બ્રેકિંગ ન્યુઝ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
Bijal Vyas
Last Updated: 06:55 PM, 12 September 2023
Pitru paksha 2023: સનાતન ધર્મમાં પૂર્વજોનું મહત્વ ઘણું વધારે છે. થોડા દિવસોમાં પિતૃ પક્ષ શરૂ થવા જઈ રહ્યો છે. પૂર્વજોની આત્માની શાંતિ માટે પિંડ દાન આપવામાં આવે છે અને પિતૃ પક્ષના દિવસોમાં શ્રાદ્ધ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, જો તમારા પૂર્વજો ગુસ્સે હોય તો ઘરમાં અપ્રિય વસ્તુઓ થવા લાગે છે. ક્લેશ વધે છે. પૈસા આવે છે તેના કરતા ખર્ચ તેનાથી વધી જાય છે. સાથે જ જો પૂર્વજો પ્રસન્ન હોય તો તેમના આશીર્વાદથી પરિવાર સુખી અને સમૃદ્ધ રહે છે. જ્યોતિષ અનુસાર,એવા ઘણા વૃક્ષો છે જેમાં પૂર્વજોનો વાસ હોય છે. જો તે વૃક્ષો વાવી તેની પૂજા કરવામાં આવે તો પિતૃઓ પ્રસન્ન થાય છે.
જ્યોતિષ કહે છે કે, પિતૃ પક્ષ 15 દિવસ સુધી ચાલે છે. આ દિવસોમાં તર્પણ અને શ્રાદ્ધ કરવામાં આવે છે. પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે પિતૃ પક્ષ મહત્ત્વનો સમય માનવામાં આવે છે. આપણી આજુબાજુ એવા ઘણા વૃક્ષો છે જેનું વાવેતર અને પૂજન કરવાથી તેને દૂર કરી શકાય છે. જેમાં પીપળો, વડ, બિલપત્ર, તુલસી, આસોપાલવના છોડ સામેલ છે.
આ ઝાડમાં થાય છે પિતૃઓનો વાસ :
1. પુરાણો અનુસાર, પીપળાના ઝાડમાં પિતૃઓનો વાસ હોય છે. તેથી તમે તમારા ઘરની નજીક પીપળાનું ઝાડ લગાવી શકો છો. પિતૃપક્ષના દિવસોમાં પીપળના ઝાડ પર રોજ જલાભિષેક કરવાથી અને ત્યાં તલ ચઢાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.
2. માનવામાં આવે છે કે, આસોપાલવના વૃક્ષ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. આ ઉપરાંત પૂર્વજો પણ તેમાં વાસ હોય છે. જો તમે પિતૃ પક્ષને ઘરના દરવાજા પર લગાવો છો તો પિતૃઓ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે.
3. શાસ્ત્રો અનુસાર વટવૃક્ષ એટલે વડને મોક્ષ આપનાર વૃક્ષ માનવામાં આવે છે. વટવૃક્ષને સાક્ષી તરીકે માતા સીતાએ રાજા દશરથને પિંડદાન અર્પણ કર્યું હતુ, આ વૃક્ષને જળ ચઢાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.
4. ધાર્મિક માન્યતા અનુસાર, બિલિપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે. માનવામાં આવે છે કે, તેમના પાંદડામાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો વાસ છે. તેથી, પિતૃ પક્ષ દરમિયાન આ છોડનું વાવેતર કરવું જોઈએ. આનાથી પૂર્વજો પ્રસન્ન થાય છે.
5. હિંદુ ધર્મમાં તુલસીના છોડને સૌથી શુભ માનવામાં આવે છે. દરેક પૂજામાં તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. માનવામાં આવે છે કે તુલસીના છોડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. પિતૃપક્ષ દરમિયાન તુલસીનો છોડ લગાવો તો પિતૃઓ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે.
ક્યારે છે પિતૃપક્ષ:
ભાદરવા મહિનાની પૂર્ણિમા તિથિ પૂરી થતાં જ પિતૃ પક્ષ અશ્વિન સાથે શરૂ થશે, એટલે કે 30 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને 14 ઓક્ટોબરે અમાવસ્યા તિથિ સુધી ચાલશે. પિંડ દાન કુલ 15 દિવસ સુધી કરવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh