કાર્યવાહી / અથડામણ બાદ પોલીસ છાવણીમાં ફેરવાયું ખંભાત, 98 આરોપીઓ સહિત ટોળા સામે ફરિયાદ

Police action against group clash akbarpur Khambhat

આણંદ જિલ્લાના ખંભાતના અકબરપુર વિસ્તારમાં રવિવારે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં બે જૂથના ટોળાએ આમને સામને પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન કેટલીક દુકાનોમાં તોડફોડ કરાઇ હતી. તો કેટલીક દુકાનોને સળગાવી દેવામાં આવી હતી. તો ટોળાએ 30થી વધુ મકાનોને પણ આગચંપી હતી. મકાનોમાં લૂંટફાટ પણ કરી હતી. પેટ્રોલ-એસિડ બોટલો સામસામે ફેંકાઇ હતી. 50 જેટલા વાહનોને પણ આગ લગાવી દીધી હતી. આ હિંસક અથડામણમાં 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને એક આધેડનું મોત નિપજ્યું હતું. તો કેટલાક પોલીસ કર્મીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ