બ્રેકિંગ ન્યુઝ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર
લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર
રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો
લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર
VTV / ગુજરાત / Politics / અમદાવાદ / After Parshottam Rupala statement now Raj Shekhawat party will be called 'Ram-Ram'
Vishal Khamar
Last Updated: 01:09 PM, 30 March 2024
કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે આજે ભાજપનાં પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દેતા વિવાદ વધવા પામ્યો છે. ત્યારે ભાજપનાં રાજકોટ લોકસભા બેઠકનાં ઉમેદવાર પુરુશોત્તમ રુપાલા દ્વારા કરેલ વિવાદિત નિવેદનને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમજ ક્ષત્રિય સમાજ દ્વારા પુરુશોત્તમ રુપાલાની ટિકીટ રદ્દ કરવાની માંગ પણ કરવામાં આવી છે. ગોંડલમાં ગઈ કાલે યોજવામાં આવેલી ક્ષત્રિય સમાજની બેઠકને કરણી સેનાનાં પ્રમુખ રાજ શેખાવતે ભાજપ પ્રેરિત ગણાવી વિરોધ કર્યો હતો.
રાજ શેખાવત ક્યારે ભાજપમાં જોડાયા હતા
તા. 24 નવેમ્બર 2022 નાં રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક નેતાઓ-આગેવાનો અલગ-અલગ રાજકીય પક્ષોમાં જોડાઇ રહ્યા હતા. ત્યારે કરણી સેનાના પ્રદેશ પ્રમુખ પણ તેઓનાં સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. રાજ શેખાવત હમેંશા રાજપૂત સમાજના મુદ્દા ઉઠાવતા રહ્યા છે. તેમજ કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ખુદ ફેસબુક ઉપર પોસ્ટ કરી ભાજપમાં જોડાવાની પુષ્ટિ કરી હતી.
વધુ વાંચોઃ શું સાબરકાંઠા લોકસભા બેઠક પરથી બદલાશે ઉમેદવાર? વિવાદ વચ્ચે આજે આગેવાનો સાથે CMની બેઠક
કોણ છે રાજ શેખાવત ?
કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવત એક સમયે BSFમાં સેવા આપતા હતા. હવે તેઓ અમદાવાદમાં એક ખાનગી સુરક્ષા એજન્સી પણ ચલાવે છે. હાલમાં રાજ શેખાવત કરણી સેનાના ગુજરાત પ્રમુખ તરીકે સમગ્ર રાજ્યમાં જાણીતા છે.અગાઉ તેમની આગેવાની હેઠળની કરણી સેનાએ ગુજરાતમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'નો વિરોધ કર્યો હતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh