બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
Pravin
Last Updated: 12:42 PM, 7 March 2022
રશિયા અને યુક્રેન વચ્ચેના જંગને દશ દિવસથી પણ વધારેનો સમય થઈ ગયો છે. જો કે, હવે થોડા રાહતના સમાચાર આવ્યા છે. રશિયાએ અમુક શહેરોમાં સિઝફાયરનું એલાન કર્યું છે. જેથી ત્યાં ફસાયેલા નાગરિકોને બહાર કાઢી શકાય છે. આ તમામની વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કી સાથે ફોન પર 35 મીનિટ સુધી વાતચીત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ બંને નેતાઓને વાતચીત કરવાની ફરી એક વાર સલાહ આપી છે. અને વાતચીત દ્વારા આ મુદ્દાનું હલ શોધવા ભલામણ કરી છે.
Prime Minister Modi spoke on phone to President Volodymyr Zelensky of Ukraine.The phone call lasted for about 35 minutes. The two leaders discussed the evolving situation in Ukraine. PM appreciated the continuing direct dialogue between Russia & Ukraine: GoI Sources
— ANI (@ANI) March 7, 2022
(File pics) pic.twitter.com/oCej7bZZzB
પુતિને યુક્રેન માટે લીધો મોટો નિર્ણય
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 12મો દિવસ છે. ત્યારે રશિયાએ ફરી વાર સમગ્ર યુક્રેનમાં સીઝફાયરની જાહેરાત કરી દીધી છે. આ સીઝફાયર 12:30 વાગ્યે શરૂ થશે. આ દરમિયાન યુદ્ધમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે માનવ કોરિડોર બનાવવામાં આવશે. તમને જણાવી દઇએ કે, રશિયાએ યુક્રેનમાં બીજી વખત યુદ્ધવિરામની જાહેરાત કરી છે. અગાઉ પણ બે શહેરોમાં યુદ્ધવિરામની જાહેરાત કરાઇ હતી પરંતુ રશિયાએ થોડા જ કલાકોમાં તેને ખતમ કરી દીધું હતું અને રશિયાએ બોમ્બમારો શરૂ કરી દીધો હતો.
રશિયાએ ચાર શહેરોમાં કરી યુદ્ધવિરામની જાહેરાત
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના 12માં દિવસે રશિયાએ નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. રશિયાએ યુક્રેનના ચાર શહેરો કિવ, મારુપોલ ખાર્કિવ અને સુમીમાં બપોરે 12.30 વાગ્યાથી યુદ્ધવિરામ જાહેર કર્યો છે. આ દરમિયાન રશિયા ડ્રોનમાંથી બહાર નીકળતા લોકોની હિલચાલ પર ચાંપતી નજર રખાશે. રશિયાનો આરોપ છે કે, યુક્રેન આ યુદ્ધવિરામ દરમિયાન કંઈક ખોટું કરી શકે છે.
યુક્રેને રશિયાની ઘણી ટેન્કોને પણ નષ્ટ કર્યાનો દાવો
આ પહેલા સોમવારે સવારે રશિયાએ યુક્રેનના ખાર્કિવ શહેરમાં રહેણાંક ઇમારતોને નિશાન બનાવી હતી. જો કે લોકોને પહેલાથી જ બંકરો સહિત સુરક્ષિત સ્થળો પર જવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ હજુ પણ કેટલાંક લોકો ત્યાં ફસાયા હોવાની આશંકા છે. અહીં યુક્રેને રશિયાની ઘણી ટેન્કોને પણ નષ્ટ કર્યાનો દાવો કરાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime