બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
Manisha Jogi
Last Updated: 01:47 PM, 1 April 2023
પોસ્ટ ઓફિસની ફેમસ સ્કીમ કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra) ના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉની સરખામણીએ હવેથી આ સ્કીમમાં રકમ ટૂંક સમયમાં ડબલ થઈ જશે. સરકારે આ સ્કીમમાં રોકાણની રકમ પર મળતા વ્યાજદરમાં વધારો કર્યો છે.
એપ્રિલથી જૂન 2023 ક્વાર્ટર માટે સરકાર વ્યાજ દરમાં 30 બેસિસ પોઈન્ટની વૃદ્ધિ કરી છે, જેનાથી આ વ્યાજદર 7.5 ટકા સુધી પહોંચી ગયો છે. એપ્રિલ 2023થી આ વ્યાજદર લાગુ કરી દેવામાં આવ્યો છે. જો તમે પણ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરી શકાય છે.
થોડા સમયમાં પૈસા ડબલ
અગાઉની સરખામણીએ હાલમાં આ સ્કીમમાં વધુ ફાયદો થશે. રોકાણની રકમ 120 મહિનાને બદલે 115 મહિનામાં ડબલ થઈ જશે. જાન્યુઆરી 2023માં સરકારે કિસાન વિકાસ પત્રની મેચ્યોરિટીનો સમય 123 મહિનાથી ઘટાડીને 120 મહિના કર્યો હતો. આ સમયગાળામાં ફરી ઘટાડો કરીને 115 મહિના કરવામાં આવ્યા છે. પોસ્ટ ઓફિસની વેબસાઈટ પર જાણકારી આપવામાં આવી છે કે, કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણની રકમ પર ચક્રવૃદ્ધિ વ્યાજના આધારે વ્યાજની ગણતરી કરવામાં આવે છે.
1,000 રૂપિયાથી કરો શરૂઆત
કિસાન વિકાસ પત્ર સ્કીમમાં 1,000 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકાય છે. 100 રૂપિયાના મલ્ટીપલથી રોકાણ કરી શકાય છે. આ સ્કીમમાં મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. આ સ્કીમમાં જોઈન્ટ એકાઉન્ટ ખોલાવીને પણ રોકાણ કરી શકાય છે તથા નોમિનીની પણ સુવિધા ઉપલબ્ધ છે.
આ પ્રકારે ખોલાવો ખાતુ
કિસાન વિકાસ પત્ર યોજનામાં 10 વર્ષ કરતા ઓછી ઉંમર ધરાવતા સગીર પણ એકાઉન્ટ ખોલાવી શકે છે. તેમના તરફથી કોઈ વયસ્ક વ્યક્તિ પણ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ સગીર વ્યક્તિ 10 વર્ષની થાય ત્યારે આ એકાઉન્ટ તેના નામ પર ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. આ સ્કીમ માટે સરળતાથી એકાઉન્ટ ખોલાવી શકાય છે. જે માટે પોસ્ટ ઓફિસમાં ડિપોઝીટ રિસીપ્ટ સાથે અરજી કરવાની રહેશે, ત્યારબાદ રોકાણની રકમ રોકડ, ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટથી જમા કરવાની રહેશે.
વ્યાજદરની સમીક્ષા
તમારે આ અરજી સાથે ઓળખપત્ર પણ જોડવાનું રહેશે. ત્યારબાદ અરજી અને પૈસા જમા કર્યા બાદ કિસાન વિકાસ પત્રનું સર્ટીફિકેટ મળી જશે. સામાન્ય રીતે માનવામાં આવે છે કે, પોસ્ટ ઓફિસમાં રોકાણની રકમ સુરક્ષિત રહે છે. આ કારણોસર મોટાભાગના લોકોએ આ સ્કીમમાં રોકાણ કર્યું છે. કિસાન વિકાસ પત્ર એક સ્મોલ સેવિંગ સ્કીમ છે. દર ત્રણ મહિના સરકાર વ્યાજદરની સમીક્ષા કરે છે અને જરૂરિયાત અનુસાર ફેરફાર પણ કરે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો