બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / PM Modi can come to Gujarat once again
Khyati
Last Updated: 02:51 PM, 29 August 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ રહ્યા છે. જેને લઇને ગુજરાત ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તેમાં પણ ખાસ કરીને પીએમ મોદી અને અમિતશાહ પણ ગુજરાતની ચૂંટણીને લઇને અવારનવાર મુલાકાત લઇ રહ્યા છે. વિકાસના કામોનું લોકાર્પણ કરી રહ્યા છે. પીએમ મોદી હજી હમણા જ અમદાવાદ અને કચ્છના પ્રવાસે હતા ત્યારે હવે ફરી એકવાર તેઓ ગુજરાતમાં આવી શકે છે. પીએમ મોદી ભાજપના યુવા સંમેલનમાં હાજરી આપવા ગુજરાત પ્રવાસે આવી શકે છે. પ્રદેશ ભાજપ યુવા સંમેલનનું 11 સપ્ટેમ્બરે આયોજન કરી શકે છે. ભાજપ પ્રદેશ સ્તરે યુવા સંમેલન યોજી શકે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સંમેલન યોજાઇ શકે છે. જો કે હજી તો માત્ર શક્યતાઓ જ જણાઇ રહી છે.
PM મોદી ખાદી મહોત્સવમાં આપી હાજરી
મહત્વનું છે કે પીએમ મોદી હમણા જ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા હતા. 27 ઑગષ્ટના રોજ તેઓએ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવમાં હાજરી આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદ એરપોર્ટ પર જ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે બેઠક કરી હતી. બાદમાં તેઓ ખાદી મહોત્સવમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. ખાદી મહોત્સવમાં પ્રધાનમંત્રી મોદીએ રેટિંયો કાંતી રહેલી મહિલાઓ સાથે વાતચીત કરી હતી. તો બાદમાં પોતે પણ ચરખો કાંત્યો હતો.
ફૂટ ઓવરબ્રિજનું કર્યુ હતું લોકાર્પણ
પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે અટલ ફૂટ ઓવરબ્રિજના લોકાર્પણ કર્યુ હતું. આ સમયે અટલજીના સંસ્મરણો યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતે અટલજીને ખૂબ પ્રેમ આપ્યો. સાથે જ તેમણે જણાવ્યું કે, અટલજી 1996માં ગાંધીનગરથી ચૂંટણી જીત્યા હતા. આ ફૂટ ઓવરબ્રિજ માત્ર સાબરમતી નદીના કિનારાને જ નથી જોડતો પરંતુ બ્રિજની એક વિશેષતા પણ છે, તેની બનાવટમાં પતંગ મહોત્સવનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
કચ્છમાં સ્મૃતિવન-વીર બાળક સ્મારકનું લોકાર્પણ
તો 28 ઑગષ્ટે પીએમ મોદી કચ્છમાં હતા. તેઓનું ભૂજમાં ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું. PM મોદી જેવા કચ્છ પહોંચ્યા રસ્તાની બંને તરફ ભારે સંખ્યામાં ભીડ ભેગી થઈ જતાં તેઓ પોતાને રોકી ન શક્યા અને ગાડીમાંથી બહાર ઉતર્યા અને રોડ શો શરૂ થઈ ગયો. લોકો હાથમાં તીરંગા લઈને પીએમ મોદીનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. પીએમ મોદીના હસ્તે સ્મૃતિ વન તથા વીર બાળક સ્મારકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સ્મૃતિ વન ભૂકંપને લગતું મ્યુઝિયમ છે જ્યારે વીર બાળક સ્મારકમાં 185 બાળકો તથા 20 શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપતું મેમોરિયલ છે. આ બાળકો રેલી દરમિયાન જ ભૂકંપ આવતા દટાઈ ગયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો