાદી છાંટા પડ્યા#Ahmedabad #Rain pic.twitter.com/kovLpmoXVH
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 9, 2022
સાબરકાંઠામાં કરા પડ્યા
રાજ્યમાં હવામાન વિભાગે કરેલી કમોસમી વરસાદની આગાહીને પગલે સાબરકાંઠામાં વરસાદ વરસ્યો હતો. ખેરોજ અને લાબડીયા વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો. અચાનક જ વાતાવરણ બદલાઇ જતા કરા વરસ્યા હતા. પરિણામે વાતાવરણમાં તો ઠંડકની લહેર ફરી વળી હતી તો બીજી તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. પાકમાં નુકસાનની ભીતી સેવાતા ખેડૂતો મુંઝાયા હતા.
હવામાન વિભાગે કરી છે આગાહી
મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા 7 થી 10 માર્ચ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત સુરત, ભરૂચ, વલસાડ, નવસારીમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી જિલ્લામાં તથા આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
12 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે- અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ માર્ચ મહિનામાં વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે.તેઓએ જણાવ્યુ કે 12 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. જેના કારણે કમોસમી વરસાદ રહેવાની શક્યતા રહેશે. ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં પશ્ચિમ વીક્ષેપના કારણે બરફ વર્ષા, અને કમોસમી વરસાદ થવાનું અનુમાન છે.જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે.
કેસર કેરીને થશે અસર
રાજ્યમાં અવારનવાર વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. માવઠાને કારણે ખેડૂતોને ખેતીમાં નુકસાન વેઠવાનો વારો આવે છે. તો વળી કેસર કેરીના પાક પર પણ અસર વર્તાઇ રહી છે. આંબા પર ફ્લાવરીંગ ઓછા જોવા મળતા કેસર કેરીનો પાક ઓછો થાય તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime