બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Parshotam Rupala Request to file a complaint against

આણંદ / માફી બાદ પણ ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત, પરશોતમ રૂપાલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવાની માગ

Dinesh

Last Updated: 05:56 PM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

loksabha Election 2024: ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાના નિવેદનને લઈ આણંદમાં ક્ષત્રિય સેના, મહાકાલ સેના અને રાજપૂત યુવા સંગઠને સંયુક્ત રીતે આવેદનપત્ર પાઠવ્યું છે

લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ઉગ્ર બન્યો છે. જેમાં વિવિધ નિવેદન બાજીઓએ પણ જોર પકડ્યું છે. ત્યારે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદનને લઈ બે બે વાર માફી માંગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.  

પરશોતમ રૂપાલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવાની કરી માગ 
ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાના નિવેદનને લઈ આણંદમાં ક્ષત્રિય સેના, મહાકાલ સેના અને રાજપૂત યુવા સંગઠને સંયુક્ત રીતે આવેદનપત્ર પાઠવ્યું છે. સાથો સાથ પરશોતમ રૂપાલા વિરૂદ્ધ ફરિયાદ નોંધવાની પણ માગ કરી છે. કલમ 156(1) અને 352 મુજબ ફરિયાદ નોંધવા માગ કરી આણંદમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સમાજના આગેવાનોએ કહ્યું કે, ક્ષત્રિય સમાજને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરાશે

મહેસાણામાં આવેદન પત્ર પાઠવવામાં આવ્યું
મહેસાણામાં પણ શહેર રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે, જેમાં જણાવ્યું છે કે, પરશોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરૂદ્ધ જાહેર મંચ ઉપરથી અભદ્ર ટીપ્પણી કરતુ ભાષણ કરેલ હોઈ સમગ્ર દેશમાં ક્ષત્રિય સમાજને માનહાની થઈ છે અને સમગ્ર સમાજની લાગણી દુભાવી છે. જેથી વડાપ્રધાન અને પ્રદેશ અધ્યક્ષને વિનંતી છે કે, રૂપાલાજીની ઉમેદવારી પત્ર રદ કરવા અમારી માંગણી છે.  

વધુ વાંચોઃ હું ભાજપના તમામ પદેથી રાજીનામું આપું છું', પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ હવે રાજ શેખાવતના પાર્ટીને 'રામ-રામ'

પદ્મિનીબાએ શું કહ્યું હતું ?
પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરેલ વિવાદ ધીમે ધીમે વધી રહ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાની ટિકિટ પરત ખેંચવાની માંગને લઈ ક્ષત્રિય સમાજમાં મતમતાંતર જોવા મળી રહ્યો છે. કરણી સેનાનાં મહિલા અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ નિવેદન આપ્યું હતું કે, ક્ષત્રિય સમાજ અંગે નિર્ણય કરનારા જયરાજસિંહ કોણ છે? ગઈકાલે જે સંમેલન મળ્યું તે રાજકીય સંમેલન હતું. રુપાલાની ટિકિટ રદ્દ કરવામા આવે તેવી અમારી માંગ છે. જયરાજસિંહ સમાજનાં નિર્ણય ન લઈ શકે. અમે રુપાલાને માફ નથી કર્યા. અમારો વિરોધ ચાલુ રહેશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ