બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Patidar leaders including Naresh Patel meeting with CM Bhupendra Patel tomorrow

પ્રેશર / 2022ની ચૂંટણી પહેલા નરેશ પટેલ સહિતના પાટીદાર અગ્રણીઓની આવતીકાલે CM સાથે બેઠક, આ મુદ્દા ચર્ચાશે

Vishnu

Last Updated: 08:26 PM, 19 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી પહેલાની આ બેઠક મહત્વની મનાઈ રહી છે પાટીદાર અનામત આંદોલન કેસ સહિતના સામાજિક મુદ્દે ચર્ચાની સંભાવના

  • વિધાનસભાની ચૂંટણી અગાઉ સામાજિક સંગઠનો થયા સક્રિય
  • બુધવારે પાટીદાર આગેવાનો મુખ્યમંત્રીને મળશે 
  • કાલે CM નિવાસ્થાન ખાતે મોટી બેઠક 

ગુજરાતનું રાજકારણ પાટીદાર સમાજની આસપાસ હંમેશા કેન્દ્રિત રહ્યું છે. 2022ની ચૂંટણી નજીક આવતા રાજ્યમાં બેઠક પોલિટિક્સનો દોર વધ્યો છે. ત્યારે ફરી એકવાર પાટીદાર પાવર દેખાવડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.   મુખ્યમંત્રી નિવાસસ્થાને  આવતીકાલે બુધવારે મોટી બેઠક મળવા જઈ રહી છે. આંતરરાષ્ટ્રીય પાટીદાર ફેડરેશનના નેજા હેઠળ મળવા જઈ રહેલી આ બેઠકમાં પાટીદાર અગ્રણીઓની મુખ્યમંત્રી મળી રજૂઆત તેમજ સમાજને મુઝવતા પ્રશ્નો અંગે ચર્ચા કરશે. મહત્વનું છે કે આ અગાઉ 7 જુલાઇના રોજ બેઠક મળવાની હતી પણ છેલ્લી ઘડીએ બેઠક રદ્દ થઈ હતી. 

બેઠકમાં કોણ કોણ રહેશે ઉપસ્થિત?

  • નરેશ પટેલ, બાબુ જમના પટેલ
  • જયરામ પટેલ, રમેશ દૂધવાળા 
  • સી.કે.પટેલ, મણીભાઈ મમ્મી

પાટીદાર અનામત આંદોલન કેસ પરત અંગે ચર્ચા થશે
ઘણા સમયથી પાટીદાર સમાજ  અને સંસ્થાઓ એક સૂરે અનામત કેસ પરત અંગે સરકારને નરમ પડે તેવા પ્રત્યન કરી રહી છે.  ભાજપના પાટીદાર ધારાસભ્યો અને સાંસદો પણ આ મુદે સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆતો કરી ચૂક્યા છે. ત્યારે ચૂંટણી પહેલાની આ બેઠક મહત્વની મનાઈ રહી છે. આ બેઠકમાં પાટીદાર અનામત આંદોલન કેસ સહિતના મુદ્દે ચર્ચા થશે. 

15 ટકા વસ્તી ધરાવે છે પાટીદાર સમાજ 
હાલ 15 ટકાની વસ્તી ધરાવતો પાટીદાર સમાજ રાજ્યના રાજકારણમા ખૂબ જ મહત્વનું પાસું ધરાવે છે.જો કે હાલ રાજ્યમા OBC સમાજ 40 ટકા છે,જ્યારે પાટીદાર 15 ટકા છે,પરંતુ રાજકીય પ્રભાવ અને વગ વધારે છે, સમાજ એક થઈ ચૂંટણીમાં મત આપે છે. 

પાટીદારોનો કેટલો છે પાવર? 

  • - રાજ્યમાં કડવા અને લેઉવા પાટીદાર સમુદાયની 15 ટકા વસ્તી છે 
  • - જેથી 2012માં 182 ધારાસભ્યો માંથી 50 ધારાસભ્યો  પાટીદાર સમુદાયમથી હતા 
  • - 2012મા જીતેલા 50 ધારાસભ્યોમાંથી  36 ધારાસભ્યો ભાજપ માંથી ચૂંટાયા હતા 
  • - પાટીદાર આદોલન બાદ સમીકરણ બદલાયા અને કોંગ્રેસેની પાટીદારમાં સીટો વધારો થયો 
  • - 2017માં ભાજપના  28 અને કોંગ્રેસના 20 પાટીદાર ધારાસભ્યો વિજય બન્યા 
  • - જો કે કોગેસના મળેલા 2017માં વિજય થયેલા 20 ધારાસભ્યોમા ફક્ત 11 પાટીદાર ધારાસભ્યો કોગેસ માંથી ચૂંટાયા હતા 
  • - 2017માં ભાજપનાં 8 ધારાસભ્યો ઘટાડો થયો હતો 
  • - હાલ ભાજપનાં 44 ધારાસભ્યો, ત્રણ કડવા અને ત્રણ લેઉવા પટેલમાંથી એમ 6 સાંસદો જ્યારે ત્રણ સાંસદો હાલ રાજ્યસભામાં પાટીદાર સમુદાયના છે

હાલ તો પાટીદાર સમુદાય એક મંચ પર આવ્યા બાદ આડકતરી રીતે સમાજને પ્રધાન્ય આપવાનો મેસેજ આપવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમીએ પણ પગ પેસારો કર્યો છે ત્યારે આવનાર વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગમા પાટીદાર કર્યા પક્ષને સમર્થન કરે છે તે તો જોવું જ રહ્યું
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ