બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Parineeti and Raghav are getting married on 24 September in Udaipur, wedding card photo

શરણાઈ વાગી! / ચર્ચિત કપલ પરિણીતી-રાઘવની લગ્નની તારીખો જાહેર, યુનિક વેડિંગ કાર્ડથી મોંઘેરા મહેમાનોને આમંત્રણ, ખાસ રિસોર્ટમાં લેવાશે લગ્ન

Vaidehi

Last Updated: 06:01 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુભઘડી આ ગઈ! પરિણીતિ અને રાઘવનાં લગ્નની શરણાઈ 24 સપ્ટેમ્બરનાં વાગશે. જુઓ વેડિંગ કાર્ડનો ફોટો.

  • પરિણીતિ અને રાઘવ કરી રહ્યાં છે લગ્ન
  • 23-24 સપ્ટેમ્બરનાં રોજ ઉદયપુરમાં કરશે ગ્રાન્ડ વેડિંગ
  • લગ્નનાં કાર્ડમાં લખી છે તમામ માહિતી

બોલીવુડ એક્ટ્રેસ પરિણીતિ ચોપડા અને આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા આ મહિને લગ્ન કરી રહ્યાં છે. આ કપલ ઉદયપુરમાં 23-24 સપ્ટેમ્બરનાં રોજ ગ્રાન્ડ વેડિંગ કરવા જઈ રહ્યાં છે. લગ્નનાં કાર્ડમાં પણ ઉદયપુર દેખાડવામાં આવ્યું છે. 

તાજ લેક પેલેસથી રાઘવ ચઢ્ઢાની જાન નિકળશે
ઉદયપુરનાં તાજ લેક પેલેસથી રાઘવ ચઢ્ઢાની જાન નિકળશે. શક્યતા છે કે જાનૈયાઓ બોટ મારફતે ધ લીલા પેલેસમાં પહોંચશે. જ્યાં પરિણીતિ અને રાઘવની ડ્રિમ વેડિંગ થશે. જુઓ કાર્યક્રમની લિસ્ટ:

  1. 23 સપ્ટેમ્બરનાં મહેમાનોનું સ્વાગત અને જમણવાર
  2. 23 સપ્ટેમ્બરનાં સવારે 10 વાગ્યે પરિણીતિની ચૂડા સેરેમની
  3. 24 સપ્ટેમ્બરનાં બપોરે 1 વાગ્યે તાજ લેક પેલેસમાં રાઘવની સેહરાબંધી સેરેમની
  4. બપોરે 2 વાગ્યે તાજ લેક પેલેસથી જાન નિકળશે
  5. લીલા પેલેસમાં 3.30 વાગ્યે જયમાલા કાર્યક્રમ
  6. સાંજે 4 વાગ્યે ફેરા અને સાંજે 6 વાગ્યે પરિણીતિ ચોપડાની વિદાય
  7. 24ની રાત્રે 8.30એ કોર્ટયાર્ડમાં રિસેપ્શન સેરેમની

સગાઈ ક્યારે થઈ હતી?
આ કપલને સૌથી પહેલા ડિનર ડેટ પર સ્પોટ કરવામાં આવ્યાં હતાં જે બાદ બંનેનાં રિલેશનશિપની ચર્ચા થઈ રહી હતી. 13 મે 2023નાં રોજ આ કપલે સગાઈ કરી. હવે સગાઈનાં લગભગ 4 મહિના બાદ બંને લગ્નનાં બંધનમાં બંધાવા જઈ રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ