આજે દશેરાના દિવસે શમીનો છોડ વાવવાથી શનિની સાડા સાતીની ખરાબ અસરથી મુક્તિ મેળવી શકાય છે.
આજે દશેરાનો અવસર
આજના દિવસે ઘરમાં વાવવો જોઈએ શમીનો છોડ
શનિની સાડા સાતીની અસર ઓછી થાય છે
આજે દશેરાનો અવસર
દશેરા ખરાબ પર સારાની જીતનાં પર્વ તરીકે ઓળખાય છે. આ દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો. દેશમાં દરેક તહેવારને મનાવવાની અલગ અલગ રીત હોય છે. દશેરાના દિવસે ભારતના અમુક ક્ષેત્રોમાં શમી વૃક્ષની પૂજા કરવામાં આવે છે. જોકે, ખાસકરીને ક્ષત્રિયોમાં આ પૂજનનું મહત્વ વધારે હોય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, મહાભારત યુદ્ધમાં પાંડવોએ આ જ વૃક્ષ પર હથિયાર છુપાવ્યા હતા અને ત્યાર બાદ તેમણે કૌરવો સામે જીત મેળવી હતી. કહેવામાં આવે છે કે શમીનાં છોડની નિયમિત રૂપથી પૂજા કરવાથી પરિવારમાં સુખ શાંતિ આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, આ છોડ આવનારી આપત્તિઓનાં પહેલાથી જ સંકેત આપી દે છે.
પૈસાની તંગી દૂર થાય છે
શમીના છોડથી પૈસાન તંગી પણ દૂર થાય છે. આ છોડ તમારા ઘરના કલેશને ખતમ કરી દે છે અને માન્યતા છે કે આ છોડ વાવવાથી શનિની સાડા સાતીની ખરાબ અસરથી બચી શકાય છે. આ ઉપરાંત લગ્ન સંબંધિત તકલીફો દૂર કરવામાં પણ આ છોડ કારગર માનવામાં આવે છે.
દોષોનું નિવારણ
શમીના વૃક્ષ પર ઘણા દેવતાઓનો વાસ હોય છે. બધા જ યજ્ઞોમાં શમીનું વૃક્ષ શુભ માનવામાં આવે છે. શમીના કાંટાનો પ્રયોગ તંત્ર - મંત્ર અને નકારાત્મક શક્તિઓનાં નાશ માટે થાય છે. શમીનાં પંચાંગ એટલે કે ફૂલો, પાંદડા, મૂળ, ડાળીઓ અને રસનો ઉપયોગ કરીને શનિ સાથે સંબંધિત દોષોથી મુક્તિ મેળવી શકાય છે. શમીનાં છોડને ઘરનાં ઇશાન કોણમાં લગાવવો લાભકારી માનવામાં આવે છે. આમાં પ્રાકૃતિક રીતે અગ્નિ તત્વ મળે છે.
આ પ્રકારે કરવી જોઈએ શમીના છોડની પૂજા
દશેરાના દવસે ભગવાન શ્રી રામ અને દેવીની પૂજા બાદ શમીના છોડનાં મૂળમાં જળ અર્પિત કરવું જોઈએ. ત્યાર બાદ લાલ કલરના ફૂલ અને ફળ અર્પિત કરવા જોઈએ. પછી ઘી અથવા તેલનો દીવો કરવો જોઈએ અને ધ્યાન રહે કે તેની વાટ મોલીની હોવી જોઈએ. ત્યાર બાદ ચંદન અને કુમકુમ લગાવ્યા બાદ અગરબત્તી લગાવો. હાથ જોડીને શમીનાં છોડની સામે પોતાની વ્યથા વ્યક્ત કરો અને તેનાથી છૂટકારો મળે તેવી પ્રાર્થના કરો.
શમીના છોડનાં નિયમો
જણાવી દઈએ કે આ છોડ શનિદેવનો છોડ માનવામાં આવે છે અને એટલા માટે ઘરમાં લાગેલા શમીનાં છોડની નીચે શનિવારે દીવો કરો. માનવામાં આવે છે કે આ છોડની નિયમિત રૂપથી પૂજા કરવાથી દરેક પીડાનો નાશ થાય છે. આ છોડને લઈને અમુક નિયમો છે, જેમ કે શમીના છોડને સ્નાન કર્યા વગર સ્પર્શ ન કરવો જોઈએ તથા રાત્રે પણ સ્પર્શ ન કરો. જો તમે સારા કામ માટે ઘર જતા સમયે આ છોડનાં દર્શન કરો તો ફાયદા મળે છે. આ છોડને નિયમિત રૂપથી જળ અર્પિત કરવું જોઈએ.