જો આપે 30 સપ્ટેમ્બર સુધી પોતાનાં પાનકાર્ડને આધાર સાથે લિંક નથી કર્યુ તો આપને મોટું નુકસાન થવાની સંભાવના છે. આયકર વિભાગનાં આદેશ અનુસાર, એક ઓક્ટોબર બાદથી જો પાનકાર્ડ આધાર સાથે લિંક નહીં હોય તો તે રદ થઇ શકે છે એટલે કે આ નુકસાનથી બચવા માટે આપે માત્ર છ દિવસની અંદર જ પાનકાર્ડને આધાર સાથે લિંક કરવાનું રહેશે.
PAN card આધાર સાથે લિંક નહીં કરો તો થઇ જશે અમાન્ય
પાનકાર્ડ લિંક નહીં થાય તો લેણદેણ પણ નહીં થઇ શકે
આ રીતે જો આપનું પાનકાર્ડ આધાર સાથે લિંક નહીં થાય તો તેનો ઉપયોગ કોઇ પણ પ્રકારની લેણદેણ પણ નહીં થઇ શકે. તે અમાન્ય થઇ જશે. જો કે સરકારે હજી સુધી એ સ્પષ્ટ નથી કર્યુ કે એક વાર જો આપનું પાનકાર્ડ નિષ્કિય થઇ જશે તો તે સમય સીમા બાદ પણ રિ-એક્ટિવેટ કરી શકાશે કે નહીં.
સુપ્રીમ કોર્ટે પણ જણાવ્યું ફરજિયાત લિંક કરવું જરૂરી
31 માર્ચનાં રોજ રજૂ કરવામાં આવેલી સૂચના અનુસાર નાણાંમંત્રાલયે એ સ્પષ્ટ કહ્યું હતું કે જો કોઇની પાસે પાન અથવા તો આધાર કાર્ડ બંને છે તો તેને જોડવું એ ફરજિયાત છે. આ વર્ષની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટે પણ પાન-આધાર લિંકને ફરજિયાત બનાવતા કહ્યું કે, આયકર અધિનિયમની કલમ 139AA ને યથાવત રાખી હતી.
આ રીતે કરાવો પાન કાર્ડ સાથે કરો તમારું આધાર લિંક
Follow કરો આ સ્ટેપ્સઃ
- આયકર વિભાગની ઇ-ફાઇલિંગ વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in ને ઇન્ટરનેટ પર ઓપન કરો.
- અહીં ડાબી તરફ આપવામાં આવેલા લાલ રંગના Link Adhaar પર આપ ક્લિક કરો.
- જો આપનું આયકર એકાઉન્ટ નહીં બન્યું હોય તો આપ પહેલા રજિસ્ટ્રેશન કરાવી લો.
- ક્લિક કરતા જ એક પેજ ખુલશે કે જેમાં આપે આધાર નંબર, પાનકાર્ડ નંબર અને આધાર અનુસાર આપનું નામ ભરવાનું રહેશે.
- ત્યાર બાદ આપ નીચે આપવામાં આવેલ કૈપ્ચા કોડને ટાઇપ કરો.
- જાણકારી ભર્યા બાદ નીચે દેખાતા Link Adhaar ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યાર બાદ આપનું પાન કાર્ડ આધાર સાથે લિંક થઇ જશે.
આ રીતે જાણી શકશો કે શું છે આપનાં આધાર-પાનકાર્ડ લિંકનું Status?
- આયકર વિભાગની વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in પર જવાનું રહેશે.
- અહીં આપે Link Aadhaar નાં નામથી ઓપ્શન હશે.
- આ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ એક વિન્ડો ખુલશે.
- આ વિન્ડોમાં આપને લાલ રંગથી બ્લિંક કરતા Click here પર ક્લિક કરવાનું રહેશે.
- એક નવું પેજ પછી ખુલશે કે જેમાં પાનકાર્ડ નંબર અને આધાર નંબર આપે આપવાનો રહેશે.
- ત્યાર બાદ આપનું કાર્ડ લિંક થયું કે નહીં તેનું Status આપને ખ્યાલ આવી જશે.