બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM modi gujarat visit 3rd day in jamkandorna and ahmedabad
Dhruv
Last Updated: 03:59 PM, 11 October 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસથી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં PM મોદીએ 1275 કરોડોના ખર્ચે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે.
22 વર્ષ પહેલાં ગુજરાતમાં માત્ર 9 મેડિકલ કોલેજો હતી ને આજે 36 મેડિકલ કોલેજો છે: PM
22 વર્ષ પહેલાં ગુજરાતમાં માત્ર 9 મેડિકલ કોલેજો હતી ને આજે 36 મેડિકલ કોલેજો છે. 20 વર્ષ પહેલાં ગુજરાતની સરકારી હોસ્પિટલમાં અંદાજે 15 હજાર બેડ હતા અને આજે અત્યારે સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યા 60 હજાર થઇ ચૂકી છે. પહેલાં ગુજરાતમાં અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોલેજની કુલ સીટો 2200 હતી અને આજે ગુજરાતમાં 8500 બેઠકો મેડિકલ સીટ આપણા યુવાઓ માટે ઉપલબ્ધ છે. આ સિવાય આજે ગુજરાતમાં માતા મૃત્યુદર અને શિશુ મૃત્યુદરમાં પણ મોટો ઘટાડો થયો છે.'
Besides the new building for Gujarat Cancer & Research Institute,facilities like upgraded bone marrow transplant are beginning. It'll be the country's first govt hospital that'll offer modern facilities like CyberKnife: PM at launch of healthcare initiatives in Ahmedabad, Gujarat pic.twitter.com/31NT97XvYo
— ANI (@ANI) October 11, 2022
સિવિલ હોસ્પિટલના લોકાર્પણ સમયે PM મોદીએ કહ્યું કે, 'ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ માટે નવી ઇમારત ઉપરાંત અપગ્રેડેડ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સુવિધાઓ શરૂ થઈ રહી છે. તે દેશની પ્રથમ સરકારી હોસ્પિટલ હશે કે જે સાયબરનાઇફ જેવી આધુનિક સુવિધાઓ પ્રદાન કરશે.'
When the speed of development is as swift as that in Gujarat, the list of work and achievements is so long that it is difficult to count. As always, there are a lot of things that are being done by Gujarat as the first in the country: PM Narendra Modi in Ahmedabad, Gujarat pic.twitter.com/ooPKwd0t2O
— ANI (@ANI) October 11, 2022
PM મોદીએ કહ્યું કે, 'ગુજરાતમાં વિકાસની ગતિ એટલી જ ઝડપી છે ત્યારે કામ અને સિદ્ધિઓની યાદી એટલી લાંબી છે કે તેની ગણતરી કરવી મુશ્કેલ છે. હંમેશાની જેમ દેશમાં પ્રથમ તરીકે ગુજરાત દ્વારા ઘણી બધું કરવામાં આવી રહ્યું છે.'
એ દિવસ દૂર નથી કે જેમાં ભારત મેડિકલ રિસર્ચ જેવા ક્ષેત્રોમાં પોતાનો દબદબો દેખાડશે : PM
અમદાવાદમાં પ્રધાનમંત્રી | એ દિવસ દૂર નથી કે જેમાં ભારત મેડિકલ રિસર્ચ જેવા ક્ષેત્રોમાં પોતાનો દબદબો દેખાડશે : PM#Ahmedabad #PMModi pic.twitter.com/jcJzgxLfTm
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 11, 2022
20 વર્ષ પહેલા સારા શિક્ષણ અને આરોગ્ય માટે ભટકવું પડતું: PM
PM મોદીએ અમદાવાદથી સંબોધન કરતા કહ્યું કે, 'હું ગુજરાતવાસીઓને શુભેચ્છાઓ પાઠવું છું. 20 વર્ષ પહેલા સારા શિક્ષણ અને આરોગ્ય માટે ભટકવું પડતું હતું, કાયદો અને વ્યવસ્થા માટે વલખાં મારવા પડતા અને હવે જુઓ. હવે સૌનો સાથ સૌનો વિકાસની સરકાર સતત નાગરિકોની સેવા માટે કામ કરે છે.'
વડાપ્રધાન મોદીએ દર્દીઓ સાથે સાધ્યો હતો સીધો સંવાદ
PM મોદીએ વન ગુજરાત વન ડાયાલિસિસ હેઠળ 270 જેટલાં કેન્દ્રો તાલુકા કક્ષાએ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે તાલુકા કક્ષાએ તૈયાર કરાયેલા ડાયાલિસિસ કેન્દ્રો તથા કેન્સરના દર્દીઓ માટે અનિવાર્ય એવાં કિમોથેરાપી ટ્રીટમેન્ટ માટે કિમોથેરાપી પ્રોગ્રામ જિલ્લા કક્ષાએ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે જે દર્દીઓને આ સેવા મળી છે તેવાં દર્દીઓ સાથે વડાપ્રધાન મોદી સીધો સંવાદ કરી રહ્યાં છે.
સિવિલમાં રૂ.1275 કરોડથી વધુની આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
દેશની સૌથી મોટી કિડની હોસ્પિટલનું લોકાર્પણ
PM મોદી અમદાવાદ આવતા પહેલાં 35 મિનિટ સુધી રાજકોટ એરપોર્ટ પર રોકાયા
PM મોદીએ આજે જામકંડોરણામાં વિશાળ જનસભાને સંબોધી હતી. ત્યારે હવે PM મોદી રાજકોટથી અમદાવાદ આવવા રવાના થઇ ગયા છે. જ્યાં તેઓ સિવિલ હોસ્પિટલમાં 712 કરોડની આરોગ્યલક્ષી સુવિધાઓનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પરંતુ એ પહેલાં તમને જણાવી દઇએ કે, PM મોદી અમદાવાદ આવતા પહેલાં 35 મિનિટ જેટલો સમય રાજકોટ એરપોર્ટ પર રોકાયા હતા. PM મોદીએ ભાજપ આગેવાન કશ્યપ શુક્લ અને નીતિન ભારદ્વાજના પરિવાર સાથે મુલાકાત કરી હતી. કશ્યપ શુક્લએ PM સાથેની મુલાકાત અંગે માહિતી આપતા જણાવ્યું કે, '2 વર્ષ પહેલા તેમની પુત્રીના લગ્નમાં આમંત્રણ આપ્યું હતું. પરંતુ મુલાકાત ન થઈ શકી હોવાના કારણે આજે મળવા બોલાવ્યા હતા.'
ભૂપેન્દ્રભાઈએ બેટદ્વારકાને કબ્જામાંથી મુક્ત કરાવી દીધું: PM
વધુમાં PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલના વખાણ કરતા કહ્યું કે, 'ભૂપેન્દ્રભાઈની મક્કમતા જુઓ, બેટદ્વારકાને કબ્જામાંથી મુક્ત કરાવી દીધું અને બધું શાંતિથી પતાવી પણ દીધું.'
જામકંડોરણામાં PM મોદીની જનસભા | ભૂપેન્દ્રભાઈની મક્કમતા જુઓ, બેટદ્વારકાને કબ્જામાંથી મુક્ત કરાવી દીધું અને બધુ શાંતિથી પતાવી દીધું: PM મોદી#PMNarendraModi #Rajkot#GujaratElections2022#Gujarat #jamkandorna
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 11, 2022
મારે મારા ભાજપના કાર્યકરોને ચેતવવા છે: PM
મારે ભાજપના કાર્યકર્તાઓને ચેતવવા છે, મને દૂરથી બધું જ દેખાય છે, હું દિલ્હીથી આખો ખેલ જોઈ રહ્યો છું આથી મારે મારા ભાજપના કાર્યકરોને ચેતવવા છે. આ વખતે કોંગ્રેસ કોઈ સભાઓ નથી કરતી, કોઈ પત્રકાર પરિષદ નથી કરતી, એણે નવી ચાલાકી કરી છે. બોલવું નહીં, ચૂપચાપ ગામડે-ગામડે જઈ વોટ માંગી રહ્યાં છે અને ખાટલા સભાઓ કરીને કહી રહ્યાં છે કે એક વાર વોટ આપી દો અને આટલું જ નહીં હોબાળો કરવાનો કૉન્ટ્રૅક્ટ બીજાને આઉટસોર્સ કરી દીધો છે.'
પહેલાં સુરત-ભરૂચ જવું હોય તો બે રાત રોકાવું પડતું, આજે સાંજે કામ પતાઇને ઘરે પાછા આવી જાઓ: PM
PMએ કહ્યું કે, 'અહીંયા રાજકોટ, ભાવનગર, અમરેલી, જામનગર કેટલાંય સાથીઓ સુરત, ભરૂચ, દહેજ, અંકલેશ્વરથી કનેક્ટ થઇ ગયા, પહેલાં સુરત-ભરૂચ જવું હોય તો બે રાત રોકાવું પડતું ને આજે સવારે નીકળો સાંજે રોરોમાં પાછો આવો, કામ પતાઇને ઘરે પાછા આવી જાઓ.'
નરેન્દ્ર-ભૂપેન્દ્રની ડબલ એન્જિનની સરકાર લઘુઉદ્યોગ માટે બે હાથમાં લાડુ આપ્યા હોય એવી પોલિસી લાવ્યા: PM
અમારા ભૂપેન્દ્રભાઇની સરકાર, નરેન્દ્ર અને ભૂપેન્દ્રની ડબલ એન્જિનની સરકાર એ તો નવી ઔદ્યોગિક જે પોલિસી લઇને આવી છે ને એને તો આ લઘુઉદ્યોગ માટે જાણે આમ બે હાથમાં લાડુ આપ્યા હોય ને એવી પોલિસી લાવ્યા છે અને એના માટે હું ભૂપેન્દ્રભાઇ અને એમની ટીમને અભિનંદન પાઠવું છું કે આવી દીર્ઘદ્રષ્ટિવાળી પોલિસી લાવીને નક્કર કામોને ગતિ આપવાની જે દિશા પકડી છે એ મારી માટે ગૌરવની વાત છે, સંતોષની વાત છે.'
એક સમયે રાજકોટમાં પાણી માટે લોકો વલખાં મારતા હતા: PM
PM મોદીએ કહ્યું 'ઘરમાં નળ હોય, નળમાં પાણી આવે, ગામડામાં સાંજે ખાવા બેઠા હોય અને ખાતી વખતે વિજળી આવે એવી લોકો પહેલાં અપેક્ષા કરતા હતા. એવાં અનેક લોકો હશે, રાજકોટની અંદર આજે ટ્રેન આવશે, પાણી લઇ આવશે, બે ડોલ પાણી મને મળી જશે એની રાહ જોઇને અડધો-અડધો દિવસ લાઇનમાં ઊભેલા લોકો અહીં બેઠા હશે. એક સમયે પાણી માટે લોકો વલખાં મારતા હતા. રાજકોટમાં દરેક ઘરની બહાર એક કુંડી બનાવી હોય અને નીચેથી નળના ટપક-ટપક પાણી ભરીને ઘરમાં લોકો દહાડા કાઢતા.'
PM મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઇને કોંગ્રેસ પર કર્યો કટાક્ષ
PM મોદીએ કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, 'આપણા સરદાર સાહેબનું ભવ્ય સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે દુનિયાભરના લોકો જોવા આવી રહ્યાં છે. હાં એક જમાત નથી જતી. ખબર નહીં એમને શું તકલીફ છે. તમારા ગામમાં આજુબાજુમાં જો કોઇ કોંગ્રેસવાળા ભાઇ રહેતા હોય તો એને પૂછજો કે તમે સરદાર સાહેબનું આવડું મોટું સ્ટેચ્યુ બન્યું છે તો એકપણ વાર તમે કોંગ્રેસવાળા જઇ આવ્યાં કે ના જઇ આવ્યાં. એકાદ એકલદોકલ ગયો હશે તો પણ મોં છુપાવીને ગયો હશે. કોઇને ખબર ના પડી જાય.'
મારે છાશવારે એવાં કામ કરવાના આવે છે કે જે હું પહેલી વાર કરું છું: PM
PM મોદીએ જામકંડોરણામાં જાહેર જનસભાને સંબોધતા કહ્યું કે, 'હું પહેલો એવો પ્રધાનમંત્રી છું કે જે જામકંડોરણામાં આવ્યો છું. મારે છાશવારે એવાં કામ કરવાના આવે છે કે જે હું પહેલી વાર કરું છું. પહેલાં કોઇએ કર્યા નથી. જ્યારે આ ક્ષેત્રમાં હું આવું ત્યારે મારા વિઠ્ઠલભાઇ રાદડિયાની મને યાદ જરૂર આવે. આજે દેશના બે મહાન મહાપુરૂષોની જયંતિ છે કે જેમને દેશની રાજનીતિ બદલી એવું જ નહીં પણ દેશની યુવાપેઢીમાં એક નવો વિશ્વાસ પેદા કર્યો છે. આ બે એવાં મહાન સપૂતો છે કે જેમણે આજે આ દેશે ભારતરત્નથી સમ્માનિત કર્યા છે. એક આપણા જયપ્રકાશ નારાયણ અને બીજા આપણા નારાયણ દેશમુખ.'
જાણો PM મોદીનો આજનો શું હતો કાર્યક્રમ?
જાણો રાજકોટમાં શું છે PMનો આજનો કાર્યક્રમ?
જાણો અમદાવાદમાં શું છે આજનું આયોજન?
કિડની રિસર્ચ માટે નવી હોસ્પિટલનું લોકાર્પણ કરશે
રૂ.140 કરોડના ખર્ચે બનેલી નવી બિલ્ડિંગ ‘સી’નું લોકાર્પણ
સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
PM મોદી આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. સિવિલ કેમ્પસમાં વડાપ્રધાન મોદી રૂપિયા 712 કરોડની સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. જેમાં હૃદયની અદ્યતન સારવાર માટે આધુનિક મશીનોનું લોકાર્પણ વડાપ્રધાન મોદી કરશે. સાથે રૂપિયા 54 કરોડના આધુનિક મશીનો અને વિશ્વસ્તરીય સુવિધાઓનું લોકાર્પણ અને હૃદય અને ફેફસાના પ્રત્યારોપણ માટેના કેન્દ્રનું લોકાર્પણ કરશે.
તદુપરાંત UN મહેતા હોસ્પિટલમાં 10 માળની હોસ્ટેલ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં બે બેઝમેન્ટ, 176 રૂમ, સેન્ટ્રલ લાઇબ્રેરી અને મ્યુઝિયમ બનાવાયું છે. જેનું વડાપ્રધાન મોદી લોકાર્પણ કરશે. સાથે વડાપ્રધાન મોદી રૂપિયા 408 કરોડના ખર્ચે તૈયાર થયેલી કિડની રિસર્ચ હોસ્પિટલનું લોકાર્પણ અને મેડિસીટીમાં રૂપિયા 140 કરોડના ખર્ચે નિર્મિત GCRI અને IKDRCની નવી બિલ્ડિંગનું લોકાર્પણ કરશે.
આ સાથે 408 કરોડના ખર્ચે તૈયાર 850 બેડની સુવિધાની હોસ્પિટલનું લોકાર્પણ કરશે. જેમાં 22 હાઇટેક ઓપરેશન થિયેટર, 12 ICU, આધુનિક લેબોરેટરી અને એક સાથે 62 ડાયાલિસીસ કરવાની સુવિધા ઉપલબ્ધ બનશે. સાથે જ વડાપ્રધાન મોદી રૂપિયા 140 કરોડના ખર્ચે બનેલી નવી બિલ્ડિંગ ‘સી’નું લોકાર્પણ કરશે. જેને કારણે જનરલ વોર્ડના બેડની સંખ્યા વધીને 187 થશે. ઉપરાંત બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ 4થી વધીને 11 થશે. સાથે જ વડાપ્રધાન મોદી લાઇબ્રેરી અને 317 સિટીંગ ક્ષમતાના ઓડિટોરિયમનું લોકર્પણ કરશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime