બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / One more radical in Pakistan was shot dead by unknown people

હત્યા / પાકિસ્તાનમાં વધુ એક કટ્ટરપંથીની અજ્ઞાત લોકોએ કરી ગોળી મારી હત્યા, આતંકી સંગઠન જૈશનું કરતો હતો સમર્થન

Priyakant

Last Updated: 09:40 AM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Maulana Sher Bahadur Murder In Pakistan Latest News: પાકિસ્તાનના કટ્ટરપંથી ઉપદેશક અને આતંકવાદી સંગઠન જૈશના સમર્થક મૌલાનાની હત્યા 'અજ્ઞાત' લોકો દ્વારા તેની હત્યા કરવામાં આવી

  • પાડોશી દેશ પાકિસ્તાનથી એક મોટા સમાચાર 
  • આતંકવાદી સંગઠન જૈશના સમર્થક મૌલાના શેર બહાદુરની હત્યા
  • પેશાવરમાં 'અજ્ઞાત' લોકો દ્વારા તેની હત્યા કરવામાં આવી

Maulana Sher Bahadur Murder In Pakistan : આપણાં પાડોશી દેશ પાકિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પાકિસ્તાનના કટ્ટરપંથી ઉપદેશક અને આતંકવાદી સંગઠન જૈશના સમર્થક મૌલાના શેર બહાદુરની હત્યા કરવામાં આવી હતી. પેશાવરના ખૈબર પખ્તુનખ્વામાં 'અજ્ઞાત' લોકો દ્વારા તેની હત્યા કરવામાં આવી છે. જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી યુનુસ ખાનને પણ ઠાર કરવામાં આવ્યો હતો. તેને અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી હતી. આતંકવાદી યુનુસ ખાન જૈશ-એ-મોહમ્મદ માટે ભરતીનું કામ કરતો હતો.

આ પહેલા આતંકી મૌલાના રહીમુલ્લાહ તારિકની હત્યા કરવામાં આવી હતી. તે જૈશ-એ-મોહમ્મદનો આતંકવાદી હતો અને મૌલાના મસૂદ અઝહરનો નજીકનો હતો. તે ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ હતો.  ભારતના દુશ્મન લશ્કર-એ-તૈયબાના પૂર્વ કમાન્ડર અકરમ ખાનને પણ અગાઉ બાજૌરમાં ઠાર કરવામાં આવ્યો છે. તેમને અકરમ ગાઝી પણ કહેવામાં આવતો હતો  અકરમે 2018થી 2020 દરમિયાન લશ્કરમાં ભરતીનું કામ કર્યું હતું. તેણે ભારત સામે પણ ઝેર ઓક્યું.

પાકિસ્તાનમાં આતંકવાદીઓની હત્યાનો સિલસિલો ચાલુ છે. અગાઉ પણ મુફ્તી કૈસર ફારૂક, ખાલિસ્તાની આતંકવાદી પરમજીત સિંહ પંજવાડ, એજાઝ અહમદ અહંગર, બશીર અહેમદ પીર, શાહિદ લતીફ અને સૈયદ ખાલિદ રઝા જેવા આતંકવાદીઓ અજાણ્યા હુમલાખોરો દ્વારા માર્યા ગયા હતા. આ હુમલાઓ આતંકવાદીઓને પરેશાન કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ